Site icon News Continuous Bureau | Mumbai

Gyanvapi Mosque: CJIએ જ્ઞાનવાપી કેસ પર આપ્યો મહત્વનો નિર્દેશ; કહ્યું ‘પૂજા અને નમાઝ પોતપોતાની જગ્યાએ ચાલુ રહેશે’..

Gyanvapi Mosque: જ્ઞાનવાપી મસ્જિદના વ્યાસજી ભોંયરામાં પૂજા કરવાના મામલે મુસ્લિમ પક્ષને પણ સુપ્રીમ કોર્ટનો આંચકો લાગ્યો છે. આજે CJI DY ચંદ્રચુડે કહ્યું કે જ્ઞાનવાપી ભોંયરામાં પ્રવેશ દક્ષિણ તરફથી છે જ્યારે મસ્જિદનો પ્રવેશ ઉત્તર તરફથી છે. બંને એકબીજાને અસર કરતા નથી. એટલે હાલમાં બંને પોતપોતાના સ્થળોએ પૂજા અને નમાઝ ચાલુ રહેશે'.

Gyanvapi Mosque SC declines to stay ongoing puja in Gyanvapi mosque cellar

Gyanvapi Mosque SC declines to stay ongoing puja in Gyanvapi mosque cellar

News Continuous Bureau | Mumbai 

 Gyanvapi Mosque: આજે (1 એપ્રિલ) સુપ્રીમ કોર્ટે જ્ઞાનવાપી સંકુલના વ્યાસ ભોંયરામાં પૂજા વિરુદ્ધ મસ્જિદ સમિતિની અરજી પર સુનાવણી કરી હતી. સુનાવણી દરમિયાન, સુપ્રીમ કોર્ટે જ્ઞાનવાપીના વ્યાસ ભોંયરામાં પૂજા પર પ્રતિબંધ મૂકવાનો ઇનકાર કર્યો હતો. આદેશ આપતાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે 31 જાન્યુઆરીના આદેશથી નમાઝ પર કોઈ અસર થઈ નથી.

Join Our WhatsApp Channel

આજે CJI DY ચંદ્રચુડના નેતૃત્વ હેઠળની બેન્ચે જ્ઞાનવાપી મસ્જિદનું સંચાલન કરતી અંજુમન ઈંતજામિયા મસ્જિદ સમિતિની વિશેષ રજા અરજી પર સુનાવણી કરી. ખંડપીઠે પૂછ્યું કે શું ભોંયરામાં અને મસ્જિદ જવાનો એક જ રસ્તો છે? આ અંગે મુસ્લિમ પક્ષના વકીલએ કહ્યું કે ભોંયરું દક્ષિણમાં છે અને મસ્જિદ જવાનો રસ્તો ઉત્તરમાં છે. તેના પર ખંડપીઠે કહ્યું કે નમાઝ અદા કરવા અને પૂજામાં જવાના રસ્તા અલગ-અલગ છે, તેથી અમે માનીએ છીએ કે પૂજાની બંને પદ્ધતિઓમાં કોઈ અડચણ નહીં આવે. 

CJI DY ચંદ્રચુડે કહ્યું કે જ્ઞાનવાપી ભોંયરામાં પ્રવેશ દક્ષિણ તરફથી છે જ્યારે મસ્જિદનો પ્રવેશ ઉત્તર તરફથી છે. બંને એકબીજાને અસર કરતા નથી. એટલે હાલમાં બંને પોતપોતાના સ્થળોએ પૂજા અને નમાઝ ચાલુ રહેશે’.

શૈલેન્દ્ર વ્યાસને નોટિસ જારી કરી

સાથે જ ભોંયરામાં પૂજા કરવા સામે મસ્જિદ પક્ષની અરજી પર સુપ્રીમ કોર્ટે નીચલી અદાલતના અરજદાર શૈલેન્દ્ર વ્યાસને નોટિસ જારી કરી છે. જ્ઞાનવાપી કેમ્પસમાં વ્યાસ બેઝમેન્ટમાં પૂજા વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી હવે જુલાઈના ત્રીજા સપ્તાહમાં થશે.

જ્ઞાનવાપી મસ્જિદ સમિતિએ કયા આધારે નિર્ણયને પડકાર્યો?

જ્ઞાનવાપીના વ્યાસ ભોંયરામાં થતી પૂજા સામે મસ્જિદ સમિતિએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. સુનાવણી દરમિયાન, મસ્જિદ પક્ષના વકીલ હુઝૈફા અહમદીએ કહ્યું કે નીચલી અદાલતે આદેશને લાગુ કરવા માટે એક અઠવાડિયાનો સમય આપ્યો, પરંતુ સરકારે તેને તરત જ લાગુ કર્યો. હાઈકોર્ટે અમને રાહત પણ આપી નથી. તેમણે સુપ્રીમ કોર્ટ પાસે માંગ કરી હતી કે જ્ઞાનવાપી મસ્જિદ સંકુલના વ્યાસ ભોંયરામાં પૂજા પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવો જોઈએ.

આ સમાચાર પણ વાંચો : ચૂંટણી દરમિયાન હવે હથિયારધારકોને મળી મોટી રાહત, અલ્હાબાદ હાઈકોર્ટે આપ્યો આ આદેશે.. જાણો વિગતે..

વ્યાસ ભોંયરામાં પૂજા રોકવા પર CJI ચંદ્રચુડે શું કહ્યું?

સુનાવણી દરમિયાન CJI DY ચંદ્રચુડે કહ્યું, ‘ભોંયરામાં પ્રવેશ દક્ષિણ તરફથી છે અને મસ્જિદની એન્ટ્રી ઉત્તર તરફથી છે. બંને એકબીજાને અસર કરતા નથી. અમે આદેશ આપી શકીએ છીએ કે હાલ પૂરતું, પૂજા અને નમાઝ બંને પોતપોતાના સ્થળોએ ચાલુ રહે.

સુનાવણી દરમિયાન વ્યાસ પરિવારના વકીલ શ્યામ દિવાને ઔપચારિક નોટિસ જારી કરવાનો વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે નીચલી અદાલતોમાં હજુ આ મામલો સંપૂર્ણ રીતે ઉકેલાયો નથી. આ સમયે સુપ્રીમ કોર્ટના હસ્તક્ષેપની જરૂર નથી. જો કે તેમ છતાં સુપ્રીમ કોર્ટે નોટિસ ફટકારી હતી.

અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણય સામે મસ્જિદ સમિતિ SC પહોંચી

અંજુમન મસ્જિદ વ્યવસ્થા સમિતિએ અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે, જેણે હિંદુઓને મસ્જિદના દક્ષિણ ભોંયરામાં પૂજા કરવાની મંજૂરી આપતા નીચલી અદાલતના આદેશને સમર્થન આપ્યું હતું. આ સમિતિ વારાણસી સ્થિત જ્ઞાનવાપી મસ્જિદની બાબતોનું સંચાલન કરે છે. નીચલી અદાલતે 31 જાન્યુઆરીએ પોતાના આદેશમાં હિન્દુઓને ભોંયરામાં પૂજા કરવાની મંજૂરી આપી હતી.

Gold Silver Price 13 July 2026 સુવર્ણ અવસર વ્હાઇટ હાઉસ અને મિડલ ઈસ્ટ વિવાદ વચ્ચે સોનાચાંદીના ભાવમાં તોતિંગ ઘટાડો, જાણો લેટેસ્ટ રેટ.
Maharashtra Weather રાહત કે મુસીબત? મહારાષ્ટ્રમાં ચોમાસું પડ્યું નબળું, આ અઠવાડિયું કોરું રહેવાની શક્યતા; ગરમી અને બફારો વધશે
Mumbai Local Train Face Off ભયાનક અકસ્માતમાંથી બચાવ ચર્ની રોડ પર ટ્રેનો સામસામે આવી જતાં મુસાફરોમાં ફફડાટ…
China Dam Arunachal Border બ્રહ્મપુત્રા પર ડ્રેગનનો ‘મેગા પ્લાન’ શું ચીન જળયુદ્ધ દ્વારા ભારતને ડરાવવા માંગે છે?
Exit mobile version