ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
23 મે 2020
શુક્રવારે કેન્દ્રીય આરોગ્ય પ્રધાન હર્ષ વર્ધનને 34 સભ્યના WHO કારોબારી બોર્ડના અધ્યક્ષ પદનો હવાલો સંભાળ્યો છે. ભારતે એવા સમયે એક્ઝિક્યુટિવ બોર્ડના અધ્યક્ષનું પદ સંભાળ્યું છે જ્યારે ચીનના વુહાન શહેરમાં ઉદ્ભવતા કોરોના વાયરસની તપાસની માંગ અને તેની સામે પગલાઓ લેવાની માંગ વધી રહી છે.
કોવિડ -19 રોગચાળા સામે ભારતની લડતમાં અગ્રણી ભૂમિકા નિભાવનાર હર્ષવર્ધનએ કોરોના વાયરસ રોગચાળાને કારણે વિશ્વભરમાં પોતાનો જીવ ગુમાવનારા લોકો પ્રત્યે દુ:ખ વ્યક્ત કર્યું હતું
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ) ના એક્ઝિક્યુટિવ બોર્ડના અધ્યક્ષ તરીકે ચૂંટાયા બાદ પોતાના નિવેદન મા હર્ષ વર્ધનએ એમ પણ કહ્યું હતું કે "રોગચાળાને કારણે સર્જાયેલા સંકટને પહોંચી વળવા વૈશ્વિક ભાગીદારીને મજબૂત બનાવવાની અને સહકારની જરૂર છે..
