Historic Verdict:ચૂંટણીના ઈતિહાસમાં પહેલીવાર બદલાઈ જશે EVM તપાસની રીત, હાઈકોર્ટના આ આદેશથી નેતાઓમાં ફફડાટ

Historic Verdict:મુંબઈની ચાંદીવલી બેઠક પર કોંગ્રેસના નસીમ ખાનની અરજી પર કોર્ટની મંજૂરી; 16 અને 17 એપ્રિલે BEL ના એન્જિનિયરો કરશે મશીનોનું ચેકિંગ.

by Janvi Soni
Election Commission। ચૂંટણી પહેલાં કડક આદેશ EVM ના બટન પર ગુંદર કે પરફ્યુમ લગાડવું પડશે ભારે, જાણો શું કહ્યું ચૂંટણી પંચે

News Continuous Bureau | Mumbai

Historic Verdict:ભારતના ચૂંટણી ઈતિહાસમાં પ્રથમ વખત હારેલા ઉમેદવારની હાજરીમાં ઈવીએમ (EVM) અને વીવીપેટ (VVPAT) મશીનોની તપાસ થવા જઈ રહી છે. મુંબઈની ચાંદીવલી વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર નસીમ ખાનની હાર બાદ તેમણે પરિણામને કોર્ટમાં પડકાર્યું હતું. આ મામલે જસ્ટિસ સોમશેખર સુંદરેશને ઈવીએમની તપાસ કરવાનો મોટો આદેશ આપ્યો છે.સીનિયર કોંગ્રેસ નેતા અને પૂર્વ મંત્રી આરીફ નસીમ ખાનની હાજરીમાં ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ (BEL) ના એન્જિનિયરો દ્વારા આ તપાસ કરવામાં આવશે. નસીમ ખાન ચાંદીવલી બેઠક પર શિવસેનાના દિલીપ લાંડે સામે 20,000 થી વધુ મતોથી હારી ગયા હતા, પરંતુ તેમણે વોટિંગમાં ગેરરીતિની આશંકા વ્યક્ત કરી હતી.

શું છે હાઈકોર્ટનો આદેશ?

હાઈકોર્ટે 12 ફેબ્રુઆરીએ આ આદેશ આપ્યો હતો કે ઈવીએમની તપાસ થવી જોઈએ. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે જ્યારે પણ ઈવીએમ તપાસની પરવાનગી આપવામાં આવે, ત્યારે ચૂંટણી પંચે બે મહિનાની અંદર મશીનોનું નિરીક્ષણ પૂરું કરાવવું પડશે. મુંબઈ ઉપનગર જિલ્લાના ડેપ્યુટી રિટર્નિંગ ઓફિસર અર્ચના કદમે જણાવ્યું કે 16 અને 17 એપ્રિલના રોજ આ ‘ડાયગ્નોસ્ટિક ચેક’ કરવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો: Senior Citizen FD Rates:સીનિયર સિટીઝન્સ માટે ખુશખબર: હવે FD પર મળશે 9.2% સુધી વ્યાજ! સુરક્ષિત રોકાણ સાથે કરો તગડી કમાણી, જાણો કોણ આપી રહ્યું છે આ ઓફર!

સુપ્રીમ કોર્ટના જૂના આદેશનો હવાલો

નસીમ ખાને સુપ્રીમ કોર્ટના એપ્રિલ 2024 ના ચુકાદાનો ઉલ્લેખ કર્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે પ્રત્યેક મતવિસ્તારમાં ઓછામાં ઓછી 5 ટકા કંટ્રોલ યુનિટ, વીવીપેટ અને બેલેટ યુનિટની બર્ન્ટ મેમરી અને માઇક્રોકન્ટ્રોલરની તપાસ પરિણામ આવ્યા બાદ એન્જિનિયરો કરી શકે છે. હાઈકોર્ટના આ નિર્ણયને આવકારતા ખાને કહ્યું કે, “આ એક મોટો નિર્ણય છે. અત્યાર સુધી કોઈ કોર્ટે ઈવીએમની તપાસનો આદેશ આપ્યો નહોતો, હવે 20 જેટલા ઈવીએમની તપાસ થશે.”

ચાંદીવલી બેઠકનું શું હતું પરિણામ?

ચાંદીવલી બેઠક પર શિવસેનાના દિલીપ ભાઉસાહેબ લાંડેને કુલ 1,24,641 વોટ મળ્યા હતા, જ્યારે નસીમ ખાનને 1,04,016 વોટ મળ્યા હતા. 2024 ની મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિ ગઠબંધનનો ભવ્ય વિજય થયો હતો અને કોંગ્રેસને માત્ર 16 બેઠકો મળી હતી. આ તપાસના પરિણામો આગામી સમયમાં ઈવીએમની વિશ્વસનીયતા પરની ચર્ચાઓમાં મોટો વળાંક લાવી શકે છે.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More