ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 27 સપ્ટેમ્બર, 2021
સોમવાર
દિલ્હીના ઇન્દિરા ગાંધી નેશનલ ઇન્ડોર સ્ટેડિયમમાં દેશભરની સહકારી સંસ્થાઓની રાષ્ટ્રીય સહકાર પરિષદ યોજાઈ હતી. જેમાં કેન્દ્રીય સહકાર અને ગૃહ મંત્રી અમીત શાહે સહકાર મંત્રાલય બાબતે શંકાઓનું નિવારણ કરવાનો પ્રયત્ન કર્યો હતો. સહકાર એ કેન્દ્રનો કે રાજ્યનો વિષય? તેના ઉપર તેમણે ચર્ચા કરી હતી.
અરે વાહ! હવે આ દેશના રસ્તા ભારત માટે ખુલ્યા. તમામ ફ્લાઇટ અને બીજા માર્ગો શરૂ. જાણો વિગત.
અમિત શાહે કહ્યું હતું કે કેન્દ્રીય સહકાર મંત્રાલયની સ્થાપના રાજ્ય સાથેના સંઘર્ષ માટે નહીં પણ સહકાર માટે કરવામાં આવી છે. મલ્ટીસ્ટેટ સહકારી સંસ્થાઓમાં સુધારા માટે કાયદાને મજબૂત કરવાની અને નવા સહકારી ધોરણો ઘડવાની જાહેરાત તેમણે કરી છે. દેશભરમાં સહકાર કાયદાઓમાં સમાનતા લવાશે. સહકાર ક્ષેત્રો પર કોઈ પણ પ્રકારનો અન્યાય થશે નહીં. તેવી જ રીતે સહકારી સંસ્થાઓમાં ભરતી અને નિમણૂકની પ્રક્રિયામાં પારદર્શકતા લાવવામાં આવશે તેવી ખાતરી તેમણે આપી હતી.