Site icon

Humayun Kabir: મમતા બેનર્જીના ‘ગઢ’ માં ગાબડું પાડવાની તૈયારી? હુમાયુ કબીરની નવી પાર્ટી અને ‘બાબરી’ કાર્ડ, બંગાળના રાજકારણમાં નવો વળાંક.

હુમાયુ કબીરે ‘જનતા ઉન્નયન પાર્ટી’ ની કરી જાહેરાત, બંગાળની તમામ ૨૯૪ બેઠકો પર ચૂંટણી લડશે, મુર્શિદાબાદમાં મમતાના ગઢમાં ગાબડું પાડવાની તૈયારી.

Humayun Kabir મમતા બેનર્જીના 'ગઢ' માં ગાબડું પાડવાની તૈયારી

Humayun Kabir મમતા બેનર્જીના 'ગઢ' માં ગાબડું પાડવાની તૈયારી

News Continuous Bureau | Mumbai

Humayun Kabir  પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી પહેલા રાજ્યના રાજકીય સમીકરણો ઝડપથી બદલાઈ રહ્યા છે. મુર્શિદાબાદના બેલડાંગામાં નવી બાબરી મસ્જિદનો પાયો નાખીને ચર્ચામાં આવેલા પૂર્વ TMC નેતા હુમાયુ કબીરે હવે પોતાની અલગ રાજકીય પાર્ટીની જાહેરાત કરી દીધી છે. કબીરે તેમની પાર્ટીનું નામ ‘જનતા ઉન્નયન પાર્ટી’ રાખ્યું છે અને આગામી ચૂંટણીમાં તમામ ૨૯૪ બેઠકો પર ચૂંટણી લડવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે. હુમાયુ કબીરનો આ આક્રમક અંદાજ મુખ્યમંત્રી મમતા બેનર્જી માટે ચિંતાનો વિષય બની શકે છે.ટીએમસીમાંથી હાંકી કાઢવામાં આવ્યા બાદ હુમાયુ કબીરે સોમવારે મુર્શિદાબાદના રેજીનગરમાં એક વિશાળ સભાને સંબોધિત કરી હતી. તેમણે કહ્યું કે તેમની પાર્ટી માત્ર સામાન્ય લોકોના વિકાસની વાત કરશે, તેથી તેનું નામ ‘ઉન્નયન’ (વિકાસ) રાખવામાં આવ્યું છે. તેમણે ચૂંટણી ચિન્હ તરીકે ‘ટેબલ’ અથવા ‘બે ગુલાબ’ ની પસંદગી વ્યક્ત કરી છે. કબીરનો દાવો છે કે તેઓ બંગાળની રાજનીતિમાં ‘કિંગમેકર’ બનીને ઉભરશે.

Join Our WhatsApp Community

મમતા બેનર્જીના કોર વોટબેંક પર નજર

પશ્ચિમ બંગાળમાં આશરે ૩૦ ટકા મુસ્લિમ મતદારો છે, જે ૨૯૪ બેઠકોમાંથી લગભગ ૧૦૦ બેઠકો પર નિર્ણાયક ભૂમિકા ભજવે છે. ૨૦૧૦ પછી આ મતદારો ટીએમસીની મજબૂત વોટબેંક માનવામાં આવે છે. હુમાયુ કબીર હવે આ ૩૦ ટકા મતોમાં ગાબડું પાડવાની રણનીતિ પર કામ કરી રહ્યા છે. તેમણે મુસ્લિમોને સંબોધતા કહ્યું કે, “હવે મુસ્લિમો મમતાના બહેકાવવામાં નહીં આવે, કારણ કે મમતા માત્ર તેમના વોટ લે છે પણ તેમના માટે કંઈ કરતી નથી.”

મુર્શિદાબાદમાં ટીએમસીના કિલ્લાને જોખમ

મુર્શિદાબાદ જિલ્લો હુમાયુ કબીરની રાજનીતિનું કેન્દ્ર છે, જ્યાં મુસ્લિમ વસ્તી ૭૦ ટકાથી વધુ છે. અત્યારે અહીંની ૨૨ બેઠકોમાંથી ૨૦ બેઠકો ટીએમસી પાસે છે. કબીરે દાવો કર્યો છે કે તેઓ મુર્શિદાબાદમાં ઓછામાં ઓછી ૧૦ બેઠકો જીતશે. જો હુમાયુ કબીર મુસ્લિમ મતોનું ધ્રુવીકરણ કરવામાં સફળ રહે છે, તો ટીએમસીના ગઢ ગણાતા માલદા અને મુર્શિદાબાદમાં મમતા બેનર્જીને મોટું નુકસાન થઈ શકે છે.

આ સમાચાર પણ વાંચો : Pakistan Army: મોટો ઉલટફેર: હમાસ વિરુદ્ધ જંગમાં પાકિસ્તાન આપશે સાથ? ટ્રમ્પને ખુશ કરવા ગાઝામાં ૩૫૦૦ સૈનિકો તૈનાત કરવા શાહબાઝ સરકાર તૈયાર!

અન્ય પક્ષો સાથે ગઠબંધનના સંકેત

હુમાયુ કબીરે સ્પષ્ટ કર્યું છે કે તેમનો મુકાબલો ભાજપ અને ટીએમસી બંને સાથે છે. જોકે, તેમણે કોંગ્રેસ, સીપીઆઈ(એમ) અને ઓવૈસીની પાર્ટી (AIMIM) સાથે ગઠબંધન કરવાની શક્યતા નકારી નથી. હુમાયુ કબીર જે રીતે બાબરી મસ્જિદના મુદ્દાને ઉછાળી રહ્યા છે, તે જોતા ટીએમસી માટે આગામી દિવસોમાં મુસ્લિમ મતદારોને પોતાની સાથે જોડી રાખવા એક મોટો પડકાર બની રહેશે.

 

Switzerland Bar Explosion: સ્વિટ્ઝરલેન્ડમાં નવા વર્ષની ઉજવણી માતમમાં ફેરવાઈ: ક્રાન્સ મોન્ટાનાના બારમાં ભીષણ બ્લાસ્ટ; અનેક લોકોના મોતની આશંકા
Zohran Mamdani: ન્યૂયોર્કમાં ઈતિહાસ રચાયો ભારતીય મૂળના જોહરાન મમદાની બન્યા મેયર; કુરાન પર હાથ રાખીને લીધા શપથ
Mumbai: નવા વર્ષે હવામાનનો મિજાજ બદલાયો: મુંબઈમાં વરસાદી આગમન, પહાડો પર હિમવર્ષા અને દિલ્હીમાં હાડ થીજવતી ઠંડી.
BMC Election 2026 Seat Sharing: મહાયુતિમાં ભંગાણના સંકેત! બેઠકોની વહેંચણીમાં રામદાસ આઠવલેએ માંગ્યો મોટો હિસ્સો, શું શિંદે અને ભાજપ ઝૂકશે?.
Exit mobile version