ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો.
મુંબઈ, 16 ઓક્ટોબર, 2021
શનિવાર.
દિલ્હી સ્થિત કોંગ્રેસ મુખ્યાલય ખાતે આજે લાંબા સમય બાદ કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક યોજાઈ છે.
બેઠકને લઈ અનેક પ્રકારની અટકળો થઈ રહી છે કે, કોંગ્રેસમાં સંગઠન ચૂંટણી, નવા અધ્યક્ષ પદની શોધ અંગે ચર્ચા થઈ શકે છે.
જોકે સોનિયા ગાંધીએ પોતે ફુલ ટાઈમ પાર્ટી અધ્યક્ષ હોવાનો સંકેત આપી દીધો છે.
બેઠક દરમિયાન સોનિયા ગાંધીએ જણાવ્યું કે, જો તમે બધા મને એવું કહેવાની અનુમતિ આપશો તો હું મારી જાતને ફુલ ટાઈમ પાર્ટી અધ્યક્ષ તરીકે રાખીશ.
અમે કદી સાર્વજનિક મહત્વ અને ચિંતાના મુદ્દાઓને સમજ્યા-વિચાર્યા વગર નથી જવા દીધા પરંતુ મીડિયાના માધ્યમથી મારા સાથે વાત કરવાની કોઈ જ જરૂર નથી.
એવું માનવામાં આવે છે કે, સોનિયા ગાંધીનું આ નિવેદન પાર્ટીના અસંતુષ્ટ નેતાઓના સમૂહ જી-23ને કરારો જવાબ છે.
ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા જ કપિલ સિબ્બલે પ્રેસ કોન્ફરન્સ દ્વારા કહ્યું હતું કે, કોંગ્રેસના નિર્ણયો કોણ લે છે તે તેમને સમજાઈ નથી રહ્યું.
મુંબઈમાં ટ્રાફિક ઘટાડવા માટે નવો કીમિયો, મુંબઈ અને થાણેમાં આવતા ભારે વાહનો માટે આ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આ સમય દરમિયાન પ્રતિબંધ રહેશે.