Illegal Indian Immigrants: અમેરિકા વધુ 487 ગેરકાયદે રહેનારા ભારતીયોને કરશે ડિપોર્ટ, ભારતે વ્યક્ત કરી ચિંતા…

Illegal Indian Immigrants: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્ર દ્વારા દેશમાંથી ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને બહાર કાઢવાના અભિયાનના ભાગ રૂપે હવે 487 વધુ ભારતીયોને અંતિમ દેશનિકાલના આદેશ આપવામાં આવ્યા છે. તેમને પણ ટૂંક સમયમાં અમેરિકાથી ભારત પાછા મોકલવામાં આવશે.

by kalpana Verat
Illegal Indian Immigrants 487 Illegal Indian immigrants face final removal orders from US, confirms Foreign Ministry

News Continuous Bureau | Mumbai

 Illegal Indian Immigrants:  104 ભારતીયો પછી, અમેરિકા હવે વધુ 487 ભારતીયોને દેશમાંથી હાંકી કાઢવાની તૈયારી રહયુ છે. દરમિયાન, ભારતે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ સાથે કોઈપણ પ્રકારના દુર્વ્યવહારની શક્યતા અંગે ચિંતા વ્યક્ત કરી છે. કેન્દ્ર સરકારે કહ્યું કે અમેરિકામાં રહેતા 487 ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સની ઓળખ કરવામાં આવી છે અને તેમને ટૂંક સમયમાં ભારત પાછા મોકલવામાં આવશે.

 Illegal Indian Immigrants:  અમાનવીય વર્તન અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી 

ભારતના વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ આ મુદ્દે માહિતી આપી. તેમણે કહ્યું કે વિદેશ મંત્રીએ યુએસ અધિકારીઓ દ્વારા શેર કરાયેલ સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) ને કાળજીપૂર્વક જોયું છે. આમાં ઇમિગ્રેશન અને કસ્ટમ્સ અમલીકરણ સંબંધિત પ્રક્રિયા સ્પષ્ટ કરવામાં આવી છે. વિક્રમ મિશ્રીએ એમ પણ કહ્યું કે આ પ્રક્રિયા પહેલાથી જ ચાલી રહી છે, પરંતુ ભારતે દેશનિકાલ કરાયેલા ભારતીય નાગરિકો સાથે કોઈપણ પ્રકારના અમાનવીય વર્તન અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે.

 Illegal Indian Immigrants:  ભારત નાગરિકો સાથે કોઈપણ પ્રકારનો દુર્વ્યવહાર સહન કરશે નહીં

અમેરિકાએ ભારતને જાણ કરી છે કે 487 ભારતીય નાગરિકો સામે દેશનિકાલના આદેશો જારી કરવામાં આવ્યા છે. વિક્રમ મિશ્રીએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું. તેમણે એમ પણ કહ્યું કે ભારતે અમેરિકી વહીવટીતંત્રને સ્પષ્ટપણે કહ્યું છે કે જો આ નાગરિકો સાથે કોઈપણ પ્રકારનો દુર્વ્યવહાર થશે તો ભારત તેને સહન કરશે નહીં. જો આવી કોઈ ઘટના બનશે, તો અમે તેને ઉચ્ચ સ્તરે ઉઠાવીશું અને તાત્કાલિક પગલાં લઈશું.

આ સમાચાર પણ વાંચો:  PM Modi US visit : પીએમ મોદી જશે અમેરિકાના પ્રવાસે, મળશે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને.. જાણો સમગ્ર કાર્યક્રમ…

 Illegal Indian Immigrants:  ભારતની ચિંતા વધી 

વિદેશ સચિવે ગેરકાયદેસર સ્થળાંતરને પ્રોત્સાહન આપતી ગેંગ અને નેટવર્ક સામે નક્કર પગલાં લેવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો. તેમણે કહ્યું, આપણે ગેરકાયદેસર ઇમિગ્રેશનને પ્રોત્સાહન આપતી આ આખી સિસ્ટમ સામે પગલાં લેવાની જરૂર છે. અમેરિકાથી પરત ફરતા સ્થળાંતર કરનારાઓ સામે અવારનવાર દુર્વ્યવહારની ઘટનાઓ બનતી હોવાથી ભારતની ચિંતા પણ વધી ગઈ છે. સરકાર સુનિશ્ચિત કરવા માંગે છે કે દેશનિકાલ કરાયેલા ભારતીયો સાથે ગૌરવ અને માનવતા સાથે વ્યવહાર કરવામાં આવે.

 

 

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More