Site icon

ગર્વની ક્ષણ! સાયક્લોન મેન ઓફ ઇન્ડિયા હવે હવામાન અંગે આખી દુનિયાને કરશે એલર્ટ, IMD ચીફ બન્યા WMOના વાઇસ પ્રેસિડેન્ટ…

IMDના મહાનિર્દેશક મૃત્યુંજય મહાપાત્રા WMOના ઉપપ્રમુખ તરીકે ચૂંટાયા

imd chief mrutyunjay mohapatra become the vice president of the world meteorological organization

News Continuous Bureau | Mumbai

ભારત હવામાન વિભાગ (IMD) ના મહાનિર્દેશક મૃત્યુંજય મહાપાત્રા ગુરુવારે (1 જૂન) વિશ્વ હવામાન સંસ્થા (WMO) ના ત્રીજા ઉપાધ્યક્ષ તરીકે ચૂંટાયા છે. WMOએ ટ્વિટ કરીને આ જાણકારી આપી છે. મૃત્યુંજય મહાપાત્રા, મૂળ ઓડિશાના, ભારતના ‘સાયક્લોન મેન’ તરીકે ઓળખાય છે. 2019 થી તેઓ હવામાન વિભાગના વડા છે.

મહાપાત્રા ઉપરાંત અન્ય બે વ્યક્તિઓને પણ WMOના વાઇસ પ્રેસિડેન્ટના પદ પર બઢતી આપવામાં આવી છે. તેમાંથી આયર્લેન્ડમાં મેટ ઈરીઆનના ડિરેક્ટર આયોન મોરાન અને કોટ ડી’આઈવોરમાં હવામાનશાસ્ત્રના ડિરેક્ટર દાઉડા કોનાટે છે. WMO ચૂંટણી ગુરુવારે (01 જૂન) જીનીવામાં યોજાઈ હતી. સંયુક્ત આરબ અમીરાતના રાષ્ટ્રીય હવામાન કેન્દ્રના નિર્દેશક અબ્દુલ્લા અલ મંદૌસને WMOના પ્રમુખ તરીકે ચૂંટવામાં આવ્યા છે.

Join Our WhatsApp Community

WMO ના પ્રમુખ અને ઉપપ્રમુખ

અબ્દુલ્લા અલ મંડૌસનો કાર્યકાળ ચાર વર્ષનો રહેશે. WMO માં પ્રમુખ અને ત્રણ ઉપપ્રમુખ હોય છે. આર્જેન્ટિનાના સેલેસ્ટે સાઉલોને WMOના પ્રથમ મહિલા મહાસચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. જેમાં અબ્દુલ્લા અલ મંદૌસને અધ્યક્ષ તરીકે અને મૃત્યુંજય મહાપાત્રા, ઈયોન મોરન અને દૌડા કોનાટેને ઉપાધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

આ સમાચાર પણ વાંચો : CSK ના ખેલાડીઓએ વાયરલ ટ્રેડિંગ પોસ્ટ સ્ટાઈલમાં ટ્રોફી સાથે કરી ઉજવણી, જાડેજાએ દિલ જીતી લીધું.. જુઓ વિડીયો..

મૃત્યુંજય મહાપાત્રા કોણ છે?

IMD દ્વારા છેલ્લા બે દાયકામાં ફાઈલીન, હુદહુદ, વરદા, તિતલી, સાગર, મેકુનુ અને ફાની જેવા અનેક ચક્રવાતોની સચોટ આગાહી કરવામાં મહાપાત્રાએ મહત્વની ભૂમિકા ભજવી છે. 2019 થી, તેઓ હવામાન વિભાગમાં મહાનિર્દેશક તરીકે નિયુક્ત થયા. તેમનો જન્મ ઓડિશાના ભદ્રક જિલ્લાના એક નાના ગામમાં થયો હતો. તેમણે નાનપણથી જ ચક્રવાતને કારણે થયેલા નુકસાનને નજીકથી જોયું છે. તેમણે ઉત્કલ યુનિવર્સિટીમાંથી ભૌતિકશાસ્ત્રમાં પીએચડી કર્યું છે. શિક્ષણ પૂરું કર્યા પછી, તેઓ 1990 ના દાયકાથી હવામાન વિભાગમાં જોડાયા.

વિશ્વ હવામાન સંસ્થા શું છે?

વર્લ્ડ મીટીરોલોજીકલ ઓર્ગેનાઈઝેશન (WMO) એ 1950 માં સ્થાપિત સંસ્થા છે. WMO વિશ્વની આબોહવાની સ્થિતિ પર વાર્ષિક અહેવાલ જારી કરે છે. આ અહેવાલ હવામાનના વિકાસ તેમજ સ્થાનિક, રાષ્ટ્રીય અને વૈશ્વિક સ્તરે તાપમાનની વ્યાપક માહિતી પ્રદાન કરે છે. વધુમાં, તીડના ઝૂંડની આગાહી એ WMOની બીજી જવાબદારી છે. ભારત 1949 થી WMOનું સભ્ય છે. ચક્રવાત અમ્ફાનની આગાહી અને અપડેટ્સમાં નોંધપાત્ર ચોકસાઈ માટે WMO દ્વારા ભારતના IMDની પણ પ્રશંસા કરવામાં આવી હતી.

Halal Township: મુંબઈ નજીક નેરળ માં આવેલી એક હાઉસિંગ સોસાયટી ના પ્રોજેક્ટ પર વિવાદ, જાણો કેમ NHRC અને NCPCR એ માંગ્યો રિપોર્ટ
Onion Price: મુંબઈમાં માત્ર આટલા રૂપિયા પ્રતિ કિલો એ મળશે ડુંગળી! જાણો શું છે કેન્દ્ર સરકારની નવી યોજના
GST 2.0: સિગારેટ અને તમાકુ જેવા હાનિકારક ઉત્પાદનો પર 40% ટેક્સ છતાં પણ દારૂ થયો તેમાંથી બાકાત,જાણો શું છે તેની પાછળ નું કારણ
Mathura Flood: મથુરા નો ઐતિહાસિક ઘાટ જ્યાં કૃષ્ણ ભગવાન એ કર્યો હતો વિશ્રામ તે પણ યમુનાના પૂરના પાણીમાં થયો ગરકાવ, જાણો શું છે ત્યાંની સ્થિતિ
Exit mobile version