ભારતીય અર્થવ્યવસ્થાને આર્થીક પેકેજનો ચોથો ડોઝ આજે આપવામાં આવ્યો, વિત્તમંત્રી નિર્મલા સીતારમણે આજે જે જાહેરાતો કરી તે નીચે મુજબ છે….

by Dr. Mayur Parikh

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

16 મે 2020

પ્રધાનમંત્રીના 20 લાખ કરોડના પેકેજમાંથી 8 ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું જેમાં -કોલસો, ખનિજો, સંરક્ષણ પ્રોડક્શન, એરસ્પેસ મેનેજમેન્ટ, એમઆરઓ, વીજ વિતરણ, કંપનીઓ, અવકાશ ક્ષેત્ર, અણુશક્તિ: નો સમાવેશ થાય છે…

@ કોલસા સેકટરમાં 50 હજાર કરોડની ફાળવણી કરવામાં આવી છે

@ કોલસા સેકટરમાં સરકારની ઈજારાશાહી હવે ખતમ થશે 

@ કોલસા સેકટરમાં રેગ્યુલેશનની જરૂર છે 

@ કોલસામાંથી ગેસ બનાવવા ખાસ એકમો સ્થપાશે 

@ કોમર્શિયલ માઈનીંગથી કોલસો સસ્તા ભાવે મળશે

@ માઈનીંગમાં નવા 500 બ્લોકની હરાજી થશે 

@ ખનીજ સેક્ટરમાં પણ સુધારાઓ કરવામાં આવશે 

@ લીઝની ખરીદી અને ટ્રાન્સફરમાં સરળતા લાવવામાં આવશે 

@ સંરક્ષણ ક્ષેત્રે મહત્વના સુધારાઓ કરવામાં આવ્યા છે

@ સંરક્ષણ ક્ષેત્રે મેક ઇન ઈન્ડિયાને પ્રોત્સાહન અપાશે 

@ સરકારે કેટલાક શસ્ત્રોની આયાત પર પ્રતિબંધ લગાવ્યો 

@ સેનાને આધુનિક હથિયારોની જરૂર 

@ સ્વદેશી હથિયારોના ઉપયોગ પર ભાર મુકાશે 

@ સેનાનું આયાત બિલ ઓછું થાય તેવા પ્રયાસો કરાશે 

@ મોદી સરકારે DBT, GST જેવા મોટા બદલાવ કર્યા

@ ઓર્ડિનેન્સ ફેક્ટરી બોર્ડનો સમાવેશ કરવામાં આવશે

@ આ સાથે સંરક્ષણ બાંધકામમાં એફડીઆઈ 49 %થી વધારીને 74 % કરવામાં આવશે.

@ ખાનગી ભાગીદારી માટે વધુ છ એરપોર્ટની હરાજી કરવામાં આવશે

@ 12 એરપોર્ટ પર પ્રા.લિ.ના ખેલાડીઓ દ્વારા 13,000 કરોડ રૂપિયાનું વધારાનું રોકાણ.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More