રેલવે પ્રવાસ ઝડપી બનશે! આગામી ત્રણ વર્ષમાં આટલી ‘વંદે ભારત’ ટ્રેન દોડશે, સીતારમણની બજેટમાં જાહેરાત; જાણો વિગત

by Dr. Mayur Parikh
Stone thrown at Vande Bharat in Kerala, cracks on a window

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 1 ફેબ્રુઆરી 2022

મંગળવાર. 

ભારતમાં આગામી વર્ષોમાં રેલવે પ્રવાસ વધુ સુવિધાજનક અને સમયની બચત કરનારનો બની રહેવાનો છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે મંગળવારે બજેટ રજૂ કરતી વખતે 400 “વંદે ભારત એક્સપ્રેસ” ની જાહેરાત કરી હતી. “વંદે ભારત એક્સપ્રેસ” આગામી ત્રણ વર્ષમાં દોડાવવાની યોજના છે.

પીએમ ગતિશક્તિ યોજના દ્વારા એક્સપ્રેસ હાઈવેના વિકાસ કરવાનું ધ્યેય રહેશે, તેની પાછળ 25,000 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. નાણાપ્રધાન નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે આનાથી મુસાફરીનો સમય ઘટશે અને ઇંધણનો વપરાશ ઘટશે.

કેન્દ્રીય બજેટમાં નાણામંત્રીએ કરી મહત્વની જાહેરાત, દેશમાં યુવાઓને અપાશે આટલા લાખ નવી નોકરી; જાણો વિગતે 

લોકસભામાં કેન્દ્રીય બજેટ 2022-23 રજૂ કરતાં નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું, “આગામી ચાર પ્રાથમિકતાઓ નક્કી કરી છે. આગામી 3 વર્ષમાં, 100 PM સ્પીડ કાર્ગો ટર્મિનલ વિકસાવવામાં આવશે. તે સિવાય નિર્મલા સીતારમણે જાહેરાત કરી હતી કે દેશમાં મેટ્રો નેટવર્કનું વિસ્તરણ કરવામાં આવશે.

નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે ભારતીય અર્થવ્યવસ્થા વૈશ્વિક પડકારોનો સામનો કરી રહી છે પરંતુ આ સ્થિતિમાં પણ ભારતે કોરોના મહામારીના પડકારોનો સામનો કર્યો છે. 

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More