Site icon

જમ્મુ કાશ્મીરમાં 32 વર્ષમાં જેટલા સૈનિકો શહીદ થયાં છે એટલાં તો ભારત-પાક યુદ્ધમાં નથી થયાં.. કુલ આંક જાણી તમે પણ ચોંકી જશો …

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

18 ઓગસ્ટ 2020 

કાશ્મીર ની કડવી સચ્ચાઈ સામે આવી રહી છે. જમ્મુ-કાશ્મીરમાં દર ચાલીસ કલાકે એક જવાન શહીદ થાય છે. ગઈકાલે જમ્મુ-કાશ્મીરના બારામુલ્લા માં ભારતના ત્રણ જવાન શહીદ થયા. જેને પગલે એકવાર ફરી સાબિત થયું છે કે લાખ પ્રયત્નો છતાં ઘાટીમાં આતંકવાદીઓ પર લગામ લગાવાઇ શકી નથી. 

જોકે ચાલુ વર્ષે સુરક્ષાકર્મીઓએ 'ઓપરેશન ઓલ આઉટ' હેઠળ 140 થી વધુ આતંકવાદીઓના ઢીમ ઢાળી દીધા છે. આથી હવે આતંકવાદીઓ મરણીયાં થયા છે. કાશ્મીરમાં આતંકવાદીઓનો આ ખેલ પાછલા 32 વર્ષથી ફેલાઈ રહ્યો છે. 32 વર્ષોમાં 8000 થી વધુ જવાનો શહીદ થયા છે. એટલા તો હિન્દુસ્તાન પાકિસ્તાન ના યુદ્ધમાં પણ શહીદ નથી થયા. 

આનો અર્થ એ થયો કે જમ્મુ-કાશ્મીરમાં દર 40 કલાકે એક સૈનિક શહીદ થાય છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યાર સુધી ચાર યુદ્ધો થયા છે. તેમાં કુલ 7500  સૈનિકો શહીદ થયા છે. આથી આતંકવાદીઓ સાથેની મુઠભેડમાં વધુ સૈનિકો શહીદ થયા છે એ સ્પષ્ટ છે..

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ..

https://bit.ly/3fJqhxB 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com    

LPG Crisis in India: હોર્મુઝમાં ફસાયેલી ભારતની ‘લાઇફલાઇન’! ૨૨ જહાજો અટકાતા ગેસ સપ્લાય ખોરવાયો; જાણો દેશમાં કેટલા દિવસનો સ્ટોક બાકી
Oil Wells in India: ભારતમાં ક્યાં ક્યાંથી નીકળે છે ‘કાળું સોનું’? આસામથી ગુજરાત સુધી ફેલાયેલા તેલના કૂવાઓનો સંપૂર્ણ નકશો અને ઈતિહાસ.
Iran War: ભારત માટે ખતરાની ઘંટડી! ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની જ્વાળામાં કતરનો ગેસ પ્લાન્ટ લપેટાયો, અડધોઅડધ ગેસ સપ્લાય અટકતા હાહાકાર
Braving Missiles & Mines: મોત સામે જંગ જીત્યા ભારતીય નાવિકો! હોર્મુઝની ખાડીમાં બારૂદી સુરંગો વચ્ચેથી LPG જહાજ સુરક્ષિત લાવ્યા, દેશભરમાં થઈ રહ્યા છે વખાણ.
Exit mobile version