India Bangladesh Relation : બાંગ્લાદેશના દબાણ સામે ઝૂકશે નહીં ભારત, શેખ હસીનાના પ્રત્યાર્પણને લઈને લીધો આ મોટો નિર્ણય; વધશે બંને દેશો વચ્ચે તણાવ ..

India Bangladesh Relation : ભારતે બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાના વિઝા લંબાવ્યા છે. તે ઓગસ્ટ 2023 થી ભારતમાં રહે છે. આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે તેમની ઢાકા પરત ફરવાની માંગણી તેજ બની છે. દેશવ્યાપી વિરોધ વચ્ચે 77 વર્ષીય હસીનાએ બાંગ્લાદેશ છોડીને ભારતમાં આશ્રય લીધો હતો અને ત્યારથી તે દિલ્હીમાં સુરક્ષિત જગ્યાએ રહે છે.

by kalpana Verat
India Bangladesh Relation India extends ex-B’desh PM Sheikh Hasina’s visa amid extradition call by Dhaka

News Continuous Bureau | Mumbai

 India Bangladesh Relation : ભારતે બાંગ્લાદેશના પદભ્રષ્ટ વડાપ્રધાન શેખ હસીનાના વિઝા લંબાવ્યા છે. આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે બાંગ્લાદેશે ગઈકાલે જ શેખ હસીનાનો પાસપોર્ટ રદ કરી દીધો છે. બાંગ્લાદેશ પહેલા જ હસીનાના પ્રત્યાર્પણની માંગ કરી ચૂક્યું છે. હવે ભારતે હસીનાના વિઝા લંબાવીને સ્પષ્ટ કરી દીધું છે કે તે બાંગ્લાદેશના દબાણ સામે ઝૂકશે નહીં. સવાલ ઉઠાવવામાં આવી રહ્યો છે કે શું ભારતના આ પગલાથી બાંગ્લાદેશ સાથે તણાવ વધુ વધશે.

 India Bangladesh Relation : પદભ્રષ્ટ વડાપ્રધાન શેખ હસીના નો પાસપોર્ટ રદ

બાંગ્લાદેશની વચગાળાની સરકારે મંગળવારે કહ્યું કે તેણે પદભ્રષ્ટ વડાપ્રધાન શેખ હસીના અને અન્ય 96 લોકોના પાસપોર્ટ રદ કરી દીધા છે. પાસપોર્ટ રદ કરવાનો બાંગ્લાદેશની વચગાળાની સરકારનો આ નિર્ણય આંતરરાષ્ટ્રીય અપરાધ ટ્રિબ્યુનલ (ICT) દ્વારા શેખ હસીના અને અન્ય 11 લોકો સામે ધરપકડ વોરંટ જારી કર્યાના એક દિવસ બાદ આવ્યો છે. 

આ સમાચાર પણ વાંચો : India Bangladesh Relation : શું શેખ હસીના બાંગ્લાદેશ પરત ફરશે? બાંગ્લાદેશ સરકારના પત્ર પર MEAએ આપ્યો આ જવાબ…

 India Bangladesh Relation : 12 ફેબ્રુઆરી સુધીમાં કોર્ટમાં રજૂ કરવાનો આદેશ 

આઈસીટીએ શેખ હસીના અને અન્ય આરોપીઓની ધરપકડ કરીને 12 ફેબ્રુઆરી સુધીમાં કોર્ટમાં રજૂ કરવાનો આદેશ આપ્યો છે. આમાં મેજર જનરલ (નિવૃત્ત) તારિક અહેમદ સિદ્દીકી, જે હસીનાના સંરક્ષણ સલાહકાર હતા, ભૂતપૂર્વ પોલીસ મહાનિરીક્ષક (IGP) બેનઝીર અહેમદ અને નેશનલ ટેલિકોમ્યુનિકેશન મોનિટરિંગ સેન્ટર (NTMC)ના ભૂતપૂર્વ મહાનિદેશક ઝિયાઉલ અહસાન વગેરેનો સમાવેશ થાય છે.  બાંગ્લાદેશના રાષ્ટ્રીય સ્વતંત્ર તપાસ પંચના વડા મેજર જનરલ (નિવૃત્ત) એએલએમ ફઝલુર રહેમાને તાજેતરમાં કહ્યું હતું કે પંચના સભ્યો ભારત જઈને શેખ હસીનાની પૂછપરછ કરવા માંગે છે. 2009માં બાંગ્લાદેશ રાઈફલ્સ દ્વારા 74 લોકોની હત્યાની તપાસના ભાગરૂપે આ તપાસ હાથ ધરવામાં આવશે. જો કે, ભારત સરકારે હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર માહિતી આપી નથી.

મહત્વનું છે કે ગયા વર્ષે 5 ઓગસ્ટે વિદ્યાર્થીઓની આગેવાની હેઠળના મોટા આંદોલન બાદ શેખ હસીના બાંગ્લાદેશથી નવી દિલ્હી ભાગી ગયા હતા જેણે તેમની 16 વર્ષની અવામી લીગ સરકારને તોડી પાડી હતી.

 

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More