India Canada Tensions: ભારતના પલટવારથી કેનેડાનું મોં બંધ – આતંકીઓનો અડ્ડો બન્યું કેનેડા, આક્ષેપો મુખ્યત્વે રાજકીય રીતે પ્રેરિત..

India Canada Tensions: ખાલિસ્તાન અલગતાવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને ભારત અને કેનેડા વચ્ચે ટકરાવ વધી રહ્યો છે. આ સમગ્ર મામલે ભારતીય વિદેશ મંત્રાલયે ફરી એકવાર પ્રતિક્રિયા આપી છે. સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા અરિન્દમ બાગચીએ ગુરુવારે જણાવ્યું હતું કે, જો કોઈ દેશ હોય જેને તેની પ્રતિષ્ઠા પર ધ્યાન આપવાની જરૂર હોય, તો મને લાગે છે કે તે કેનેડા છે. તે આતંકવાદીઓ, ઉગ્રવાદીઓ અને સંગઠિત અપરાધ માટે સુરક્ષિત આશ્રયસ્થાન છે.

by Hiral Meria
India Canada Tensions Canada is becoming a safe haven for terrorists and extremists India hits out at Trudeau

News Continuous Bureau | Mumbai 

India Canada Tensions: ખાલિસ્તાન (Khalistan) અલગતાવાદી હરદીપ સિંહ નિજ્જર (Hardeep singh nijjar) ની હત્યાને લઈને ભારત અને કેનેડા વચ્ચે ટકરાવ વધી રહ્યો છે. ભારતે ફરી એકવાર કહ્યું છે કે, કેનેડા આતંકવાદી (Terrorist) ગતિવિધિઓનું કેન્દ્ર બની ગયું છે. ભારતીય દૂતાવાસના કર્મચારીઓ ત્યાં સુરક્ષિત નથી. વિદેશ મંત્રાલયના ( Foreign ministry ) પ્રવક્તા અરિન્દમ બાગચીએ ગુરુવારે જણાવ્યું હતું કે, જો કોઈ દેશ હોય જેને તેની પ્રતિષ્ઠા પર ધ્યાન આપવાની જરૂર હોય, તો મને લાગે છે કે તે કેનેડા છે. તે આતંકવાદીઓ, ઉગ્રવાદીઓ અને સંગઠિત અપરાધ માટે સુરક્ષિત આશ્રયસ્થાન છે. આશ્રયસ્થાન તરીકે કેનેડાની પ્રતિષ્ઠા વધી છે. મને લાગે છે કે તે એક દેશ છે જેણે તેની આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા વિશે ચિંતા કરવાની જરૂર છે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચી (Arindam Bagchi) એ કહ્યું કે કેનેડામાં (આતંકવાદીઓને) સુરક્ષિત આશ્રય આપવામાં આવી રહ્યો છે. અમે ઈચ્છીએ છીએ કે કેનેડાની સરકાર આવું ન કરે. જેઓ પર આતંકવાદનો આરોપ છે તેમની સામે પગલાં લો અથવા તેમને ન્યાયનો સામનો કરવા માટે અહીં (ભારત) મોકલો… અમે કાં તો પ્રત્યાર્પણની વિનંતી કરી છે અથવા તે સંબંધિત સહાયની માંગ કરી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં અમે ઓછામાં ઓછા 20-25 વધુ વ્યક્તિઓ માટે વિનંતી કરી છે પરંતુ અમને કોઈ મળ્યું નથી.

કેનેડાના આરોપો રાજકીય રીતે પ્રેરિત

ભારતનું કહેવું છે કે કેનેડા સરકાર દ્વારા જે પણ આરોપો લગાવવામાં આવ્યા છે તે રાજકીય રીતે પ્રેરિત છે. મને લાગે છે કે અહીં અમુક અંશે પૂર્વગ્રહ છે. તેમણે કહ્યું કહ્યું, મને લાગે છે કે, અહીં અમુક અંશે પૂર્વગ્રહ છે. તેમણે આક્ષેપો કર્યા અને તેમના પર કાર્યવાહી કરી. અમને લાગે છે કે કેનેડા સરકારના આ આક્ષેપો મુખ્યત્વે રાજકીય રીતે પ્રેરિત છે.

આ સમાચાર પણ વાંચો :  EPFO Members Data: EPFOએ જુલાઈમાં બનાવ્યો નવો રેકોર્ડ ! આટલા લાખ નવા મેમ્બરોનો વધારો.. પે રોલ ડેટા રિલીઝ.. જાણો શું છે આ વધારાનું કારણ.. વાંચો વિગતવાર અહીં..

અગાઉ કેનેડાએ એક નિવેદન જારી કરીને કહ્યું હતું કે તે ભારતમાં તેના દૂતાવાસમાં સ્ટાફની સંખ્યામાં ઘટાડો કરી રહ્યું છે. આ અંગે પોતાની સાપ્તાહિક પ્રેસ કોન્ફરન્સમાં બાગચીએ કહ્યું કે, હા, અમે કેનેડાની સરકારને જાણ કરી છે કે અમારી પરસ્પર રાજદ્વારી હાજરીમાં સમાનતા હોવી જોઈએ. કેનેડામાં તેમની સંખ્યા આપણા કરતાં ઘણી વધારે છે… મને લાગે છે કે કેનેડિયન બાજુએ તેનો અભાવ હશે. તેમણે કહ્યું કે અમે કેનેડાને જાણ કરી છે કે તેઓ ભારતમાં જેટલા કર્મચારીઓ રાખે છે તેટલા જ કર્મચારીઓ કેનેડામાં રાખવા જોઈએ.

અમે હંમેશા કેનેડાને ગુનેગારોની માહિતી આપતા હતા – ભારત

વિદેશ મંત્રાલયે વધુમાં કહ્યું કે, અમે ઈચ્છીએ છીએ કે જો કેનેડા પાસે કોઈ ચોક્કસ માહિતી હોય તો તે અમને બતાવવામાં આવે, પરંતુ હજુ સુધી અમને કેનેડા તરફથી કોઈ ચોક્કસ માહિતી મળી નથી. અમારા તરફથી, કેનેડાની ધરતી પર સ્થિત વ્યક્તિઓ દ્વારા ગુનાહિત પ્રવૃત્તિઓ સંબંધિત ચોક્કસ પુરાવાઓ કેનેડા સાથે શેર કરવામાં આવ્યા છે પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More