301
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 7 ઓગસ્ટ 2021
શનિવાર
ભારતમાં કોરોના રસીકરણ અભિયાને એક મહત્વનો પડાવ પાર કર્યો છે.
દેશમાં રસીકરણનો આંકડો 50 કરોડને વટાવી ગયો છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે દેશમાં કોરોના રસીના અત્યાર સુધીમાં 50 કરોડથી વધુ ડોઝ લાગી ચૂક્યા છે. 40 કરોડથી 50 કરોડસુધી પહોંચવામાં માત્ર 20 દિવસ લાગ્યા છે.
રસીકરણ ડ્રાઈવનું આ માઈલ સ્ટોન પાર કરવા પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વખાણ કર્યા.
તેમણે ટ્વીટ કરીને કહ્યું કે તેમની સરકાર 'બધાને રસી મફત રસી' હેઠળ બધા નાગરિકોનું રસીકરણ સુનિશ્ચિત કરશે.
ઉલ્લેખનિય છે કે ભારતમાં કોરોના સામે રસીકરણ અભિયાન આ વર્ષે 16 જાન્યુઆરીથી શરૂ થયું હતું.
You Might Be Interested In