ભારતે કોરોના સામેની જંગમાં મહત્વનો પડાવ કર્યો પાર, રસીકરણનો આંકડો 50 કરોડ ઉપર પહોંચ્યો ; જાણો PM મોદીએ શું કહ્યું?

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 7 ઓગસ્ટ 2021

શનિવાર 

ભારતમાં કોરોના રસીકરણ અભિયાને એક મહત્વનો પડાવ પાર કર્યો છે.

દેશમાં રસીકરણનો આંકડો 50 કરોડને વટાવી ગયો છે.  

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે દેશમાં કોરોના રસીના અત્યાર સુધીમાં 50 કરોડથી વધુ ડોઝ લાગી ચૂક્યા છે. 40 કરોડથી 50 કરોડસુધી પહોંચવામાં માત્ર 20 દિવસ લાગ્યા છે. 

રસીકરણ ડ્રાઈવનું આ માઈલ સ્ટોન પાર કરવા પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વખાણ કર્યા. 

તેમણે ટ્વીટ કરીને કહ્યું કે તેમની સરકાર 'બધાને રસી મફત રસી' હેઠળ બધા નાગરિકોનું રસીકરણ સુનિશ્ચિત કરશે. 

ઉલ્લેખનિય છે કે ભારતમાં કોરોના સામે રસીકરણ અભિયાન આ વર્ષે 16 જાન્યુઆરીથી શરૂ થયું હતું.

ટ્વિટર અને કેન્દ્ર સરકાર વચ્ચેના વિવાદમાં આ વખતે એમ. એસ. ધોની ભોગ બન્યો, કંપનીએ ધોનીના ઍકાઉન્ટની બ્લૂ ટિક હટાવ્યા બાદ ફરી લગાવી; જાણો શું છે સમગ્ર મામલો

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More