Site icon News Continuous Bureau | Mumbai

ભારતે કોરોના સામેની જંગમાં મહત્વનો પડાવ કર્યો પાર, રસીકરણનો આંકડો 50 કરોડ ઉપર પહોંચ્યો ; જાણો PM મોદીએ શું કહ્યું?

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 7 ઓગસ્ટ 2021

Join Our WhatsApp Channel

શનિવાર 

ભારતમાં કોરોના રસીકરણ અભિયાને એક મહત્વનો પડાવ પાર કર્યો છે.

દેશમાં રસીકરણનો આંકડો 50 કરોડને વટાવી ગયો છે.  

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે દેશમાં કોરોના રસીના અત્યાર સુધીમાં 50 કરોડથી વધુ ડોઝ લાગી ચૂક્યા છે. 40 કરોડથી 50 કરોડસુધી પહોંચવામાં માત્ર 20 દિવસ લાગ્યા છે. 

રસીકરણ ડ્રાઈવનું આ માઈલ સ્ટોન પાર કરવા પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વખાણ કર્યા. 

તેમણે ટ્વીટ કરીને કહ્યું કે તેમની સરકાર 'બધાને રસી મફત રસી' હેઠળ બધા નાગરિકોનું રસીકરણ સુનિશ્ચિત કરશે. 

ઉલ્લેખનિય છે કે ભારતમાં કોરોના સામે રસીકરણ અભિયાન આ વર્ષે 16 જાન્યુઆરીથી શરૂ થયું હતું.

ટ્વિટર અને કેન્દ્ર સરકાર વચ્ચેના વિવાદમાં આ વખતે એમ. એસ. ધોની ભોગ બન્યો, કંપનીએ ધોનીના ઍકાઉન્ટની બ્લૂ ટિક હટાવ્યા બાદ ફરી લગાવી; જાણો શું છે સમગ્ર મામલો

India Boosts LPG Production Amid Hormuz Crisis દેશમાં વધતા જોખમને ધ્યાનમાં રાખીને એલપીજી ઉત્પાદન વધારવા સરકારનો મોટો નિર્ણય
Putin Arrives in Delhi for BRICS Summit BRICS સમિટમાં સામેલ થવા ભારત પહોંચ્યા પુતિન, સુખોઈથી લઈને ક્રૂડ ઓઈલ પર થઈ શકે છે મોટી ડીલ
BRICS Summit 2026 Delhi દિલ્હીમાં BRICS શિખર સંમેલનનો આજથી પ્રારંભ વડાપ્રધાન મોદીએ કર્યું સ્વાગત, પુતિન અને શી જિનપિંગની મુલાકાત પર દેશભરની નજર
DRI Wildlife Smuggling Crackdown ડીઆરઆઈનું દેશવ્યાપી અભિયાન વન્યજીવ તસ્કરીમાં બે દીપડાની ચામડી અને ૧૮૦ જીવતા કાચબા જપ્ત, ૧૩ ઝડપાયા
Exit mobile version