Site icon

India-EU FTA: ભારત-EU વ્યાપાર સમજૂતી: ખેડૂતોના હિતમાં મોદી સરકારનો મોટો નિર્ણય; ડેરી, ચોખા અને ઘઉં પર આયાત ડ્યુટીમાં કોઈ છૂટ નહીં

India-EU FTA: નાના અને સીમાંત ખેડૂતોની આજીવિકા બચાવવા સરકારે ખેંચી લક્ષ્મણ રેખા; ચા, કોફી અને જેનિટિકલી મોડિફાઈડ (GM) પ્રોડક્ટ્સને પણ સુરક્ષિત રખાઈ.

India-EU FTA Modi Govt Safeguards Farmers, Refuses Import Duty Cuts on Dairy, Rice, and Wheat

India-EU FTA Modi Govt Safeguards Farmers, Refuses Import Duty Cuts on Dairy, Rice, and Wheat

News Continuous Bureau | Mumbai

 India-EU FTA: ભારત અને યુરોપિયન યુનિયન (EU) વચ્ચેના મુક્ત વ્યાપાર કરાર (FTA) ની વાટાઘાટોમાં ભારત સરકારે પોતાની શરતો પર મક્કમ રહીને ખેડૂતોને મોટી સુરક્ષા આપી છે. વાણિજ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ભારતે ડેરી, ઘઉં, ચોખા, દાળ, ચા અને કોફી જેવા અત્યંત સંવેદનશીલ કૃષિ ક્ષેત્રોને આયાત ડ્યુટીમાં કોઈ પણ પ્રકારની રાહત આપી નથી. આનો અર્થ એ છે કે યુરોપના દેશો આ પ્રોડક્ટ્સ સસ્તા ભાવે ભારતીય બજારમાં ઉતારી શકશે નહીં, જેનાથી સ્થાનિક ખેડૂતોને નુકસાન થવાની સંભાવના ટળી ગઈ છે.આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ એ છે કે ભારતના કરોડો નાના અને સીમાંત ખેડૂતોની આજીવિકા આ ક્ષેત્રો પર નિર્ભર છે. ખાસ કરીને ડેરી સેક્ટર ભારત માટે હંમેશાથી સંવેદનશીલ રહ્યું છે. ભારતે અગાઉના કોઈ પણ FTA માં ડેરી ક્ષેત્રને આયાત ડ્યુટીમાં છૂટ આપી નથી અને ભવિષ્યમાં પણ આ સેક્ટરને સુરક્ષિત રાખવાની ખાતરી આપી છે.

Join Our WhatsApp Community

કયા પ્રોડક્ટ્સ પર ભારત હજુ પણ વસૂલશે પૂરો ટેક્સ?

ભારતે નીચે મુજબના સંવેદનશીલ સેક્ટર્સને આ સમજૂતીના દાયરાથી બહાર રાખીને સુરક્ષિત કર્યા છે:
ડેરી અને ડેરી પ્રોડક્ટ્સ: દૂધ, પનીર (Cheese) અને અન્ય દૂધની બનાવટો.
અનાજ: ચોખા, ઘઉં અને મકાઈ (Maize).
પીણાં: ચા અને કોફી.
ખાદ્ય તેલ અને અન્ય: ખાદ્ય તેલ, ફળો, શાકભાજી, મસાલા અને તમાકુ.
મરીન પ્રોડક્ટ્સ: માછલી અને સમુદ્રી ખાદ્ય પદાર્થો.
જેનિટિકલી મોડિફાઈડ (GM) પ્રોડક્ટ્સ: પર્યાવરણ અને સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને આ ઉત્પાદનો પર પણ ડ્યુટી હટાવવામાં આવી નથી.

આ સમાચાર પણ વાંચો :  Ajit Pawar Funeral: ‘દાદા’ ની અંતિમ વિદાય: આજે પંચતત્વમાં વિલીન થશે અજિત પવાર, પૂર્ણ રાજકીય સન્માન સાથે થશે અંતિમ સંસ્કાર

EU એ પણ કયા સેક્ટર્સને સુરક્ષિત રાખ્યા?

સામે પક્ષે યુરોપિયન યુનિયનના 27 દેશોના જૂથે પણ પોતાની અર્થવ્યવસ્થાને બચાવવા માટે કેટલાક સેક્ટર્સને આ ડીલમાંથી બહાર રાખ્યા છે. જેમાં મુખ્યત્વે માંસ અને તેને લગતા ઉત્પાદનો, મધ (Honey), ચોખા, ડેરી પ્રોડક્ટ્સ, ખાંડ (Sugar) અને તમાકુ જેવી ચીજવસ્તુઓનો સમાવેશ થાય છે. આ સમજૂતી આ વર્ષે જ સાઈન થાય અને લાગુ થાય તેવી પ્રબળ શક્યતા છે.

ભારતીય ખેડૂતોને ક્યાં થશે સીધો ફાયદો?

ભલે ભારતે આયાત પર ટેક્સ ચાલુ રાખ્યો હોય, પરંતુ આ FTA થી ભારતની નિકાસને મોટો વેગ મળશે. ભારતના આશરે 87% કૃષિ ઉત્પાદનોને યુરોપિયન માર્કેટમાં ‘પ્રેફરન્શિયલ માર્કેટ એક્સેસ’ મળશે. આનો અર્થ એ છે કે ભારતના મસાલા, દ્રાક્ષ, ચા અને કોફી જેવા ઉત્પાદનો પર યુરોપમાં ઓછી ડ્યુટી લાગશે અથવા બિલકુલ નહીં લાગે, જેનાથી ભારતીય ખેડૂતોની આવક વધશે.

સમુદ્રી ઉત્પાદનો માટે ખુલશે મોટું બજાર

યુરોપિયન યુનિયન હાલમાં સમુદ્રી ઉત્પાદનો પર 0 થી 26% સુધીની ડ્યુટી વસૂલે છે, જેમાં આ સમજૂતી બાદ ઘટાડો કરવામાં આવશે. યુરોપનું સમુદ્રી આયાત બજાર આશરે 4.67 લાખ કરોડ રૂપિયાનું છે, જેમાં ભારતનો હિસ્સો વધવાથી માછીમારો અને સી-ફૂડ એક્સપોર્ટર્સને સીધો આર્થિક ફાયદો થશે.

Pilot Shambhavi Pathak:દિલ્હીના પરિવાર પર આભ તૂટ્યું: પાઈલટ દીકરીના લગ્નની કંકોત્રી છપાવાની હતી અને કાળમુખી દુર્ઘટનાએ માતમ ફેલાવ્યો
New Rules from February 1st: ૧ ફેબ્રુઆરી ૨૦૨૬થી અમલી બનશે આ ૫ નવા નિયમો, LPG ના ભાવ અને પાન-મસાલા પરની ડ્યુટીમાં ફેરફારની શક્યતા
Ajit Pawar Plane Crash: અજીત પવારનું મોત કે રાજકીય ષડયંત્ર? વકીલ નીતિન સાતપુતેએ અકસ્માત સામે ઉઠાવ્યા સવાલો, CBI તપાસની માંગ
Budget Session 2026: રાષ્ટ્રપતિ મુર્મુએ સંસદમાં ગણાવ્યા 11 વર્ષના આર્થિક લેખાજોખા,મજબૂત બેંકિંગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર આપ્યો ભાર
Exit mobile version