Site icon

દેશમાં કોરોના ફરી ઘાતક બન્યો, એક જ દિવસમાં મહામારીના કારણે આટલા બધા દર્દીઓના નિપજ્યા મોત, પોઝિટીવીટી રેટ વધીને 6.78% થયો.. જાણો આજના લેટેસ્ટ આંકડા..

છેલ્લા 24 કલાકમાં કોરોનાના 10 હજાર 753 નવા કેસ નોંધાયા છે, જે બાદ દેશમાં સક્રિય કેસની સંખ્યા વધીને 53 હજાર 720 થઈ ગઈ છે.

India Records 10,753 Fresh Covid Cases, 27 Deaths

દેશમાં કોરોના ફરી ઘાતક બન્યો, એક જ દિવસમાં મહામારીના કારણે આટલા બધા દર્દીઓના નિપજ્યા મોત, પોઝિટીવીટી રેટ વધીને 6.78% થયો.. જાણો આજના લેટેસ્ટ આંકડા..

News Continuous Bureau | Mumbai

દેશમાં કોરોનાના કેસ ફરી એકવાર પોતાની ઝડપ પકડી રહ્યા છે, જેના કારણે કેન્દ્ર સહિત રાજ્ય સરકારોની ચિંતા વધી રહી છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 10 હજાર 753 નવા કેસ નોંધાયા છે, જે બાદ દેશમાં સક્રિય કેસની સંખ્યા વધીને 53 હજાર 720 થઈ ગઈ છે.

Join Our WhatsApp Community

ગઈકાલ (14 એપ્રિલ)ના આંકડાની સરખામણી કરીએ તો શુક્રવારે કોરોના કેસની સંખ્યા 11 હજાર 109 હતી, જે આજે ઓછી છે. જોકે, આજે મૃત્યુઆંક ગઈકાલ કરતાં વધુ છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 27 લોકોના મોત થયા છે. આ દરમિયાન મહારાષ્ટ્રમાં સૌથી વધુ મૃત્યુ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં મૃત્યુ પામેલા દર્દીઓની સંખ્યા 4 છે.

દેશમાં 6.78%ની ઝડપે વધી રહ્યો છે કોવિડ

કોરોના સંક્રમણ સંબંધિત સ્વાસ્થ્ય મંત્રાલયના તાજેતરના આંકડા અનુસાર દેશમાં દરરોજ 6.78 ટકાના દરે કોરોના સંક્રમણના કેસ વધી રહ્યા છે. દેશમાં આ વૈશ્વિક રોગચાળાના ચેપનો સાપ્તાહિક દર 4.49 ટકા છે. તે જ સમયે, કોવિડ-19થી સંક્રમિત લોકોની કુલ સંખ્યા વધીને 4,48,08,022 થઈ ગઈ છે.

આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્રમાં ગમે ત્યારે રાજકીય ભૂકંપ? ઉદ્ધવ ઠાકરેની શરદ પવાર સાથેની મુલાકાત બાદ આજે બંને મોટા નેતાઓ ફરી મુલાકાત કરશે

98.69% દર્દીઓ સાજા થયા

સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં કોરોના સંક્રમણની સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યા કુલ કેસના 0.12 ટકા છે. તે જ સમયે, દર્દીઓના સાજા થવાનો રાષ્ટ્રીય દર 98.69 ટકા છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, ભારતમાં અત્યાર સુધીમાં કુલ 4,42,23,211 લોકો કોરોના સંક્રમણથી સાજા થયા છે, જ્યારે કોવિડ-19થી મૃત્યુદર 1.19 ટકા છે. સ્વાસ્થ્ય મંત્રાલયની વેબસાઈટ અનુસાર, દેશમાં રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં કોવિડ-19 વિરોધી રસીના 220.66 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.

LPG Rule Change: ઈરાન યુદ્ધની અસર હવે રસોડા સુધી! ગેસની અછત રોકવા સરકાર એક્શન મોડમાં; LPG સિલિન્ડરના બુકિંગ માટે નવો નિયમ લાગુ.
Earthquake Tremors Near Delhi-NCR: ફરી ધ્રુજી દિલ્હી-NCR ની ધરતી! હરિયાણાના રેવાડીમાં ભૂકંપનું કેન્દ્ર નોંધાયું, સવાર-સવારમાં આંચકા અનુભવાતા લોકોમાં મચ્યો હાહાકાર.
Sanjay Raut on President Murmu: “રાષ્ટ્રપતિનું મૌન દેશ માટે ઘાતક!” સંજય રાઉતે મણિપુર હિંસા મુદ્દે રાષ્ટ્રપતિ પર સાધ્યું નિશાન; આદિવાસી મહિલાઓનો ઉલ્લેખ કરી પૂછ્યા આકરા સવાલ
Om Birla Removal Process: શું ઓમ બિરલા સ્પીકર પદેથી હટશે? વિપક્ષના અવિશ્વાસ પ્રસ્તાવ પાછળનું શું છે ગણિત; જાણો બંધારણીય પ્રક્રિયા અને નિયમો.
Exit mobile version