Site icon

દેશમાં કોરોનાના કેસમાં મોટો ઘટાડો પણ મૃત્યુ આંક આજે વધ્યો, છેલ્લા 24 કલાકમાં આટલા લાખ નવા કેસ આવ્યા; જાણો આજે કેટલા લોકોઈ ગુમાવ્યો જીવ 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 4 ફેબ્રુઆરી 2022          

Join Our WhatsApp Community

શુક્રવાર

ભારતમાં કોરોનાનાં કેસ દિનપ્રતિદિન ઘટી રહ્યા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના એક લાખ 49 હજાર 394 કેસ સામે આવ્યા છે. ગુરૂવારની તુલનામાં શુક્રવારે નવા કેસમાં 13 ટકાનો ઘટાડો થયો છે. ગુરૂવારે એક લાખ 72 હજાર 433 કેસ સામે આવ્યા હતા.આ સાથે દેશમાં પોઝિટીવીટી રેટ હવે 9.27 ટકા છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર કરેલા આંકડા પ્રમાણે દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના એક લાખ 49 હજાર 394 કેસ સામે આવ્યા છે અને 1072 લોકોના મૃત્યુ થયા છે. સાથે જ એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 14 લાખ 35 હજાર 569 થઈ ગઈ છે. તો મહામારીમાં મૃત્યુ પામનાર લોકોની સંખ્યા વધીને 5 લાખ 55 થઈ ગઈ છે.  આ દરમિયાન બે લાખ 46 હજાર 674 લોકો સાજા થયા છે. દેશમાં અત્યાર સુધી 4 કરોડ 17 હજાર 88 લોકો સંક્રમણથી મુક્ત થયા છે. 

'રોકી ઔર રાની કી પ્રેમ કહાની'ના સ્ટાર્સ પર કોરોના ગ્રહણ, શબાના આઝમી પછી આ અભિનેત્રી બની કોરોના પોઝિટિવ ; જાણો વિગત 

રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધી કોરોના રસીના 168 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. કાલે 55 લાખ 58 હજાર 760 ડોઝ આપવામાં આવ્યા હતા. આમ અત્યાર સુધી દેશમાં 168 કરોડ 47 લાખ 16 હજાર 68 રસીના ડોઝ આપવામાં આવ્યા છે.

Wagah Border: પાકિસ્તાને આટલા ભારતીય હિન્દુ શ્રદ્ધાળુઓને વાઘા બોર્ડર પર રોક્યા, શીખો સાથે જવાની ન આપી મંજૂરી
Team India: ઢોલ-નગારા સાથે ‘વર્લ્ડ ચેમ્પિયન્સ’નું દિલ્હીમાં ગ્રાન્ડ વેલકમ! વિજય બાદ PM મોદીને મળવા પહોંચી ટીમ ઇન્ડિયા, રાષ્ટ્રીય ગૌરવની ક્ષણ.
Rahul Gandhi: રાહુલ ગાંધીનો ‘હાઇડ્રોજન બોમ્બ’: ‘હરિયાણામાં ૨૫ લાખ વોટની ચોરી, બિહારમાં પણ એવું જ થશે’, વિપક્ષે કર્યા સૌથી મોટા આક્ષેપ.
Mirzapur train accident: મિર્ઝાપુરમાં કરુણ દુર્ઘટના: ચૂનાર રેલવે સ્ટેશન પર ટ્રેનની અડફેટે આવતા આટલા લોકોના દર્દનાક મોત,
Exit mobile version