Site icon News Continuous Bureau | Mumbai

દેશમાં કોરોનાના કેસમાં મોટો ઘટાડો પણ મૃત્યુ આંક આજે વધ્યો, છેલ્લા 24 કલાકમાં આટલા લાખ નવા કેસ આવ્યા; જાણો આજે કેટલા લોકોઈ ગુમાવ્યો જીવ 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 4 ફેબ્રુઆરી 2022          

Join Our WhatsApp Channel

શુક્રવાર

ભારતમાં કોરોનાનાં કેસ દિનપ્રતિદિન ઘટી રહ્યા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના એક લાખ 49 હજાર 394 કેસ સામે આવ્યા છે. ગુરૂવારની તુલનામાં શુક્રવારે નવા કેસમાં 13 ટકાનો ઘટાડો થયો છે. ગુરૂવારે એક લાખ 72 હજાર 433 કેસ સામે આવ્યા હતા.આ સાથે દેશમાં પોઝિટીવીટી રેટ હવે 9.27 ટકા છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર કરેલા આંકડા પ્રમાણે દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના એક લાખ 49 હજાર 394 કેસ સામે આવ્યા છે અને 1072 લોકોના મૃત્યુ થયા છે. સાથે જ એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 14 લાખ 35 હજાર 569 થઈ ગઈ છે. તો મહામારીમાં મૃત્યુ પામનાર લોકોની સંખ્યા વધીને 5 લાખ 55 થઈ ગઈ છે.  આ દરમિયાન બે લાખ 46 હજાર 674 લોકો સાજા થયા છે. દેશમાં અત્યાર સુધી 4 કરોડ 17 હજાર 88 લોકો સંક્રમણથી મુક્ત થયા છે. 

'રોકી ઔર રાની કી પ્રેમ કહાની'ના સ્ટાર્સ પર કોરોના ગ્રહણ, શબાના આઝમી પછી આ અભિનેત્રી બની કોરોના પોઝિટિવ ; જાણો વિગત 

રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધી કોરોના રસીના 168 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. કાલે 55 લાખ 58 હજાર 760 ડોઝ આપવામાં આવ્યા હતા. આમ અત્યાર સુધી દેશમાં 168 કરોડ 47 લાખ 16 હજાર 68 રસીના ડોઝ આપવામાં આવ્યા છે.

Champat Rai and Anil Mishra Resignation રામ મંદિર ટ્રસ્ટમાં મોટો ફેરફાર ચંપત રાય અને અનિલ મિશ્રાના રાજીનામા મંજૂર, ચંદા ચોરીના આક્ષેપો વચ્ચે લેવાયો નિર્ણય
PM Modi’s ThreeNation Visit વડાપ્રધાન મોદી ત્રણ દેશોના પ્રવાસે રવાના, ઇન્ડોનેશિયાથી કરશે પ્રવાસની શરૂઆત!
Champat Rai Ram Mandir Trust Meeting અયોધ્યામાં રામ મંદિર ટ્રસ્ટની મહત્વની બેઠક, ચંપત રાયના ભવિષ્ય પર લેવાઈ શકે છે મોટો નિર્ણય
E20 Ethanol Fuel E20 ઈથેનોલ પેટ્રોલને લઈને સોશિયલ મીડિયા પર ફેલાયેલા ભ્રમનો અંત, સરકાર અને ઓટો કંપનીઓએ આપી સ્પષ્ટતા
Exit mobile version