Site icon News Continuous Bureau | Mumbai

ઈતિહાસમાં પહેલી વાર ભારત હોંગકોંગ મુદ્દે બોલ્યું, ચીનની દુખતી નસ દબાવી…

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Channel

2 જુલાઈ 2020

ચીને લદાખમાં કરેલી ઘુસપેઠ બાદ પાઠ ભણાવવા માટે ભારત તેને વ્યૂહાત્મક અને આર્થિક બંને મોરચે ઘેરી ચુક્યું છે. અત્યાર સુધી દાદાગીરી બતાવી રહેલા ચીનની 59 એપ્સ પર ભારતમાં પ્રતિબંધ લાગ્યા બાદ તે સમસમી ગયું છે.

બુધવારે જિનેવામાં સંયુક્ત રાષ્ટ્ર માનવઅધિકાર પરિષદ (UNHRC)માં ભારતે કહ્યું કે, “હોંગકોંગને સ્પેશલ એડમિનિસ્ટ્રેટિવ રીજન બનાવવું ચીનનો ઘરેલું મુદ્દો છે. પરંતું અત્યારની ઘટનાઓ જોતાં ચિંતા થાય છે. અમને આશા છે કે સંબંધિત પક્ષ આ વાતનું ધ્યાન રાખશે અને આનું ઉચિત, ગંભીર અને નિષ્પક્ષ સમાધાન કરશે.” એમ જિનેવામાં ભારતનાં સ્થાયી પ્રતિનિધિ રાજીવ ચંદરે કહ્યું છે.

ભારતે આ નિવેદન દુનિયામાં માનવ અધિકારની સ્થિતિ પર થઈ રહેલી ચર્ચા દરમિયાન આપ્યું છે. ભારત પહેલીવાર હોંગકોંગ મુદ્દે બોલ્યું છે. કારણકે એલએસી પર ચીનનાં આક્રમક વલણ અને ગત મહિને ગલવાન ખીણમાં ભારત અને ચીનનાં સૈનિકો વચ્ચે થયેલી હિંસક મારામારી બાદ ભારતનું આ નિવેદન સામે આવ્યું છે. બંને દેશો વચ્ચે છેલ્લા એક મહિનાથી પણ વધારે સમયથી લદ્દાખમાં તણાવ ચાલી રહ્યો છે.

Quad (ભારત, અમેરિકા, જાપાન અને ઑસ્ટ્રેલિયા) રાષ્ટ્રોમાં ફક્ત ભારત એક એવો દેશ છે જેણે હોંગકોંગ મુદ્દા પર અત્યાર સુધી કંઇ નથી કહ્યું….

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/38gxlQ1 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com     

Railway passengers ઓનલાઇન જનરલ ટિકિટ લીધી હોય તો આ ભૂલ ન કરતા, સીધો લાગશે 500 રૂપિયા દંડ
TMC rebel MPs લોકસભા અધ્યક્ષે 20 બાગી સાંસદોને અયોગ્યતા કેસમાં જવાબ આપવા આ તારીખ સુધી વધારાનો સમય આપ્યો, મહુઆ મોઇત્રાએ વ્યક્ત કર્યું આશ્ચર્ય
Congress Questions Ram Mandir CEO ‘ઓપરેશન સિંદુરમાં કોઈ સત્ય તો નથી છુપાયેલું?’, રામ મંદિર ટ્રસ્ટના CEO પર કોંગ્રેસે ઉઠાવ્યા ગંભીર સવાલ
Satyendar Jain Bail Delhi Jal Board Scam એસટીપી કૌભાંડ કેસમાં સત્યેન્દ્ર જૈનને મોટી કાનૂની રાહત, જામીન મળતા રાજકારણમાં ગરમાવો
Exit mobile version