BrahMos Missile: ભારત કરશે વિશ્વની રક્ષા… સંરક્ષણ નિકાસમાં હવે આ મિસાઈલનું પણ થશે વેચાણ, ઘણા દેશોમાં વધી માંગ..

BrahMos Missile: દવા, રાશન અને વિવિધ જરુરિયાત મુજબ ભારત બહારના દેશોને દરેક વસ્તુઓની નિકાસ કરી રહ્યું. ત્યારે ભારત હવે સંરક્ષણ શસ્ત્ર પણ નિકાસ કરવાની યોજના બનાવી રહ્યું છે.

by Bipin Mewada
India will now also export BrahMos Missile in defense exports,the demand for this missile has increased in many countries

News Continuous Bureau | Mumbai 

BrahMos Missile: વિશ્વમાં તબીબી ઉપકરણો, રાશન સહિતની દરેક વસ્તુની નિકાસ કર્યા પછી, ભારત હવે બ્રહ્મોસ મિસાઇલ જેવી ઉત્તમ શસ્ત્ર પ્રણાલી પણ નિકાસ ( Export ) કરશે. DRDOના અધ્યક્ષે આ માહિતી આપી છે. તેમણે ગુરુવારે કહ્યું હતું કે ભારત આગામી 10 દિવસમાં બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલની ( supersonic cruise missile ) ગ્રાઉન્ડ સિસ્ટમની નિકાસ શરૂ કરશે. આ પછી આ વર્ષે માર્ચથી ક્રૂઝ મિસાઈલની નિકાસ પણ શરૂ થવાની છે. તેમણે વધુમાં કહ્યું હતું કે અમે ફિલિપાઈન્સમાં ( Philippines ) ઘણા હથિયારોની નિકાસ કરી છે. હવે કેટલાક અન્ય દેશો પણ તેની નિકાસની માંગ કરી રહ્યા છે. 

એક અહેવાલ મુજબ, ભારત 10 દિવસની અંદર બ્રહ્મોસની ગ્રાઉન્ડ સિસ્ટમ ફિલિપાઈન્સમાં મોકલશે. આ પછી માર્ચ સુધીમાં મિસાઈલ પણ મોકલવામાં આવશે. લગભગ રૂ. 4.94 લાખ કરોડના મૂલ્યના DRDO ઉત્પાદનો માટે રસ દર્શાવવામાં આવ્યો છે. તેમજ ભારતને પહેલા કરતા વધુ ઓર્ડર મળ્યા છે, છેલ્લા 5 વર્ષની સરખામણીમાં નિકાસની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે. તેથી એવો અંદાજ છે કે અત્યાર સુધીની કુલ નિકાસમાંથી લગભગ 70 ટકા શસ્ત્રોની નિકાસ છેલ્લા 5 થી 7 વર્ષમાં જ થઈ છે.

 ભારતે 2023માં પણ સંરક્ષણ નિકાસમાં ( defense export )  તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા..

અહેવાલમાં વધુ જણાવ્યા મુજબ, આગામી કેટલાક વર્ષોમાં ભારતીય તમામ હથિયારો વિદેશી સેનાઓમાં જોડવામાં આવશે. આ ઉપરાંત આકાશ મિસાઈલ, અર્જુન ટેન્ક, હળવા એરક્રાફ્ટ જેવા વિવિધ સંરક્ષણ સાધનોની પણ નિકાસ કરવામાં આવશે. ઘણા દેશોએ આમાં રસ દાખવ્યો છે. ઉલ્લેખનીય છે કે ભારત આર્મેનિયા જેવા દેશોમાં પહેલાથી જ હથિયારોની નિકાસ કરી રહ્યું છે. ભારતના સંરક્ષણ ક્ષેત્ર માટે આ એક મોટી છલાંગ છે.

આ સમાચાર પણ વાંચો : Stock Market: શેરબજારમાં આજે સેનસેક્સમાં મોટો કડાકો.. રોકાણકારોએ માત્ર 3 કલાકમાં અધધ આટલા લાખ કરોડ ગુમાવ્યા..

નોંધનીય છે કે, ભારતે 2023માં પણ સંરક્ષણ નિકાસમાં તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા. ભારતે વિશ્વના દેશોને લગભગ 16 હજાર કરોડ રૂપિયાના શસ્ત્રો વેચ્યા હતા. આ અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો હતો. આ પહેલા 2022માં પણ 13 હજાર કરોડ રૂપિયાની શસ્ત્ર ડીલ થઈ હતી. ભારતમાં સંરક્ષણ ઉત્પાદન પણ ઐતિહાસિક સ્તરે પહોંચી ગયું છે. આંકડાઓ અનુસાર, ભારતમાં પહેલીવાર 1 લાખ કરોડ રૂપિયાનું સંરક્ષણ ઉત્પાદન થયું છે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More