ભારતનો પાકિસ્તાનને મુંહતોડ જવાબ, ભારતીય સેનાએ પાકિસ્તાનની 10 ચેક પોસ્ટ ઉડાવી

by Dr. Mayur Parikh

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
12 જુન 2020
શસ્ત્રવિરામ ભંગ બદલ ભારતીય સેનાએ પાકિસ્તાનને ફરી એકવાક આક્રમક જવાબ આપ્યો છે. ગુરુવારે, ભારતીય સેનાએ પીઓકેમાં એલઓસીને અડીને 10 પાકિસ્તાની સૈન્ય ચોકીઓને નષ્ટ કરી હતી. હકીકતમાં, પાકિસ્તાની સેનાએ જમ્મુ-કાશ્મીરના રાજૌરી અને પૂંચ સેક્ટરમાં ગોળીબાર કર્યો હતો, જેમાં એક ભારતીય સૈનિકનું મોત નીપજ્યું હતું. અહેવાલો અનુસાર, સેનાએ સરહદ પારની પાકિસ્તાનની આર્મી ચોકીઓને ભારે નુકસાન પહોંચાડ્યું હતું. બુધવારે રાત્રે દસ વાગ્યે પાક આર્મીએ રાજૌરીના તરકુંડી સેક્ટરમાં ભારે ફાયરિંગ શરૂ કરી હતી. પાકિસ્તાને ભારતીય સેનાની આગળની ચોકીઓને નિશાન બનાવીને રહેણાંક વિસ્તારોને નિશાન બનાવીને મોર્ટાર ફાયરિંગ શરૂ કરી દીધું હતું. સેનાના સૂત્રોએ પુષ્ટિ કરી હતી કે યુદ્ધવિરામના ઉલ્લંઘનમાં ઓછામાં ઓછા એક ભારતીય સૈનિકે પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ હુમલાનો બદલો લેવા ભારતીય સેનાએ શ્રેણીબદ્ધ સચોટ અને અસરકારક ગોળીબાર શરૂ કર્યો હતો અને રાજૌરી સેક્ટરમાં પાકિસ્તાનની સૈન્યની અનેક ચોકીઓનો નાશ કર્યો હતો. જોકે, આ પહેલીવાર નથી જ્યારે ભારતીય સેનાએ પાકિસ્તાની સૈન્ય પર સચોટ હુમલો કર્યો છે, જે એલઓસીની ભારતીય બાજુ પર નાગરિક વસ્તીને નિશાન બનાવવા માટે કુખ્યાત છે….

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More