ભારતનું ‘મિશન એરલિફ્ટ’, ભારત આ જગ્યાએ બે વિમાન મોકલીને યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને રેસ્ક્યુ કરાશે, જાણો સરકારનું આયોજન

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 25 ફેબ્રુઆરી 2022,  

શુક્રવાર

રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થવાને કારણે યુક્રેનમાં ફસાયેલા હજારો ભારતીયો માટે સારા સમાચાર છે. 

યુક્રેનમાં ફસાયેલા લોકોને બચાવવા માટે ભારત સરકારે એર ઈન્ડિયાના 2 એરક્રાફ્ટ મોકલવાનો નિર્ણય લીધો છે. 

આ બંને એરક્રાફ્ટ શનિવારે સવારે 2 વાગ્યે ઉડાન ભરશે અને રોમાનિયાની રાજધાની બુકારેસ્ટથી લોકોને એરલિફ્ટ કરશે.

ભારતીય સ્થળાંતર ટીમો રોમાનિયાની સરહદો પર પહોંચી ગઈ છે, જ્યાંથી યુક્રેનની રાજધાની કિવ માત્ર 12 કલાકના ડ્રાઈવિંગ દ્વારા પહોંચી શકાય છે.

રેસ્ક્યુ ટીમ ભારતીય લોકોને બુકારેસ્ટ લાવશે. આ પછી આ લોકો પ્લેનમાં ચડશે. 

નાગરિક ઉડાન માટે એરસ્પેસ બંધ હોવાથી, ભારતીય નાગરિકો સુરક્ષિત રીતે ઘરે પરત ફરવા માટે બુકારેસ્ટની ફ્લાઈટમાં સવાર થશે.

દેશમાં મહામારીનું  સંક્રમણ ઘટતા ગૃહ મંત્રાલયે રાજ્યોને લખ્યો પત્ર, આ પ્રવૃત્તિઓમાં છૂટ આપવાની આપી સૂચના; જાણો વિગતે 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More