Site icon

Indian Navy Rescue Operation: લાઇબેરિયાના જહાજ પર ફરીથી થયો ડ્રોન હુમલો, પછી ભારતીય નેવી આવી મદદે, બચાવ્યા 21 લોકોના જીવ; જુઓ વિડીયો..

Indian Navy Rescue Operation: ભારતીય નૌકાદળે એડનના અખાતમાં ડ્રોન અથવા મિસાઇલ હુમલાનો ભોગ બનેલા લાઇબેરિયન ધ્વજવાળા કન્ટેનર જહાજને મદદ કરી છે અને તેમાં સવાર 13 ભારતીયો સહિત 23 લોકોને બચાવ્યા છે. ભારતીય નૌસેના દ્વારા આ માહિતી આપવામાં આવી છે. ભારતીય નૌકાદળની વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર, લાઈબેરિયાના ધ્વજ હેઠળ એમએસકે સ્કાય II નામના કન્ટેનર જહાજે મદદ માંગી હતી.

Indian Navy Rescue Operation Indian Navy comes to rescue of missile hit ship in Gulf of Aden

Indian Navy Rescue Operation Indian Navy comes to rescue of missile hit ship in Gulf of Aden

News Continuous Bureau | Mumbai

Indian Navy Rescue Operation: છેલ્લા કેટલાક દિવસથી દરિયાની મધ્યમાં વાણિજ્યિક જહાજો પર સતત હુમલા ( Attack ) ઓ ચાલુ છે. પરંતુ ભારતીય નૌસેના ( Indian Navy ) આ હુમલાઓનો જડબાતોડ જવાબ આપી રહી છે. ભારતીય નૌકાદળના INS કોલકાતા ( INS Kolkata ) એ એડન ( Aden ) ના અખાતમાં એક વ્યાવસાયિક જહાજના ક્રૂને બચાવ્યો. આ જહાજ ( Boat ) પર ડ્રોન હુમલો થયો હતો. જ્યારે નેવીને આના સમાચાર મળ્યા તો તરત જ મદદ મોકલવામાં આવી. ભારતીય નેવીએ હેલિકોપ્ટર અને બોટની મદદથી 21 ક્રૂના જીવ બચાવ્યા ( rescue ) . આ પહેલા પણ ભારતીય નેવીએ અદલ ગલ્ફ ( Gulf ) માં ડ્રોન હુમલામાં મદદ કરી હતી.

Join Our WhatsApp Community

બલ્ક કેરિયર એમવી ટ્રુ કોન્ફિડન્સ પર  ડ્રોન/મિસાઇલ દ્વારા હુમલો 

મીડિયા રિપોર્ટ મુજબ ભારતીય નૌકાદળે તેના નિવેદનમાં જણાવ્યું હતું કે બાર્બાડોસ-ધ્વજવાળા બલ્ક કેરિયર એમવી ટ્રુ કોન્ફિડન્સ પર એડનની ખાડીના દક્ષિણ-પશ્ચિમમાં લગભગ 55 નોટિકલ માઇલ દૂર ડ્રોન/મિસાઇલ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાના કારણે જહાજમાં આગ લાગી હતી અને ક્રૂના કેટલાક સભ્યો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આગ એટલી ભયાનક હતી કે ક્રૂને લાઈફ બોટ લઈને દરિયામાં કૂદી પડવું પડ્યું હતું.

જુઓ વિડીયો 

પોતાનો જીવ બચાવવા માટે તેમણે ભારતીય નૌકાદળને મદદ માટે અપીલ કરી. આ પછી ભારતીય નૌકાદળના INS કોલકાતાની એન્ટ્રી થઈ. નેવીએ જણાવ્યું કે INS કોલકાતા તરત જ ઘટનાસ્થળે પહોંચી અને ભારતીય નાગરિક સહિત 21 ક્રૂ સભ્યોને બચાવવા માટે તેના હેલિકોપ્ટર અને બોટનો ઉપયોગ કર્યો. આ દરમિયાન યુદ્ધ જહાજ પર હાજર મેડિકલ ટીમે ઘાયલ ક્રૂ મેમ્બર્સની સારવાર શરૂ કરી હતી.

13 ભારતીયો સહિત તમામ 23 ક્રૂ મેમ્બર સુરક્ષિત 

આવી જ એક ઘટના બે દિવસ પહેલા એટલે કે 4 માર્ચે પ્રકાશમાં આવી હતી. એડનના અખાતમાં જ લાઇબેરિયન ધ્વજવાળા વ્યાપારી જહાજ પર ડ્રોન વડે હુમલો કરવામાં આવ્યો હતો. ભારતીય નૌસેનાએ પણ આમાં મદદ કરી હતી. ભારતીય નૌસેનાએ બુધવારે જણાવ્યું હતું કે 13 ભારતીય નાગરિકો સહિત કાર્ગો જહાજના 23 સભ્યોના ક્રૂ સુરક્ષિત છે. વાણિજ્યિક જહાજ MSC સ્કાય-2 પર 4 માર્ચે IST સાંજે 7 વાગ્યે એડનથી 90 નોટિકલ માઇલ દક્ષિણ-પૂર્વમાં કથિત રીતે હુમલો કરવામાં આવ્યો હતો. ભારતીય નૌસેનાએ જહાજ માટે યુદ્ધ જહાજ INS કોલકાતા તૈનાત કરી હતી.

આ સમાચાર પણ વાંચો :  ઉત્તરપ્રદેશમાં ભાજપના આ નેતાની ત્રણ બદમાશો દ્વારા ખુલ્લેઆમ ગોળી મારી હત્યા.. જાણો વિગતે..

ભારતીય નૌસેનાએ કહ્યું, “હુમલા પછી, ‘માસ્ટર’ (જહાજના પ્રભારી)એ જહાજમાં ધુમાડો અને આગની જાણ કરી. INS કોલકાતા તાત્કાલિક જરૂરી સહાય પૂરી પાડવા માટે રવાના કરવામાં આવી હતી અને IST રાત્રે 10:30 વાગ્યા સુધીમાં ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. તેમાં કહેવામાં આવ્યું છે કે મંગળવારે, 12 ભારતીય નૌકાદળના કર્મચારીઓની એક નિષ્ણાત અગ્નિશામક ટીમ વેપારી જહાજ પર સવાર થઈ હતી અને આગને કાબૂમાં લેવાના પ્રયાસમાં સહાય પૂરી પાડી હતી. 13 ભારતીય નાગરિકો સહિત 23 કર્મચારીઓના ક્રૂ સુરક્ષિત છે અને જહાજ તેના આગામી ગંતવ્ય તરફ આગળ વધી રહ્યું છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Indian Railway: સાબરમતી-જોધપુર એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
Meghalaya: ભાજપ પ્રેરિત મેઘાલયમાં રાજકીય ઉથલપાથલ, આટલા મંત્રીઓએ અચાનક આપ્યા રાજીનામા, જાણો શું છે કારણ
PM Modi Birthday: જાણો વડનગર ના રેલવે સ્ટેશનથી લઈને વિશ્વના સૌથી લોકપ્રિય નેતા બનવા સુધીનો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નો પ્રવાસ
PM Modi: વડાપ્રધાન બન્યા પછી ન ઘરેણાં ખરીદ્યા, એક પ્લોટ હતો તે પણ કર્યો દાન, જાણો તેમની કુલ સંપત્તિ અને તેમના પરિવાર વિશે
Exit mobile version