News Continuous Bureau | Mumbai
Indian Passport & Citizenship ભારતીય પાસપોર્ટને નાગરિકતાના પુરાવા તરીકે ગણી શકાય કે નહીં તે મુદ્દે ચાલી રહેલા વિવાદ પર કેન્દ્ર સરકારે એક મોટો ખુલાસો કર્યો છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે આ કોઈ નવો નિયમ નથી, પરંતુ દાયકાઓથી અમલમાં રહેલી કાનૂની સ્થિતિ (Legal Position) છે કે પાસપોર્ટ એ મુખ્યત્વે મુસાફરી માટેનો દસ્તાવેજ (Travel Document) છે, નાગરિકતાનો અંતિમ પુરાવો નહીં.
Indian Passport & Citizenship: વિવાદનું મુખ્ય કારણ
વિવાદની શરૂઆત બુધવારે થઈ હતી, જ્યારે વિદેશ મંત્રાલય (Ministry of External Affairs) દ્વારા ઈ-પાસપોર્ટના ફાયદાઓ વિશે માહિતી આપવામાં આવી રહી હતી. મંત્રાલયે સ્પષ્ટ કર્યું હતું કે પાસપોર્ટ એ નાગરિકતાનો પાકો પુરાવો નથી. આ નિવેદન બાદ વિપક્ષી નેતાઓ અને સોશિયલ મીડિયા પર પ્રશ્નો ઉઠ્યા હતા કે જો આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ આપનાર દસ્તાવેજ નાગરિકતાનો પુરાવો ન હોય, તો કયો દસ્તાવેજ હોઈ શકે?
Indian Passport & Citizenship: કાયદાકીય જોગવાઈ અને અદાલતી ચુકાદા
સરકારે આ અંગે પાસપોર્ટ એક્ટ, ૧૯૬૭ નો હવાલો આપ્યો છે. આ કાયદાની કલમ ૨૦ મુજબ, કેન્દ્ર સરકાર જાહેર હિતમાં હોય તો એવી વ્યક્તિને પણ પાસપોર્ટ આપી શકે છે જે ભારતની નાગરિક ન હોય. આ ઉપરાંત, ૨૦૧૩માં બોમ્બે હાઈકોર્ટે પણ પોતાના એક ચુકાદામાં સ્પષ્ટ કર્યું હતું કે પાસપોર્ટ એ નાગરિકતા સાબિત કરતો કોઈ નિર્વિવાદ દસ્તાવેજ નથી. આ બાબત છેલ્લા ૧૨ વર્ષથી અપરિવર્તિત છે.
Indian Passport & Citizenship: નાગરિકતા કેવી રીતે નક્કી થાય છે?
સરકાર દ્વારા અગાઉ સંસદમાં પણ જણાવવામાં આવ્યું છે કે ભારત સરકાર કોઈપણ એક સિંગલ દસ્તાવેજને નાગરિકતાનો અંતિમ પુરાવો ગણતી નથી. નાગરિકતાના તમામ પ્રશ્નો ‘સિટીઝનશિપ એક્ટ, ૧૯૫૫’ (Citizenship Act, 1955) અને તેના નિયમો હેઠળ નક્કી કરવામાં આવે છે. ભારતમાં કોઈપણ વ્યક્તિની નાગરિકતા કોઈ એક કાર્ડને બદલે કાયદાકીય જોગવાઈઓ અને તે અનુસાર કરવામાં આવતી પ્રક્રિયા દ્વારા નિર્ધારિત કરવામાં આવે છે.
👉 આ સમાચાર વાચો:
KanjurmargBadlapur Metro 14 મુંબઈની સૌથી લાંબી મેટ્રો લાઇનના પ્રોજેક્ટ રિપોર્ટ માટે ફરી મંગાવાયા સૂચનો, પ્રોજેક્ટમાં વિલંબની શક્યતા