News Continuous Bureau | Mumbai
Indian Railways : હોળીના ( Holi ) આ તહેવારની સીઝનમાં, રેલ યાત્રિકોની ( rail passengers ) સુવિધા માટે અને મુસાફરોના વધારાના ધસારાને દૂર કરવા માટે, ભારતીય રેલવે 540 ટ્રેન સેવાઓ ચલાવી રહી છે.
દિલ્હી-પટના, દિલ્હી-ભાગલપુર, દિલ્હી-મુઝફ્ફરપુર, દિલ્હી-સહરસા, ગોરખપુર-મુંબઈ, કોલકાતા-પુરી, ગુવાહાટી-રાંચી, નવી દિલ્હી-શ્રી માતા વૈષ્ણોદેવી કટરા, જયપુર- બાંદ્રા ટર્મિનસ, પુણે- દાનાપુર, દુર્ગ-પટના, બરૌની-સુરત વગેરે રેલવે રૂટ પર દેશભરના મુખ્ય સ્થળોને જોડવા માટે ટ્રેનોનું આયોજન કરવામાં આવ્યું છે.
| ક્રમાંક
|
રેલવે
|
સૂચિત સેવાઓ
|
| 1 | CR | 88 |
| 2 | ECR | 79 |
| 3 | ER | 17 |
| 4 | ECoR | 12 |
| 5 | NCR | 16 |
| 6 | NER | 39 |
| 7 | NFR | 14 |
| 8 | NR | 93 |
| 9 | NWR | 25 |
| 10 | SCR | 19 |
| 11 | SER | 34 |
| 12 | SECR | 4 |
| 13 | SR | 19 |
| 14 | SWR | 6 |
| 15 | WCR | 13 |
| 16 | WR | 62 |
| કુલ | 540 |
બિનઆરક્ષિત કોચમાં મુસાફરોના વ્યવસ્થિત પ્રવેશ માટે રેલવે પ્રોટેક્શન ફોર્સ ( RPF ) સ્ટાફની દેખરેખ હેઠળ ટર્મિનસ સ્ટેશનો પર કતાર ઊભી કરીને ભીડને નિયંત્રિત કરવાના પગલાં સુનિશ્ચિત કરવામાં આવી રહ્યા છે.
આ સમાચાર પણ વાંચો : Loksabha Election 2024: ચૂંટણી પંચે વિકાસ ભારત સંપર્ક વોટ્સએપ સંદેશાઓ પર પ્રતિબંધ મૂક્યો, જાણો શું છે કારણ..
મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે મુખ્ય સ્ટેશનો પર વધારાના આરપીએ જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. ટ્રેનો સરળતાથી ચાલે તે માટે અધિકારીઓને મુખ્ય સ્ટેશનો પર ઇમરજન્સી ડ્યુટી પર તૈનાત કરવામાં આવ્યા છે. ટ્રેન સેવામાં કોઈપણ વિક્ષેપને અગ્રતાના આધારે દૂર કરવા માટે સ્ટાફને વિવિધ વિભાગોમાં તૈનાત કરવામાં આવ્યા છે.
પ્લેટફોર્મ નંબરની સાથે ટ્રેનોના આગમન/પ્રસ્થાનની સતત અને સમયસર જાહેરાત માટે પગલાં લેવામાં આવ્યા છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.