Site icon News Continuous Bureau | Mumbai

Economic Survey 2023-24: ભારતની પાવર ગ્રિડ વિશ્વની સૌથી મોટી યુનિફાઇડ ઇલેક્ટ્રિસિટી ગ્રીડમાંની એક તરીકે ઉભરી આવી છે: ઇકોનોમિક સર્વે 2023-24

Economic Survey 2023-24: ઓક્ટોબર, 2017માં સૌભાગ્યની શરૂઆત થઈ ત્યારથી અત્યાર સુધીમાં 2.86 કરોડ ઘરોનું વિદ્યુતીકરણ થયું છે, દેશમાં ઊર્જા મિશ્રણ પુનઃપ્રાપ્ય ઊર્જા ક્ષેત્રમાં બિન-અશ્મિભૂત ઇંધણનાં પ્રદાનને વધારવાનાં પ્રયાસોને વેગ મળ્યો. છે, જે વર્ષ 2024 અને 2030 વચ્ચે ભારતમાં રૂ. 30.5 લાખ કરોડનું રોકાણ આકર્ષવાની અપેક્ષા છે.

India's power grid emerges as one of the largest unified electricity grids in the world Economic Survey 2023-24

India's power grid emerges as one of the largest unified electricity grids in the world Economic Survey 2023-24

 News Continuous Bureau | Mumbai

Economic Survey 2023-24: “ભારતમાં પાવર ટ્રાન્સમિશન એક જ ગ્રિડ સાથે જોડાયેલું છે, જે 1,18,740 મેગાવોટ (મેગાવોટ)ના હસ્તાંતરણની આંતર-પ્રાદેશિક ક્ષમતા સાથે એક જ ફ્રિક્વન્સી પર ચાલે છે. કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણે ( Nirmala Sitharaman ) આજે સંસદમાં રજૂ કરેલા આર્થિક સર્વેક્ષણ 2023-24માં જણાવ્યું હતું કે, તે વિશ્વમાં સૌથી મોટા એકીકૃત વિદ્યુત ગ્રીડમાંના ( Electrical grid ) એક તરીકે ઉભરી રહ્યું છે.” સર્વેક્ષણમાં નોંધવામાં આવ્યું છે કે, 31 માર્ચ 2024 સુધી, ટ્રાન્સમિશન સિસ્ટમ્સ 4,85,544 સર્કિટ કિલોમીટર ટ્રાન્સમિશન લાઇન અને 12,51,080 મેગા વોલ્ટ એએમપી (એમવીએ) ટ્રાન્સફોર્મેશન ક્ષમતા સુધી વિસ્તૃત થઈ છે.

Join Our WhatsApp Channel

ભારત સરકારે આ ક્ષેત્રને વધારવા અને દેશમાં વીજળીની સતત વધતી માંગને પહોંચી વળવાના તેના પ્રયત્નોને વેગ આપ્યો છે. નાણાકીય વર્ષ 24માં પીક વીજળીની માંગ ( Electrical Demand ) 13 ટકા વધીને 243 ગીગાવોટ થઈ ગઈ છે. નાણાકીય વર્ષ 23 અને નાણાકીય વર્ષ 24 ની વચ્ચે, સર્વેક્ષણ કહે છે કે, વીજ ઉત્પાદનમાં મહત્તમ વધારો યુટિલિટીઝ માટે નવીનીકરણીય ઉર્જા સંસાધનોમાં નોંધાયો છે.

આર્થિક સર્વે ( Nirmala Sitharaman Economic Survey )  મુજબ ઓક્ટોબર 2017માં સૌભાગ્યની શરૂઆત વિવિધ યોજનાઓ હેઠળ શરૂ થયા બાદથી અત્યાર સુધીમાં કુલ 2.86 કરોડ ઘરોમાં વિદ્યુતીકરણ કરવામાં આવ્યું છે. વધુમાં, તેમાં જણાવાયું છે કે વીજળી (લેટ પેમેન્ટ સરચાર્જ અને સંબંધિત બાબતો) નિયમો, 2022ના અમલીકરણથી ડિસ્કોમ, તેમજ વીજળી ગ્રાહકો અને ઉત્પાદક કંપનીઓને રાહત મળી છે.

નવીનીકરણીય ક્ષેત્ર

આબોહવામાં પરિવર્તન પર સંયુક્ત રાષ્ટ્ર ફ્રેમવર્ક કન્વેન્શન હેઠળ ભારતે વર્ષ 2030 સુધીમાં બિન-અશ્મિભૂત ઇંધણ-આધારિત ઊર્જા સંસાધનોમાંથી આશરે 50 ટકા સંચિત ઇલેક્ટ્રિક પાવર સ્થાપિત ક્ષમતા હાંસલ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. નવીન અને પુનઃપ્રાપ્ય ઊર્જા મંત્રાલય વર્ષ 2030 સુધીમાં બિન-અશ્મિભૂત સ્ત્રોતોમાંથી 500 ગિગાવોટ (જીડબલ્યુ) સ્થાપિત વીજળી ક્ષમતા હાંસલ કરવાની દિશામાં કામ કરી રહ્યું છે.

આ સમાચાર પણ વાંચો  :  PM Surya Ghar Muft Bijli Yojana: ભારત સરકારે પ્રધાનમંત્રી સૂર્યા ઘરઃ મુફ્ત બિજલી યોજના અંતર્ગત ‘ડિસ્કોમ કંપનીઓને પ્રોત્સાહન’નાં અમલીકરણ માટે યોજનાનાં માર્ગદર્શિકા જાહેર કરી.

આર્થિક સર્વેક્ષણમાં જણાવાયું છે કે, 31 માર્ચ 2024 સુધીમાં, દેશમાં કુલ 190.57 ગીગાવોટ નવીનીકરણીય ઉર્જા (આરઇ) ક્ષમતા સ્થાપિત કરવામાં આવી છે. દેશમાં કુલ સ્થાપિત ઉત્પાદન ક્ષમતામાં આરઇનો હિસ્સો 43.12 ટકા છે, એમ તેમાં નોંધવામાં આવ્યું છે.

ભારતમાં સ્વચ્છ ઊર્જા ક્ષેત્રે વર્ષ 2014થી 2023 વચ્ચે ₹8.5 લાખ કરોડનું નવું રોકાણ થયું હોવાનું સર્વેમાં જણાવવામાં આવ્યું છે. તે કહે છે કે આરઇ સેક્ટર 2024 થી 2030ની વચ્ચે ભારતમાં લગભગ ₹30.5 લાખ કરોડના રોકાણને આકર્ષિત કરે તેવી અપેક્ષા છે અને તેનાથી વેલ્યુ ચેઇનમાં નોંધપાત્ર આર્થિક તકો ઉભી થશે.

સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી ઓથોરિટીની નેશનલ ઇલેક્ટ્રિસિટી પ્લાન મુજબ, સર્વેક્ષણમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે બિન-અશ્મિભૂત ઇંધણ (હાઇડ્રો, ન્યુક્લિયર, સોલર, પવન, બાયોમાસ, સ્મોલ હાઇડ્રો, પંપ સ્ટોરેજ પંપ) આધારિત ક્ષમતા જે 2023-24માં કુલ સ્થાપિત ક્ષમતાના 441.9 ગીગાવોટમાંથી લગભગ 203.4 ગીગાવોટ (કુલના 46 ટકા) છે, જે 2026-27માં વધીને 349 ગીગાવોટ (57.3 ટકા) થવાની સંભાવના છે.  અને 2029-30માં 500.6 ગીગાવોટ (64.4 ટકા) છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Bijnor Watermelon Poisoning। તરબૂચ ખાતા પહેલા ૧૦૦ વાર વિચારજો! મુંબઈ જેવી જ ઘટના બિજનૌરમાં બની, ફળ ખાધા બાદ પુત્રીનું કરૂણ મોત
Shahzad Bhatti Module Busted| મંદિરો અને પ્રખ્યાત ઢાબા હતા આતંકીઓના નિશાને! દિલ્હી પોલીસે ISI ના મોડ્યુલના ૯ સાગરીતોને દબોચ્યા, મોટા હુમલાનું પ્લાનિંગ નિષ્ફળ
Suvendu Adhikari PA Murder। પ્રોફેશનલ શૂટર્સ, ૩ દિવસની રેકી અને પછી હત્યા! સુવેન્દુ અધિકારીના અંગત મદદનીશના મોતમાં SITનો ચોંકાવનારો ઘટસ્ફોટ
Hamirpur Boat Accident। હમીરપુરમાં કાળજું કંપાવતી ઘટના લગ્નની ખુશીઓ માતમમાં ફેરવાઈ, યમુનામાં હોડી પલટતા ૨ ના મોત, ૪ બાળકો હજુ પણ લાપતા!
Exit mobile version