Indus Water Treaty: ભારતે લીધો મોટો નિર્ણય, પાડોશી દેશને મોકલી નોટિસ; હવે આ વસ્તુ માટે તરસશે પાકિસ્તાન!

Indus Water Treaty: ભારતે 1960ની સિંધુ જળ સંધિના કામકાજથી વધતી જતી નિરાશા દર્શાવતા પાકિસ્તાનને નોટિસ મોકલી છે. ભારતે 30 ઓગસ્ટ 2024ના રોજ પાકિસ્તાનને તેની સમીક્ષા અને સુધારાની માંગણી સાથે આ નોટિસ આપી છે. સિંધુ જળ સંધિની કલમ XII (3) હેઠળ, તેની જોગવાઈઓમાં સમય સમય પર બે સરકારો વચ્ચે વાટાઘાટો દ્વારા સુધારો કરી શકાય છે.

by kalpana Verat
Indus Water Treaty India serves formal notice to Pakistan, seeks modification

News Continuous Bureau | Mumbai 

Indus Water Treaty: ભારત સરકારે પાડોશી દેશ સાથે સિંધુ જળ સંધિમાં ફેરફારની માંગ કરી છે. ભારત સરકારે આ મામલે પાકિસ્તાનને નોટિસ પણ મોકલી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ નોટિસમાં કહેવામાં આવ્યું છે કે વર્તમાન સંજોગોને જોતા સિંધુ જળ સંધિને જાળવી રાખવી શક્ય નથી. ભારતે આ સિંધુ જળ સંધિમાં ફેરફાર કરવાની વાત પણ કરી છે.

Indus Water Treaty: ભારતે 30 ઓગસ્ટે પાકિસ્તાનને સંધિ સંબંધિત નોટિસ મોકલી 

ભારત સરકાર સાથે જોડાયેલા ટોચના સૂત્રોએ પાકિસ્તાનને મોકલેલી નોટિસ અંગે માહિતી આપી છે. કહેવામાં આવ્યું કે ભારતે સ્પષ્ટપણે કહ્યું કે આ સંધિ 1960થી કાર્યરત છે અને હવે તેના વિવિધ લેખોનું વાસ્તવિક મૂલ્યાંકન કરવું જોઈએ. ભારતે 30 ઓગસ્ટે પાકિસ્તાનને સંધિ સંબંધિત નોટિસ મોકલી હતી.

Indus Water Treaty: નોટિસમાં ભારતે આ માંગણી કરી 

નોટિસમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં સિંધુ નદીના પાણીનો ઉપયોગ અને ડેમોગ્રાફી બદલાઈ રહી છે, ભારત સ્વચ્છ ઉર્જા તરફ આગળ વધી રહ્યું છે અને સંધિમાં ફેરફાર પર વિચાર કરવામાં આવે તે જરૂરી છે. ભારતે પણ આતંકવાદનો ઉલ્લેખ કરીને પાકિસ્તાનને ઠપકો આપ્યો હતો. ભારતે કહ્યું કે પાકિસ્તાન સતત અમારી ઉદારતાનો ગેરવાજબી ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.

Indus Water Treaty: પાકિસ્તાને હજુ સુધી નથી આપ્યો જવાબ 

જોકે પાડોશી દેશ પાકિસ્તાને હજુ સુધી આ અંગે કંઈ કહ્યું નથી. પરંતુ એવું માનવામાં આવે છે કે પાકિસ્તાન આ ફેરફારની વિરુદ્ધ હશે કારણ કે તેને આ કરારથી ઘણો ફાયદો થાય છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે પાણીને લઈને લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. આ નવું પગલું આ વિવાદને વધુ ગાઢ બનાવી શકે છે. હવે જોવાનું એ રહેશે કે પાકિસ્તાન આ અંગે કેવી પ્રતિક્રિયા આપે છે.

આ સમાચાર પણ વાંચો : India Space Mission: કેબિનેટે ચંદ્રયાન-4, ગગનયાન અને શુક્ર મિશનના વિસ્તરણને મંજૂરી આપી, ફાળવ્યા અધધ આટલા કરોડ રૂપિયા.

ભારતના આ પગલા પાછળ વિદેશી બાબતોના નિષ્ણાતોનું કહેવું છે કે સિંધુ નદીના પાણીને લઈને પાકિસ્તાનનો ભારત સાથે હંમેશા વિવાદ રહ્યો છે. તેમણે ભારતમાં અનેક હાઈડ્રોપાવર પ્રોજેક્ટનો વિરોધ કર્યો છે. પાકિસ્તાન તરફથી ભારતમાં આતંકી હુમલાઓ થઈ રહ્યા છે. જમ્મુ-કાશ્મીરના લોકોને લાગે છે કે સિંધુ જળ સંધિમાં તેમના હિતોની અવગણના કરવામાં આવી છે. જ્યારે પંજાબ અને હરિયાણા, આ રાજ્યોને લાગે છે કે તેઓ સિંધુ નદીના પાણીનો પૂરો ફાયદો ઉઠાવી શકતા નથી.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More