News Continuous Bureau | Mumbai
International Womens Conference: વૈશ્વિક શાંતિ ના પ્રણેતા ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરે 10મા આંતરરાષ્ટ્રીય મહિલા સંમેલનના ઉદ્ઘાટન પ્રસંગે પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, “જે દેશ કે સમાજમાં મહિલાઓ નાખુશ હોય છે તે ગરીબ જ રહેશે.” ત્રણ પરિવર્તનશીલ દિવસોમાં, જીવનના વિવિધ ક્ષેત્રોના સંવાદો અવરોધો પાર કરી, પોતાને ફરીથી શોધવા અને સુખાકારીને અપનાવવા પર એક શક્તિશાળી સંવાદમાં એક થઇ ગયા. આ સત્રોમાં ઊંડાણપૂર્વકની ચર્ચાઓ, ગહેરા વિશ્રામ, ચિંતન અને સાંસ્કૃતિક અભિવ્યક્તિઓનું સંયોજન કરવામાં આવ્યું, જેનાથી એક એવી જગ્યા બની જ્યાં જ્ઞાન બુદ્દિમત્તા સાથે મળે અને પ્રેરણા હૃદયમાંથી વહેતી હોય.
એક વિશેષ સત્રમાં, બહેરીનની એક મહિલા લશ્કરી કર્મચારી, એક ભારતીય અભિનેતા અને તુર્કીની ડિજિટલ અને AI-જનરેટેડ કલામાં અન્ય એક પ્રણેતા મન અને ચેતના પર સર્જનાત્મકતાની ભૂમિકા પર ચર્ચા કરવા માટે સાથે બેઠા હતા. બોલિવૂડની અગ્રણી અભિનેત્રી સોનાક્ષી સિંહાએ કહ્યું: “મોટી થતી વખતે, કલા મારા માટે ધ્યાન જેવી હતી – તે કુદરતી રીતે વહેતી હતી. અહીં પ્રવેશતાની સાથે જ મને મારી ઉર્જામાં પરિવર્તનનો અનુભવ થયો. જ્યાં લોકો વધુ સારા બનવા અને વધુ સારું કરવાનો પ્રયાસ કરે છે ત્યાં સર્જનાત્મકતા ખીલે છે. સેનાથી સર્જનાત્મક ક્ષેત્ર સુધી, બહેરીનના જનરલ સ્પોર્ટ્સ ઓથોરિટીના વડા અને સંયોજક, શ્રીમતી નૂરાહ અબ્દુલ્લાએ તેમના પરિવર્તન વિશે વાત કરી: “સેનામાં, સર્જનાત્મકતા માટે કોઈ જગ્યા નહોતી – અમે ફક્ત આદેશોનું પાલન કરતા હતા. આર્ટ ઓફ લિવિંગ સાથે, મને સર્જન કરવાની સ્વતંત્રતા મળી અને મને સમજાયું કે સાચી સર્જનાત્મકતા સમાજની સેવા કરે છે. મહિલાઓના જીવનમાં આરામ અને સંતુલનના મહત્વ પર ભાર મૂકતા, આંતરરાષ્ટ્રીય મહિલા પરિષદ પાછળની શક્તિ અને તેના પ્રમુખ શ્રીમતી ભાનુમતી નરસિંહને કહ્યું, “મહિલાઓ તરીકે આપણે વધુ હાંસલ કરવા અને વધુ કરવા માટે ઉતાવળમાં છીએ. આ વિશ્રામ કરવાનો અને સ્થિર થવાનો સમય છે. જ્યારે તમે વિશ્રામ કરો છો, ત્યારે તમે વધુ પ્રાપ્ત કરી શકો છો.
International Womens Conference: લાખો લોકોને આંતરિક શાંતિ અપાવવા બદલ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરનો આભાર.
ઉપસ્થિત ઘણા મહાનુભાવોએ 180 દેશોમાં લાખો લોકોને આંતરિક શાંતિ અપાવવામાં વૈશ્વિક શાંતિ ના પ્રણેતા ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર દ્વારા ભજવવામાં આવેલી ભૂમિકાને આવકારવામાં આવી હતી. ભારતના રાષ્ટ્રપતિએ આધ્યાત્મિક મૂલ્યોના સંરક્ષણમાં ગુરુદેવની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો: “ભારત એક આધ્યાત્મિક દેશ છે, પરંતુ બદલાતા સમય સાથે, આપણે આપણા મૂળથી દૂર જઈ રહ્યા છીએ. આપણને આપણા વિસરાઈ ગયેલા મૂલ્યોની યાદ અપાવવા અને પ્રેરણા આપવા માટે ગુરુદેવ જેવા આધ્યાત્મિક નેતાઓ અહીં છે. પ્રતિષ્ઠિત વિશાલાક્ષી પુરસ્કાર પ્રાપ્ત કરવા પર, ભૂતપૂર્વ કેન્દ્રીય શિક્ષણ મંત્રી શ્રીમતી સ્મૃતિ ઈરાનીએ સંબોધન કર્યું કે: “એક સંતને જન્મ આપનાર માતાના નામ પરથી એવોર્ડ મેળવવા કરતાં વધુ સૌભાગ્ય શું હોઈ શકે.” જાપાનના ભૂતપૂર્વ પ્રથમ મહિલા, માનનીય અકી આબેએ, ગુરુદેવના હિંસામુક્ત વિશ્વના દ્રષ્ટિકોણને પ્રતિબિંબિત કરતા, વ્યક્તિગત દુર્ઘટના પર વાત કરી હતી કે: “મેં ગુરુદેવને કહેતા સાંભળ્યા છે કે દરેક ગુનેગારની અંદર એક પીડિત રહેલો છે. મારા પતિનો જીવ લેનાર માણસને નફરત કરવાને બદલે, શું હું તેના પર દયા કરી શકું? શું હું આવી હિંસા રોકવામાં મદદ કરી શકું? જે સમાજમાં ગુના ઓછા હોય છે તે ચોક્કસપણે એવા સમાજ કરતાં વધુ સારો છે જે ગુનો થયા પછી જ પીડિતોને સહારો આપે છે.”
International Womens Conference: સીતા ચરિતમ: એક સાંસ્કૃતિક અને દ્રશ્ય વૈભવ
૧૦મું આંતરરાષ્ટ્રીય મહિલા સંમેલન માત્ર સંવાદ અને આત્મનિરીક્ષણનું આહલાદક મિશ્રણ જ નહોતું, પરંતુ તે સાંસ્કૃતિક અભિવ્યક્તિનું એક મંચ પણ બન્યું, જે સીતા ચરિતમના હૃદયસ્પર્શી નાટ્ય પ્રદર્શનમાં જોવા મળે છે. તે માતા સીતાના દ્રષ્ટિકોણથી ખૂબ જ પ્રિય અને કાલાતીત મહાકાવ્ય રામાયણનું કાવ્યાત્મક પુનર્કથન હતું, જે નિઃસ્વાર્થ પ્રેમ, જ્ઞાન, સ્થિતિસ્થાપકતા, ભક્તિ અને કૃપાથી ભરેલી વાર્તા હતી. ભારતના પ્રથમ ઇમર્સિવ 4D મ્યુઝિકલ બેલેમાં વણાયેલા 30 વૈવિધ્યસભર નૃત્ય, સંગીત અને કલાઓ રજૂ કરીને 500 કલાકારોના વિશાળ અભિનેતાવર્ગે વિશ્વભરના પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ શો કાલાતીત વાર્તાને 190 દેશોમાં લઈ જશે. અંગ્રેજીમાં લખાયેલી આ સ્ક્રિપ્ટ રામાયણના 20 થી વધુ સંસ્કરણોમાંથી લેવામાં આવી છે, જેમાં બહુવિધ સ્થાનિક ભાષાઓમાં ચિહ્નીહિત છે જે તેને ખરેખર વૈશ્વિક સાંસ્કૃતિક અનુભવ બનાવે છે. સીતા ચરિતમના ક્રિએટિવ ડિરેક્ટર શ્રીવિદ્યા વર્ચસ્વીએ આ નિર્માણ પાછળની પ્રેરણા વિશે વાત કરતા કહ્યું, “સીતાની વાર્તા પરિવર્તનની વાર્તા દર્શાવે છે. સમગ્ર નાટક, પટકથા અને સંવાદો ગુરુદેવના જ્ઞાનથી ભરપૂર છે. જેમ જેમ કાર્યક્રમ અંત તરફ વધ્યો, તેમ તેમ સખીત્વની ભાવના, સર્જનાત્મકતા અને સાર્વત્રિક મૂલ્યો દરેક હૃદયમાં ગુંજી ઉઠ્યા, જે જ્ઞાન, કરુણા, આત્મિક શાંતિ અને આનંદથી આકાર પામેલા ભવિષ્યના માર્ગને પ્રકાશિત કરતા હતા.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed