Site icon

IRCTC Tour Package :આ તારીખથી ચલાવાશે IRCTC “ગુરુ કૃપા સાથે ઉત્તર ભારત દેવભૂમિ યાત્રા”; જાણો ટૂર પેકેજની કિંમત..

IRCTC Tour Package : 09 રાત અને 10 દિવસની ધાર્મિક યાત્રા પ્રવાસીઓને જીવનમાં એકવાર આ યાત્રા પર લઈ જશે જે જીવન સાથે જોડાયેલા મહત્વપૂર્ણ ધાર્મિક અને ઐતિહાસિક સ્થળોને આવરી લે છે. IRCTC તેની વિશિષ્ટ અને અદ્યતન સંયુક્ત AC/Non AC પ્રવાસી ટ્રેનનો લાભ લેવા માટે ઐતિહાસિક અને ધાર્મિક યાત્રાનું સ્વાગત કરે છે.

IRCTC Tour Package IRCTC Uttar Bharat Devbhoomi Yatra with Guru Kripa will be launched from this date; Know the price of the tour package..

IRCTC Tour Package IRCTC Uttar Bharat Devbhoomi Yatra with Guru Kripa will be launched from this date; Know the price of the tour package..

News Continuous Bureau | Mumbai

IRCTC Tour Package : શનિવાર, 3 મે 2025 ના રોજ, IRCTC “ગુરુ કૃપા સાથે ઉત્તર ભારત દેવભૂમિ યાત્રા” ભારત ગૌરવ પ્રવાસી ટ્રેન દ્વારા ચલાવવામાં આવશે. આ ટૂર પેકેજ ભારતીય રેલ્વે દ્વારા ભારત ગૌરવ પ્રવાસી ટ્રેન પર સંચાલિત અગ્રણી આધ્યાત્મિક પ્રવાસ પેકેજોમાંનું એક છે. આશરે 5000 કિલોમીટરના કુલ અંતરને આવરી લેતી 09 રાત અને 10 દિવસની ધાર્મિક યાત્રા પ્રવાસીઓને જીવનમાં એકવાર આ યાત્રા પર લઈ જશે જે જીવન સાથે જોડાયેલા મહત્વપૂર્ણ ધાર્મિક અને ઐતિહાસિક સ્થળોને આવરી લે છે. IRCTC તેની વિશિષ્ટ અને અદ્યતન સંયુક્ત AC/Non AC પ્રવાસી ટ્રેનનો લાભ લેવા માટે ઐતિહાસિક અને ધાર્મિક યાત્રાનું સ્વાગત કરે છે. સુંદર LHB ટ્રેનમાં કોચમાં આધુનિક રસોડા સહિત અનેક અદ્ભુત સુવિધાઓ છે. ટ્રેનમાં દરેક કોચ માટે CCTV કેમેરા અને સુરક્ષા ગાર્ડ્સની સુરક્ષા સુવિધાઓ કરવામાં આવી છે. IRCTC ભારત સરકારની “એક ભારત શ્રેષ્ઠ ભારત” અને “દેખો અપના દેશ” ની પહેલ અને દેશમાં સ્થાનિક પર્યટનને પ્રોત્સાહન આપવા માટે આ ખાસ ટૂરિસ્ટ ટ્રેન પેકેજ શરૂ કરી રહી છે.

Join Our WhatsApp Community

IRCTC Tour Package :”ગુરુ કૃપા સાથે ઉત્તર ભારત દેવભૂમિ યાત્રા” નામની ખૂબ જ લોકપ્રિય ટ્રેન ટૂર

3 મે 2025 (શનિવાર ) ના રોજ પુણે રેલ્વે સ્ટેશનથી 09 રાત/10 દિવસના પ્રવાસ માટે રવાના થવા તૈયાર છે.

* ભારતીય રેલ્વેએ ભારત સરકારના “દેખો અપના દેશ” અને “એક ભારત શ્રેષ્ઠ ભારત” વિઝનને પ્રોત્સાહન આપવા માટે ભારત ગૌરવ પ્રવાસી ટ્રેનો ચલાવવાની પહેલ કરી છે.

IRCTC નો ખાસ પ્રવાસ “ગુરુ કૃપા સાથે ઉત્તર ભારત દેવભૂમિ યાત્રા “
* હરિદ્વાર, ઋષિકેશ, અમૃસર, વૈષ્ણોદેવી, કટરા, મથુરા, વૃંદાવન અને આગ્રા પ્રવાસ રહેશે અને પુણે પાછી પરત ફરશે.
* ગંતવ્ય અને મુલાકાત આવરી લેવામાં આવી છે:
# હરિદ્વાર : હૃષિકેશ, હર કી પૌરી, ગંગા આરતી
# અમૃતસર: સ્વર્ણ મંદિર, વાઘા બોર્ડર
# કટરા : માતા વૈષ્ણોદેવી દર્શન
#મથુરા : કૃષ્ણ જન્મભૂમિ, વૃંદાવન
# આગ્રા: તાઝ મહેલ.

* ઈકોનોમી સ્લીપર, કમ્ફર્ટ 3AC અને કમ્ફર્ટ 2AC સાથેની પ્રવાસી ટ્રેનમાં કુલ 750 પ્રવાસીઓને યાત્રા કરી શકશે.

* પ્રવાસીઓ આ પ્રવાસી ટ્રેનમાં પુણે – લોનાવાલા – કરજત – કલ્યાણ – વસઈ રોડ – વાપી – ભેસાણ (સુરત) – વડોદરા રેલ્વે સ્ટેશન પરથી પણ બોર્ડિંગ/ડીબોર્ડ કરી શકે છે.

IRCTC Tour Package : IRCTC એ તમામ પેકેજોની આકર્ષક કિંમત આ પ્રમાણે રાખેલ છે.

ઇકોનોમી ક્લાસ (SL): ૧૮૨૩૦/-
કમ્ફર્ટ ક્લાસ (૩AC) : ૩૩૮૮૦/-
કમ્ફર્ટ ક્લાસ (૨AC) : ૪૧૫૩૦/-

ટૂર પેકેજમાં એસી/નોન એસી ક્લાસમાં આરામદાયક ટ્રેન મુસાફરી, ડબલ/ટ્રિપલ/ક્વાડ શેરિંગ પર એસી/નોન એસી બજેટ હોટલમાં રાત્રિ રોકાણ, બધા ભોજન (ઑન બોર્ડ અને ઑફબોર્ડ ): સવારની ચા, નાસ્તો, બપોર નું ભોજન , ચા/કોફી અને રાત્રી ભોજન (માત્ર શાકાહારી ભોજન) એસી/નોન એસી વાહનોમાં બધા ટ્રાન્સપોર્ટ દ્વારા તમામ ટ્રાન્સફર સુવિધા અને જોવાલાયક સ્થળો, ટ્રાવેલ ઇન્શ્યોરન્સ અને IRCTC ટૂર મેનેજર્સની સેવાઓ વગેરેનો સમાવેશ થાય છે.

IRCTC પ્રવાસીઓ માટે સલામત અને સ્વસ્થ મુસાફરી પૂરી પાડીને તમામ જરૂરી આરોગ્ય સાવચેતીનું પણ ધ્યાન રાખી રહ્યું છે.

વધુ વિગતો માટે તમે IRCTC વેબસાઇટ https://www.irctctourism.com ની મુલાકાત લઈ શકો છો અને બુકિંગ વેબ પોર્ટલ સેવા પહેલા આવો તે વહેલા ના ધોરણે ના આધારે ઓનલાઈન ઉપલબ્ધ છે. વધુ માહિતી માટે, કોઈ પણ વ્યક્તિ મોબાઇલ નંબર પર સંપર્ક કરી શકે છે. ૮૨૮૭૯૩૧૮૮૬ 

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
Tejas Mk1A: ભારતીય વાયુસેના માટે ગૌરવની ક્ષણ: તેજસ Mk1A ની પ્રથમ ઉડાન સફળ, સ્વદેશી ફાઇટર જેટની બોલબાલા
Tinsukia: આસામના તિનસુકિયામાં આર્મી કેમ્પ પર મોટો આતંકી હુમલો: ગોળીબારમાં આટલા જવાન થયા ઘાયલ
Bank Holidays: બેંક જતાં પહેલા ચેક કરો, 17થી 23 ઓક્ટોબરની વચ્ચે ક્યારે-ક્યારે છે રજા? જુઓ રાજ્યવાર બેંક રજાઓની સંપૂર્ણ યાદી
Bihar Elections 2025: નીતિશ કુમારના મુખ્યમંત્રી પદ પર સસ્પેન્સ: ભાજપના ‘ડબલ સિગ્નલ’થી બિહારની રાજનીતિમાં મોટી હલચલ
Exit mobile version