Site icon News Continuous Bureau | Mumbai

કોરોનાની વેક્સિન સલામત છે, અફવાઓમાં ભેરવાશો નહીં.. કેન્દ્ર સરકારની કેવી તૈયારીઓ છે તે વાંચો અહીં.. 

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
16 જાન્યુઆરી 2021 

કોરોનાની રસીને લઈ વિવિધ પ્રકારની અફવાઓ ઉડી રહી છે. જેને લઈને વડાપ્રધાન અને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી પણ ચોખવટ કરી ચુક્યા છે. આજથી દેશભરમાં રસીકરણ શરુ થઇ ગયું છે ત્યારે આરોગ્ય મંત્રીએ લોકોને રસી કે રસીની આડઅસરથી નહિ ગભરાવવા અનુરોધ કર્યો છે. 

Join Our WhatsApp Channel

પહેલા સ્ટેજમાં માત્ર હેલ્થવર્કર્સને કોરોનાની વેક્સિન આપવામાં આવશે અને 18 વર્ષથી મોટી ઉંમરના લોકોને જ આપવામાં આવશે. આ માટે કોવિડ સોફ્ટવેરમાંથી મોબાઈલમાં મેસેજ મોકલાશે. વેક્સિનના રજીસ્ટ્રેશનની કોઈ જરૂર નથી. ઇલેક્શન કમિશન અને અન્ય ડેટાના આધારે સરકાર લાભાર્થીઓની પસંદગી કરશે. પહેલા બે તબક્કામાં તમામ ફ્રન્ટ લાઈન કોરોના વોરિયર્સને વેક્સિન આપવામાં આવશે. 

આ બંને વેક્સિનની કોઈ ગંભીર સાઈડઇફેક્ટ સામે આવી નથી. વેક્સિનથી થોડો તાવ, માથાનો દુ:ખાવો, શરીરમાં દુ:ખાવો જેવી નાની મોટી ફરિયાદ થઈ શકે છે. આર્યોગ્યમંત્રી હર્ષવર્ધનનું કહેવું હતું કે કોઈ પણ વેક્સિન લેવાથી સામાન્ય લક્ષણ જોવા મળે છે. આથી ગભરાવવાની જરૂર નથી. 

કંપ્ની દ્વારા જારી કરાયેલા ફેકટશીટ ચેટમાં પણ દાવો કરવામાં આવ્યો છે કે 10 ટકા લોકોમાં જ આવી સમસ્યા જોવા મળી શકે છે. જો કે દરેકને વેક્સિનનો ડોઝ લીધા બાદ અડધી કલાક સુધી વેક્સિનનેશન સેન્ટર ઉપર રહેવું પડશે. જો વેક્સિનની ગંભીર સાઈડ ઇફેક્ટ થાય તો સરકાર દ્વારા ઓથોરાઇઝ્ડ સેન્ટર અને હોસ્પિટલમાં સારવાર કરી શકાશે. આથી જે રીતે તમામ તૈયારીઓ સરકાર દ્વારા કરવામાં આવી છે. તેને જોતા કોઈએ વેક્સિન ને લઈને ડરવાની જરૂર નથી.

Supreme Court Ruling on Disinheriting Son હવે તમે તમારા પુત્રને સંપત્તિમાંથી કરી શકશો બેદખલ, સુપ્રીમ કોર્ટે આપ્યો મોટો નિર્ણય
India Rejects Claims of Chinese Intrusion શું ચીન અરુણાચલ પ્રદેશમાં ૬૦ કિમી અંદર ઘૂસ્યું? હવે આવ્યો ભારત સરકારનો સ્પષ્ટ જવાબ
Cabinet Approves MultiTracking Railway Projects કેબિનેટે ચાર રાજ્યોમાં રેલવેના ચાર મલ્ટિટ્રેકિંગ પ્રોજેક્ટ્સને આપી મંજૂરી, ૯,૪૫૦ કરોડનો થશે ખર્ચ
NEET Exam Reform Supreme Court Report નીટ પરીક્ષા સુધારણા… રાધાકૃષ્ણન કમિટીના રિપોર્ટ પર સુપ્રીમ કોર્ટ કડક, NTA પાસેથી માંગ્યો જવાબ
Exit mobile version