Site icon News Continuous Bureau

Israel- Hamas War: યુદ્ધને પગલે એર ઈન્ડિયાએ ઈઝરાયેલ જતી ફ્લાઈટો આ તારીખ સુધી કરી રદ્દ..

Israel- Hamas War: ભારતીય એરલાઇન એર ઈન્ડિયાએ આગામી 18 ઓક્ટોબર સુધી તેલ અવીવની તમામ ફ્લાઈટ્સ રદ કરી દીધી છે. એર ઈન્ડિયા રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હીથી તેલ અવીવ માટે સપ્તાહમાં પાંચ ફ્લાઈટ ચલાવે છે.

Israel-Hamas war Air India suspends scheduled flights to Tel Aviv till October 18

Israel-Hamas war Air India suspends scheduled flights to Tel Aviv till October 18

News Continuous Bureau | Mumbai 

Israel- Hamas War: ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે એર ઈન્ડિયાએ ( Air India ) મોટો નિર્ણય લીધો છે. ઉડ્ડયન કંપની એર ઈન્ડિયાએ 18 ઓક્ટોબર સુધી તેલ અવીવની ( Tel Aviv ) તમામ ફ્લાઈટ્સ ( Flights  ) રદ કરી દીધી છે. એર ઈન્ડિયાના અધિકારીએ સમાચાર એજન્સીને જણાવ્યું હતું કે તે કેરિયરની જરૂરિયાતોને આધારે ભારતીય નાગરિકોને ( Indian citizens ) પરત લાવવા માટે ચાર્ટર્ડ ફ્લાઈટ્સનું ( chartered flights ) સંચાલન કરશે.

Join Our WhatsApp Community

સપ્તાહમાં પાંચ ફ્લાઈટનું સંચાલન

આ પહેલા એર ઈન્ડિયાએ ઈઝરાયેલના ઈકોનોમિક હબ તેલ અવીવથી 14 ઓક્ટોબર સુધી ચાલતી ફ્લાઈટ્સ સ્થગિત કરી દીધી હતી. નોંધનીય છે કે સામાન્ય રીતે એર ઈન્ડિયા રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હીથી તેલ અવીવ માટે સપ્તાહમાં પાંચ ફ્લાઈટનું સંચાલન કરે છે. આ સેવા સોમવાર, મંગળવાર, ગુરુવાર, શનિવાર અને રવિવાર ચાલે છે. ઇઝરાયેલથી ભારતીય નાગરિકોને પરત લાવવા માટે શરૂ કરાયેલ ‘ઓપરેશન અજય’ હેઠળ એરલાઇન્સે બે ફ્લાઇટ્સ પણ ચલાવી છે.

વિશેષ વિમાન દ્વારા 235 ભારતીયો દિલ્હી પહોંચ્યા

ઓપરેશન અજય ( Operation Ajay ) હેઠળ, અત્યાર સુધીમાં 400 થી વધુ ભારતીયો ઇઝરાયેલથી તેમના દેશમાં પાછા ફર્યા છે. શુક્રવારે 235 ભારતીય નાગરિકોને લઈને એક વિશેષ વિમાન દિલ્હી પહોંચ્યું હતું. આ દરમિયાન વિદેશ રાજ્ય મંત્રી રાજકુમાર રંજન સિંહે ( Rajkumar Ranjan Singh )  એરપોર્ટ પર તેમનું સ્વાગત કર્યું હતું.

આ સમાચાર પણ વાંચો : Mumbai Air : મુંબઈની સવાર ધૂંધળી, શહેરની હવાની ગુણવત્તા સંતોષકારક, પરંતુ આ દર્દીઓ માટે હાનિકારક..

ભારતે ઓપરેશન અજય શરૂ કર્યું

આના એક દિવસ પહેલા 212 ભારતીયોને વિશેષ વિમાન દ્વારા ભારત લાવવામાં આવ્યા હતા. ભારતે ગુરુવારે (12 ઓક્ટોબર) ‘ઓપરેશન અજય’ની જાહેરાત કરી હતી. આ ઓપરેશન દ્વારા ઈઝરાયેલથી એવા લોકોને જ લાવવામાં આવી રહ્યા છે જેઓ ત્યાંથી ભારત આવવા ઈચ્છુક છે.

3000 થી વધુ લોકો મૃત્યુ પામ્યા

શનિવારે (7 ઓક્ટોબર) હમાસે ઈઝરાયેલ પર હુમલો કર્યો. આ હુમલામાં અત્યાર સુધીમાં 1,300 થી વધુ ઇઝરાયેલીઓ માર્યા ગયા છે, જ્યારે ઇઝરાયેલની જવાબી કાર્યવાહીમાં 2,215 પેલેસ્ટિનિયન માર્યા ગયા છે અને 8,714 અન્ય ઘાયલ થયા છે.

Noida Workers’ Protest: નોઈડામાં મજૂર આક્રોશનું અસલી કારણ શું? વેતન વધારો અને ગ્રેજ્યુઇટી સહિતની આ માંગણીઓ પર મચ્યો છે સંગ્રામ
Wheat Crop India :ઘઉંની નવી સિઝનના પ્રારંભે જ માવઠાંનો માર અને નિકાસ બેહાલ
Noida Salary Protest Turns Violent: નોઈડામાં મજૂરો અને પોલીસ વચ્ચે લોહિયાળ જંગ, આગજની અને તોડફોડ બાદ આખો વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાયો.
Vrindavan Boat Tragedy:વૃંદાવનમાં યમુના નદીમાં મોટી હોનારત, ૧૦ શ્રદ્ધાળુઓના મોત, રેસ્ક્યૂ ઓપરેશન હજુ પણ યથાવત.
Exit mobile version