Site icon News Continuous Bureau | Mumbai

Aditya-L1 Sun Mission: આદિત્ય L1 આજે નીકળશે સૂર્ય ની સફરે… ઉકેલશે વણ ઉકેલાયેલા રહસ્યો!

Aditya-L1 Sun Mission:ચંદ્ર પર પહોંચ્યા બાદ ભારતે સૂર્ય સુધી પહોંચવાની તૈયારીઓ કરી લીધી છે. ISRO શનિવારે (02 સપ્ટેમ્બર) ના રોજ તેનું આદિત્ય L1 મિશન લોન્ચ કરી રહ્યું છે. આદિત્ય L-1 લગભગ 125 દિવસની સફર પૂર્ણ કર્યા પછી તેના લક્ષ્ય સુધી પહોંચશે.

ISRO preps PSLV to lift off with India's solar mission

ISRO preps PSLV to lift off with India's solar mission

News Continuous Bureau | Mumbai 

Aditya-L1 Sun Mission: દેશના પ્રથમ સૌર મિશન(solar mission) માટે કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ આજે (શનિવારે) સવારે 11.50 વાગ્યે આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટા સ્પેસ સેન્ટરથી તેને લોન્ચ કરવાની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. સૂર્યને સમજવા માટે જે વાહન લોન્ચ કરવામાં આવશે, તેને PSLV-C57 રોકેટથી લોન્ચ કરવામાં આવશે. આ સેટેલાઈટ લેંગ્રેસ પોઈન્ટ-1 પર સ્થાપિત કરવામાં આવશે. ઈસરોના વડા એસ સોમનાથના જણાવ્યા અનુસાર, આદિત્ય એલ-1 લગભગ 125 દિવસની સફર પૂર્ણ કર્યા પછી તેના નિર્ધારિત લક્ષ્ય સુધી પહોંચશે. ઇટાલિયન અને ફ્રેન્ચ ગણિતશાસ્ત્રી જોસેફ લુઇસ લેંગ્રેસના માનમાં આ બિંદુને લેંગ્રેસ પોઇન્ટ-1 નામ આપવામાં આવ્યું છે.

Join Our WhatsApp Channel

આદિત્ય એલ-1 સંપૂર્ણપણે સ્વદેશી

આદિત્ય એલ-1 મિશન સંપૂર્ણપણે સ્વદેશી છે. આમાં ઉપયોગમાં લેવાતા મોટા ભાગના સાધનો દેશમાં જ બનાવવામાં આવ્યા છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ એસ્ટ્રોફિઝિક્સ (IIA), બેંગલુરુની મહત્વની ભૂમિકા છે. તેણે વિઝિબલ એમિશન લાઇન ક્રોનોગ્રાફ (VELC) પેલોડ વિકસાવ્યું છે. એ જ રીતે, પુણેના યુનિવર્સિટી સેન્ટર ફોર એસ્ટ્રોનોમી એન્ડ એસ્ટ્રોફિઝિક્સે સોલર અલ્ટ્રાવાયોલેટ ઇમેજિંગ ટેલિસ્કોપ (SUIT) પેલોડનું નિર્માણ કર્યું છે.

મિશન આ રહસ્યો પરથી ઉઠાવશે પડદો

1. સૂર્ય વાતાવરણના તાપમાનને લગતી પ્રવૃત્તિઓનું નિરીક્ષણ કરવું.

2. યુવી પેલોડ અને એક્સ-રે પેલોડ સાથે સૂર્ય કિરણોનું નિરીક્ષણ કરવું

3. સૌર વાતાવરણમાં ગરમીના રહસ્યને લગતી માહિતી મેળવશે.

4. અવકાશના તાપમાનમાં સૂર્ય અને કિરણોની ભૂમિકા શું છે?

5. સૂર્યની ભૌગોલિક અને પર્યાવરણીય સ્થિતિ પર નજર રાખવી

આ સમાચાર પણ વાંચો : Turmeric Milk: આ લોકોએ ભૂલથી પણ ન પીવું જોઇએ હળદરવાળું દૂધ, ફાયદાની જગ્યાએ થશે નુકસાન

સૂર્ય મિશનનો આ છે લાભ

1. સૌર ગતિવિધિઓ અને તેનાથી સંબંધિત હવામાન પર નજર રાખી શકાય છે.

2. સૂર્યની બાજુથી હવામાનમાં થતા ફેરફારોનું અવલોકન કરવું શક્ય બનશે.

3. સૂર્યના તાપમાનની ઉપગ્રહો પર શું અસર પડે છે? તે જાણવા મળશે

4. ઉપગ્રહો અને સાધનોનું જીવન ચક્ર સૂર્યની ગરમીથી જાણી શકાશે.

સૂર્ય મિશનના આ છે પડકારો

1. સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર 15 કરોડ કિલોમીટરથી વધુ છે.

2. આ ઉપગ્રહની અવકાશમાં અથડામણની સંભાવના પણ સૌથી વધુ છે.

3. સૂર્યના તાપમાન અને અતિશય ગરમીને કારણે મિશન પર વધુ જોખમ છે.

4. સેટેલાઇટમાં સ્થાપિત સાધનો કેટલી સચોટ રીતે કામ કરે છે તે પણ મહત્વનું છે.

આદિત્ય L-1 કેટલી ગરમી સહન કરશે?

અમેરિકન સ્પેસ એજન્સી નાસાના પાર્કર સોલર પ્રોબને એક હજાર ડિગ્રી સેલ્સિયસથી વધુ ગરમી સહન કરી હતી. જોકે તેમ છતાં તે સંપૂર્ણ રીતે કાર્યરત હતો. ઈસરોના જણાવ્યા અનુસાર, આદિત્ય એલ-1ને આટલી ગરમીનો સામનો કરવો પડશે નહીં કારણ કે તે નાસાના મિશન કરતા સૂર્યથી ઘણું દૂર હશે. ભારતે સુરક્ષાના તમામ ધોરણોને ધ્યાનમાં રાખીને આદિત્ય એલ-1 તૈયાર કર્યું છે.

છ દાયકામાં 22 મિશન મોકલવામાં આવ્યા

ભારત સૂર્યના અભ્યાસ માટે પ્રથમ મિશન મોકલી રહ્યું છે. છેલ્લા છ દાયકામાં વિશ્વભરમાં સૂર્યને લગતા કુલ 22 મિશન મોકલવામાં આવ્યા છે. અમેરિકન સ્પેસ એજન્સી નાસાએ એકલા 14 મિશન મોકલ્યા છે. નાસાએ 2001માં જિનેસિસ મિશન શરૂ કર્યું હતું. તેનો હેતુ સૂર્યની પરિક્રમા કરતી વખતે સૌર પવનનો નમૂનો લેવાનો હતો.

Supreme Court Ruling on Disinheriting Son હવે તમે તમારા પુત્રને સંપત્તિમાંથી કરી શકશો બેદખલ, સુપ્રીમ કોર્ટે આપ્યો મોટો નિર્ણય
India Rejects Claims of Chinese Intrusion શું ચીન અરુણાચલ પ્રદેશમાં ૬૦ કિમી અંદર ઘૂસ્યું? હવે આવ્યો ભારત સરકારનો સ્પષ્ટ જવાબ
Cabinet Approves MultiTracking Railway Projects કેબિનેટે ચાર રાજ્યોમાં રેલવેના ચાર મલ્ટિટ્રેકિંગ પ્રોજેક્ટ્સને આપી મંજૂરી, ૯,૪૫૦ કરોડનો થશે ખર્ચ
NEET Exam Reform Supreme Court Report નીટ પરીક્ષા સુધારણા… રાધાકૃષ્ણન કમિટીના રિપોર્ટ પર સુપ્રીમ કોર્ટ કડક, NTA પાસેથી માંગ્યો જવાબ
Exit mobile version