Site icon News Continuous Bureau | Mumbai

Jammu & Kashmir: પૂંચ બાદ હવે બારામુલ્લામાં આતંકવાદીઓનું કાયરતાપૂર્ણ કૃત્ય, અઝાન આપી રહેલા આ નિવૃત્ત SSPની ગોળી મારી કરી હત્યા… સર્ચ ઓપરેશન ચાલુ ..

Jammu & Kashmir: જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓએ ફરી એકવાર નાપાક કૃત્ય આચર્યું છે. બારામુલ્લાના શેરીના ગંતમુલ્લામાં આતંકવાદીઓએ એક નિવૃત્ત પોલીસ અધિકારી મોહમ્મદ શફીની ગોળી મારીને હત્યા કરી દીધી છે.

Jammu & Kashmir After Poonch, now the cowardly act of terrorists in Baramulla, this retired SSP who was giving Azan was shot dead... Search operation continues

Jammu & Kashmir After Poonch, now the cowardly act of terrorists in Baramulla, this retired SSP who was giving Azan was shot dead... Search operation continues

News Continuous Bureau | Mumbai 

Jammu & Kashmir: જમ્મુ-કાશ્મીર ( Jammu & Kashmir ) માં આતંકીઓએ ( Terrorists ) ફરી એકવાર નાપાક કૃત્ય આચર્યું છે. બારામુલ્લાના ( Baramulla ) શેરીના ગંતમુલ્લામાં આતંકવાદીઓએ એક નિવૃત્ત પોલીસ અધિકારી મોહમ્મદ શફીની ગોળી મારીને ( Gun Firing ) હત્યા કરી દીધી છે. જ્યારે મોહમ્મદ શફી ( Mohmmad Shafi ) મસ્જિદમાં અઝાન આપી રહ્યા હતા ત્યારે આ આતંકવાદીઓએ આ કાયરતાપૂર્ણ કૃત્ય કર્યું હતું અને તેમને ગોળી મારી દીધી હતી. આ દરમિયાન શફી ઘાયલ થયો હતો અને બાદમાં તેનું મોત થયું હતું.

Join Our WhatsApp Channel

આતંકી હુમલા ( Terrorist attack ) બાદ તરત જ સુરક્ષા દળોએ ( Security forces ) સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે અને આતંકી હુમલામાં સામેલ આતંકીઓને પકડવા માટે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. જમ્મુ-કાશ્મીર પોલીસે પણ આ અંગે ટ્વિટ કરીને લોકોને આ વિસ્તારથી દૂર રહેવાની સલાહ આપી છે.

રાજૌરીમાં ( Rajouri ) આતંકવાદીઓએ સેનાના બે વાહનો પર હુમલો કર્યો હતો…

તમને જણાવી દઈએ કે ગત ગુરુવારે રાજૌરીમાં આતંકવાદીઓએ સેનાના બે વાહનો પર હુમલો કર્યો હતો. આ હુમલામાં સેનાના ચાર જવાન શહીદ થયા હતા, જ્યારે ત્રણ જવાન ઘાયલ થયા હતા. પાકિસ્તાની આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાની શાખા પીપલ્સ એન્ટી ફાસિસ્ટ ફ્રન્ટે આ હુમલાની જવાબદારી લીધી હતી. આ હુમલા પછી, સુરક્ષા દળોએ પૂંચના થાનામંડી-સુરનકોટ વિસ્તારમાં ડેરા ગલીમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું, જે આજે ચોથા દિવસે પણ ચાલુ છે.

આ સમાચાર પણ વાંચો :  VBSY : VBSY દરમિયાન 1 કરોડ આયુષ્માન કાર્ડ બનાવવામાં આવતા પીએમ ખુશી વ્યક્ત કરી

રાજૌરી/પુંછ આતંકવાદી હુમલામાં 3 થી 4 આતંકવાદીઓ સામેલ હતા. આ હુમલો ડેરા કી ગલી અને બુફલિયાઝની વચ્ચે ધત્યાર વળાંક પર કરવામાં આવ્યો હતો. જે રીતે આ હુમલો કરવામાં આવ્યો તે પરથી લાગે છે કે આતંકીઓએ હુમલો કરતા પહેલા રેકી કરી હતી અને પોતે પહાડીની ટોચ પર ગયા હતા અને પછી ત્યાંથી સેનાના બે વાહનો પર અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો હતો.

Rahul Gandhi Attacks BJP ‘ભાજપ ચૂંટણી લડવા નથી માંગતી, પરંતુ…’ કોંગ્રેસ ઉમેદવારની ધરપકડ પર રાહુલ ગાંધીનો આકરો પ્રહાર
TMC Rejinagar Candidate UTurn પશ્ચિમ બંગાળમાં રાજકીય નાટક! મમતા કેમ્પના ઉમેદવારે ફેરવી તોળ્યું, રેજીનગરમાં પેટાચૂંટણીનો જંગ જામશે
PM Modi On Carbon Emissions ગ્લોબલ ક્લાઈમેટ મંચ પર ભારતનો જવાબ પ્રદૂષણ માટે વિકસિત દેશો જવાબદાર, ગરીબ રાષ્ટ્રો પર અન્યાયી બોજ નહીં ચલાવી લેવાય!
Ajit Doval Reveals Secret Mission ‘ચીની સેનાએ પકડી લીધા હતા અમારા એજન્ટ્સ’ NSA અજિત ડોભાલે સંભળાવ્યો ૫૦ વર્ષ જૂનો કિસ્સો, ખોટા નકશાએ કેવી રીતે બગાડ્યું મિશન?
Exit mobile version