Site icon

Jammu Kashmir : જમ્મુ કાશ્મીના અનંતનાગમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ, આટલા જવાન ઘાયલ; સર્ચ ઓપરેશન શરૂ ચાલુ

Jammu Kashmir : સર્ચ ઓપરેશન દરમિયાન આતંકીઓએ સુરક્ષા દળો પર હુમલો કર્યો હતો. આ દરમિયાન આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ શરૂ થઈ ગઈ. આમાં એક જવાન પણ ઘાયલ થયો હતો. ભારતીય સેનાના જવાનો આતંકીઓને જડબાતોડ જવાબ આપી રહ્યા છે. સેનાને આતંકીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી. માહિતી મળ્યા બાદ જવાનોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.

Jammu Kashmir Soldiers Injured In Ongoing Gunfight With Terrorists In Anantnags Kokernag Area

Jammu Kashmir Soldiers Injured In Ongoing Gunfight With Terrorists In Anantnags Kokernag Area

News Continuous Bureau | Mumbai

Jammu Kashmir :જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં આજે આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. આ અથડામણમાં એક જવાન ઘાયલ થયો છે. 

Join Our WhatsApp Community

Jammu Kashmir : સર્ચ ઓપરેશન શરૂ ચાલુ 

સેનાના અધિકારીઓએ જણાવ્યું કે, આતંકવાદીઓની હાજરીની માહિતી મળ્યા બાદ સુરક્ષા દળોએ દક્ષિણ કાશ્મીર જિલ્લાના કોકરનાગ વિસ્તારમાં અહલાન ગાડોલેમાં ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું. અધિકારીઓએ જણાવ્યું કે જ્યારે આતંકવાદીઓએ સર્ચ ટીમ પર ગોળીબાર કર્યો ત્યારે સુરક્ષા દળોએ જવાબી કાર્યવાહી કરી, જેના કારણે એન્કાઉન્ટર થયું. તેમણે કહ્યું કે  સર્ચ ઓપરેશન શરૂ ચાલુ છે અને વિગતવાર માહિતીની રાહ જોવાઈ રહી છે.

આ સમાચાર પણ વાંચો: Martyr Army Jawan Pension: સંસદમાં મુદ્દો ઉઠયો. પત્ની કે પરિવાર.. ફરજ પર શહીદ થયેલા જવાનનું પેન્શન કોને મળશે? જાણો સરકારે શું કહ્યું.. ?

Jammu Kashmir :હુમલામાં એક જવાન શહીદ થયો 

અનંતનાગમાં ચાલી રહેલા આ એન્કાઉન્ટરને તાજેતરના મહિનાઓમાં જમ્મુ અને કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલાની કડી તરીકે જોવામાં આવી રહ્યું છે. લગભગ બે અઠવાડિયા પહેલા, સેનાએ કુપવાડા જિલ્લામાં નિયંત્રણ રેખા પર પાકિસ્તાનની બોર્ડર એક્શન ટીમ (BAT) દ્વારા કરવામાં આવેલા હુમલાને નિષ્ફળ બનાવ્યો હતો. આ હુમલામાં એક જવાન શહીદ થયો હતો અને મેજર રેન્કના અધિકારી સહિત ચાર અન્ય ઘાયલ થયા હતા.

Sabarmati Haridwar special train: સાબરમતી-હરિદ્વાર દ્વિ-સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના ફેરા વિસ્તારિત
Indian Army: હિમાલયની બરફીલી ચોટીઓ પર ટ્રેન દોડાવીને ભારતીય સેનાએ ચીનને ચોંકાવ્યું.
Nowgam blast: નૌગામમાં સેમ્પલિંગની કાર્યવાહી દરમિયાન વિસ્ફોટ, તપાસ અધિકારી સહિત ૯ લોકોના મોતથી ખળભળાટ.
PM Modi Gujarat Tour: PM મોદી આજે ગુજરાતને ₹૯,૭૦૦ કરોડની સોગાદ આપશે, કયા કયા ક્ષેત્રોને મળશે લાભ?
Exit mobile version