Site icon News Continuous Bureau | Mumbai

તો શું રામ મંદિર મુદ્દે શાહરુખ ખાન મધ્યસ્થી કરવાનું હતું? જસ્ટિસ બોબડે ના રિટાયરમેન્ટ ના છેલ્લા દિવસે થયો મોટો ખુલાસો…

ન્યૂઝ કન્ટીન્યૂઝ બ્યુરો .
મુંબઈ, 24 એપ્રિલ 2021.
શનિવાર 
            સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ એસએ બોબડેનો મુખ્ય ન્યાયાધીશ તરીકે શુક્રવારે અંતિમ દિવસ હતો. સુપ્રીમ કોર્ટ બાર અસોસિએશને તેમને વર્ચ્યુઅલ સમારોહમાં વિદાય આપી હતી.જસ્ટિસ બોબડેના રિટાયરમેન્ટના દિવસે એક ખૂબ જ દિલચસ્પ ખુલાસો પણ થયો છે.


        સુપ્રીમ કોર્ટ બાર અસોસિએશનના અધ્યક્ષના જણાવ્યા અનુસાર અયોધ્યા વિવાદની સુનાવણી દરમિયાનવિશેષ પીઠના સદસ્ય જસ્ટિસ બોબડેના મધ્યસ્થતાના પ્રયત્નોનો ઉલ્લેખ કર્યો હતો. તેઓ અયોધ્યા વિવાદ મામલે શાહરૂખ ખાન દ્વારા મધ્યસ્થી કરાવવા માંગતા હતા. આ સંવેદનશીલ મુદ્દાના ઉકેલ માટે સમિતિના સભ્યોના નામ માંગવામાં આવ્યા હતા અને બાદમાં સમિતિ પણ બનાવાઈ હતી. તે સમયે જસ્ટિસ બોબડેએ શું શાહરૂખ ખાન મધ્યસ્થતા સમિતિમાં સામેલ થવા તૈયાર થશે તેવો સવાલ કર્યો હતો. કારણ કે, જસ્ટિસ બોબડે આ વિવાદનો એવો સર્વમાન્ય ઉકેલ ઈચ્છતા હતા જેમાં કોઈને કોઈ જાતની આપત્તિ ન હોય. જોકે તે સંદર્ભે શાહરૂખ ખાન સાથે વાત પણ કરી હતી અને તેઓ આ માટે ઉત્સાહપૂર્વક તૈયાર પણ થઈ ગયા હતા પરંતુ પછી વાત આગળ નહોતી વધી.

Join Our WhatsApp Channel

બેસ્ટની નવી એરકન્ડીશન મિની બસ હવે બની ગઈ હરતી ફરતી રેસ્ટોરન્ટ. રોજ પાંચ હજાર લોકોને ખાવાનું પૂરું પાડે છે.
      ઉલ્લેખનીય છે કે,જસ્ટિસ એસએ બોબડેએ પોતાના આશરે 17 મહિનાના કાર્યકાળના અંતિમ દિવસે કોર્ટ રૂમમાંથી વિદાય લેતા પહેલા પોતે પોતાના કાર્યકાળમાં 'બેસ્ટ' આપ્યું છે તેમ જણાવ્યું હતું. મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ બોબડેની પ્રશંસા કરતા કહ્યું કે, જ્યારે ગત વર્ષે માર્ચ મહિનામાં કોરોના મહામારીનું વિકરાળ સ્વરૂપ ભારતમાં ફેલાવા લાગ્યું ત્યારે તેમણે ફિઝિકલ સુનાવણીને વર્ચ્યુઅલ સુનાવણીમાં ફેરવી દીધી હતી. જોકે બોબડે પહેલા એવા ન્યાયાધીશ છે જેમને વર્ચ્યુઅલ સમારોહમાં વિદાય આપવામાં આવી છે.

FCRA Bill JPC Review વિદેશી ફંડિંગ કાયદામાં ફેરફારથી કેમ મચ્યો હોબાળો? ચર્ચનો વિરોધ અને યુએસ દબાણ વચ્ચે સરકાર માટે JPC કેમ બન્યું સેફટી વાલ્વ
NASA Invites India Moon Base Mission ચંદ્ર પર કાયમી વસાહત વસાવવાની તૈયારી નાસાએ ભારતને આપ્યું ખાસ આમંત્રણ, સ્પેસ સાયન્સમાં રચાશે નવો ઇતિહાસ
BJP Internal Rebellion Resignations ભાજપમાં આંતરિક અસંતોષ ચરમસીમાએ એક પછી એક રાજીનામાથી હાઈકમાન્ડ ચિંતામાં, દિગ્ગજ નેતાને દિલ્હીનું તેડું
Amit Shah Statement on Students in Lok Sabha લોકસભામાં આવતીકાલે વિદ્યાર્થીઓ અંગે નિવેદન આપી શકે છે અમિત શાહ, સંસદમાં રાહુલખડગે વચ્ચે બેઠક
Exit mobile version