News Continuous Bureau | Mumbai
જસ્ટિસ ઉદય ઉમેશ લલિત ભારતના 49મા ચીફ જસ્ટિસ બન્યા છે.
કેન્દ્ર સરકારે એક જાહેરનામું બહાર પાડીને જસ્ટિસ ઉદય ઉમેશ લલિતને ભારતના 49મા મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત કર્યા છે.
ભારતના ચીફ જસ્ટિસ તરીકે તેમનો કાર્યકાળ ત્રણ મહિનાથી પણ ઓછો હશે. જસ્ટિસ લલિત 8 નવેમ્બરે રિટાયર થશે.
ગયા અઠવાડિયે ભારતના ચીફ જસ્ટિસ એનવી રમનાએ ચીફ જસ્ટિસ તરીકે જસ્ટિસ લલિતના નામની ભલામણ કરી હતી
ઉલ્લેખનીય છે કે હાલના ચીફ જસ્ટિસ એનવી રમના આગામી 26 ઓગસ્ટે નિવૃત થઈ રહ્યા છે.
આ સમાચાર પણ વાંચો : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સંપત્તિ 26 લાખ વધી- કુલ સંપત્તિ કેટલી જાણો અહીં
