Site icon

Kedarnath Ropeway: કેદારનાથના દર્શન થશે અત્યંત સરળ! અદાણી ગ્રુપે શેર કર્યો રોપવે પ્રોજેક્ટનો વીડિયો, જાણો કેટલો હશે મુસાફરીનો સમય

અદાણી ગ્રૂપ દ્વારા સોનપ્રયાગથી કેદારનાથ સુધી 12.9 કિમીનો અત્યાધુનિક રોપવે બનાવવામાં આવી રહ્યો છે, જે 36 મિનિટમાં યાત્રા પૂરી કરશે.

Kedarnath Ropeway કેદારનાથના દર્શન થશે અત્યંત સરળ! અદાણી ગ્રુપે શેર કર્યો રોપવે પ્રોજેક્ટનો વીડિયો,

Kedarnath Ropeway કેદારનાથના દર્શન થશે અત્યંત સરળ! અદાણી ગ્રુપે શેર કર્યો રોપવે પ્રોજેક્ટનો વીડિયો,

News Continuous Bureau | Mumbai

Kedarnath Ropeway કેદારનાથની મુશ્કેલ યાત્રા હવે સરળ થવા જઈ રહી છે. અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીએ તાજેતરમાં સોનપ્રયાગ-કેદારનાથ રોપવે પરિયોજનાનો એક વીડિયો શેર કર્યો છે. અદાણી ગ્રૂપ ઉત્તરાખંડના પવિત્ર કેદારનાથ ધામને સોનપ્રયાગથી જોડવા માટે એક અત્યાધુનિક રોપવે બનાવી રહ્યું છે. આ રોપવે શ્રદ્ધાળુઓની યાત્રાને પહેલાં કરતાં વધુ સરળ, સુરક્ષિત અને ઓછા સમયમાં પૂરી કરવામાં મદદ કરશે.

Join Our WhatsApp Community

36 મિનિટમાં 12.9 કિમીની મુસાફરી

આ નવો રોપવે સોનપ્રયાગથી લઈને કેદારનાથ સુધી કુલ 12.9 કિલોમીટર લાંબો હશે. અત્યાર સુધી આ યાત્રા પૂરી કરવામાં લગભગ 8 થી 9 કલાક લાગતા હતા, જેમાં પદયાત્રા અને હવામાનના પડકારો સામેલ હતા. પરંતુ આ રોપવે ના બન્યા પછી આ અંતર માત્ર 36 મિનિટમાં કાપી શકાશે. આ ખાસ કરીને વૃદ્ધો, મહિલાઓ અને બાળકો માટે મોટી રાહતની વાત છે.

દર કલાકે 1800 યાત્રી કરી શકશે મુસાફરી

આ પરિયોજનામાં આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. એક સમયમાં 35 લોકોની ક્ષમતાવાળા ગોંડોલા (કેબિન) થી દર કલાકે 1800 યાત્રીઓ એક દિશામાં મુસાફરી કરી શકશે. આ ભારતનો પહેલો 3S ટ્રાય-કેબલ રોપવે (3S Try-Cable Ropeway) હશે, જે દુનિયાની સૌથી સુરક્ષિત અને એડવાન્સ્ડ રોપવે ટેક્નોલોજીમાં ગણાશે.મીડિયા રિપોર્ટ મુજબ, આ પ્રોજેક્ટ પર કુલ ₹4,081 કરોડનું રોકાણ કરવામાં આવી રહ્યું છે.

આ સમાચાર પણ વાંચો : Vande Bharat 4.0: બુલેટ ટ્રેનને ટક્કર આપશે વંદે ભારત 4.0: રેલ મંત્રીએ જણાવી પૂરી યોજના, જાણો શું હશે નવી રફ્તાર?

પર્વતમાલા પરિયોજનાનો ભાગ

આ રોપવે કેન્દ્ર સરકારની પર્વતમાલા પરિયોજના હેઠળ બનાવવામાં આવી રહ્યો છે. જેનો ઉદ્દેશ્ય પર્વતીય વિસ્તારોમાં રોપવે જેવા કનેક્ટિવિટીના સાધનોને પ્રોત્સાહન આપવાનો છે, જેનાથી પ્રવાસન અને સ્થાનિક અર્થતંત્રને બળ મળે. અદાણી ગ્રૂપે પર્યાવરણ સંતુલનને ધ્યાનમાં રાખીને સ્થાનિક લોકોની ભાગીદારી સાથે નિર્માણ કાર્ય કરવાનો વાયદો કર્યો છે.

Mumbai-Ahmedabad Vande Bharat Express: પશ્ચિમ રેલવેનો મોટો ધમાકો! મુંબઈ-અમદાવાદ વંદે ભારતમાં કોચની સંખ્યા વધીને ૨૦ થઈ; મુસાફરો માટે ખુશીના સમાચાર
Gurmeet Ram Rahim Acquittal HC: પત્રકાર હત્યા કેસમાં મોટો ઉલટફેર! ગુરમીત રામ રહીમ નિર્દોષ જાહેર; હાઈકોર્ટે કેમ પલટાવ્યો નીચલી અદાલતનો ચુકાદો? જાણો વિગત.
Finance Ministry Report: ઈઝરાયેલ-ઈરાન સંકટથી ભારતનું બજેટ ખોરવાશે! રૂપિયો તળિયે જવાની અને મોંઘવારી વધવાની આશંકા; જાણો નાણા મંત્રાલયની ચેતવણી
LPG Price Hike: યુદ્ધની આગ રસોડા સુધી પહોંચી! મિડલ ઈસ્ટ ટેન્શન વચ્ચે રાંધણ ગેસમાં થયો વધારો; શું હજુ પણ વધી શકે છે કિંમતો?.
Exit mobile version