ભારતમાં ઓમિક્રોનનો ખતરો વધ્યો! હવે આ રાજ્યમાં નોંધાયો કેસ, જાણો અત્યાર સુધીમાં દેશમાં કેટલા કેસ આવ્યા સામે

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 13 ડિસેમ્બર 2021      

સોમવાર

ઓમિક્રોન દિવસેને દિવસે ભારતમાં ચિંતા વધારી છે.

પ્રાપ્ત જાણકારી મુજબ હવે કેરળમાં પણ ઓમીક્રોનનો એક કેસ મળી આવ્યો છે.

દર્દી કેરળનો વતની હતો જે તાજેતરમાં યુનાઇટેડ કિંગડમથી કોચિન પરત આવ્યો હતો.

જો કે, ઓમિક્રોનથી સંક્રમિત થયેલા દર્દીમાં કોઈ ગંભીર લક્ષણો જોવા મળ્યા નથી.

હાલ તંત્ર દ્વારા અગમચેતીના પગલા રૂપે ક્વોરન્ટાઈન કરવામાં આવ્યો છે અને તેની સાર સંભાળ રાખવામાં આવી રહી છે. 

ભારતમાં અત્યાર સુધીમાં ઓમિક્રોનના કુલ 38 કેસ સામે આવ્યા છે. 

ઉલ્લેખનીય છે કે કેરળ પહેલા મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન, દિલ્હી, કર્ણાટક, આંધ્રપ્રદેશ,ચંદીગઢમાં ઓમિક્રોનના કેસ નોંધાઈ ચુક્યા છે.

ઓમિક્રોન સામે લડવા માટે આ દેશનો મોટો નિર્ણય, આજથી શરૂ થશે વેક્સિન બુસ્ટર ડોઝનું બુકિંગ; જાણો વિગતે 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More