Site icon

ખાદી અને વિલેજ ઇન્ડસ્ટ્રીઝ 1,45,528 લોકોને ટ્રેનિંગ અને રોજગાર આપશે

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
27 મે 2020
ખાદી અને વિલેજ ઇન્ડસ્ટ્રીઝ 145528 ને રોજગાર આપશે. ઉત્તર પ્રદેશ સરકારે કહ્યું છે કે ખાદી અને ગ્રામ ઉદ્યોગ વિભાગ વિવિધ યોજનાઓમાં 1,45,528 લોકોને રોજગાર આપાશે. રાજ્યમાં ખાદીની વિવિધ યોજનાઓ અંતર્ગત, 145528 લોકોને રોજગારની તકો પૂરી પાડવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. તેના જણાવ્યા મુજબ રાજ્ય સરકારની મહત્વાકાંક્ષી યોજના "મુખ્યમંત્રી મતી કલા કાર્યક્રમને" વધુ અસરકારક બનાવવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. રાજ્યના નવ વિભાગમાં 2700 માઇક્રો મેટ્રિકના સામાન્ય સુવિધા કેન્દ્રો સ્થાપવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આ કેન્દ્રોની કામગીરી બાદ 10500 લોકોને રોજગારની તકો મળશે. તેમણે કહ્યું કે વડા પ્રધાન રોજગાર જનરેશન પ્રોગ્રામ અંતર્ગત 2572 યુનિટની સ્થાપના કરાશે સાથે જ 20576 લોકોને રોજગાર સાથે જોડાશે. મુખ્યમંત્રી ગ્રામયોગ રોજગાર યોજના હેઠળ પણ 800 એકમો સ્થાપવાનું લક્ષ્ય છે, જેમાં 16000 લોકોને રોજગારની તકો મળશે. તેવી જ રીતે, સોલાર ચખખા વિતરણ અને તાલીમ કાર્યક્રમ અંતર્ગત 1000 વ્યક્તિઓને તાલીમ આપવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. પંડતી દીન દયાળ ઉપાધ્યાય ખાદી માર્કેટિંગ સહાય કાર્યક્રમ દ્વારા 50 હજાર લોકોને રોજગારની તકો ઉપલબ્ધ કરાશે.
નોંધનીય છે કે હાલમાં જ સેંકડોની સંખ્યામાં વિસ્થાપિત થયેલા શ્રમિકોએ ઉત્તર પ્રદેશ પોતાના વતનની વાટ પકડી છે, ત્યારે યોગી આદિત્યનાથે આ લોકો માટે ખાસ મંત્રાલય બનાવવાની વાત કહી હતી.
આમ ખાદીને જ લાગતા વિવિધ વિભાગો વચ્ચે સમન્વય સાધી સાધનની પૂરતી કરવા સાથે જ ટ્રેનીંગ પણ આપવામાં આવશે..

Join Our WhatsApp Community
CP Radhakrishnan: મહારાષ્ટ્રના રાજ્યપાલ પદનો વધારાનો હવાલો આચાર્ય દેવવ્રતને સોંપાયો
Fast Track Immigration: વિદેશ યાત્રા કરતા લોકો માટે સારા સમાચાર, હવે લખનૌ સહિત દેશના 13 એરપોર્ટ પર ફાસ્ટ ટ્રેક ઇમિગ્રેશન સેવા ઉપલબ્ધ
PM Modi: PM મોદીએ મોરેશિયસના PM સાથે કરી મુલાકાત, જાણો બંને વચ્ચે કયા કરારો પર થયા હસ્તાક્ષર
ISIS: દેશમાં મોટું આતંકી કાવતરું થયું નિષ્ફળ, ૩ રાજ્યોમાંથી ISIS ના આટલા શંકાસ્પદ આતંકીઓની ધરપકડ
Exit mobile version