Site icon

ભારત સામે પાકિસ્તાન ઘુંટણીએ, કહ્યું અમે કુલભુષણ જાધવ ને અપીલ નો મોકો આપશું. જાણો વિગત

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Community

9 જુલાઈ 2020

કુલભૂષણ જાધવ મામલે ભારતના કડક વલણને લઈને પાકિસ્તાને પોતાના નિર્ણય પરથી પીછેહઠ કરી છે. પાકિસ્તાન વિદેશ મંત્રાલયે મોડી સાંજે કુલભૂષણ જાધવને મોતની સજાના વિરોધમાં અપીલ કરવાની અનુમતિ આપી છે.

પાકિસ્તાને દાવો કર્યો છે કે જાધવને આ અપીલ કરવાની છૂટ આપી એ પહેલા વિશિષ્ટ અધ્યાદેશ લાવવો પડ્યો છે. જોકે, ભારતે પાકિસ્તાનના આ દાવાને જુઠ્ઠાણું ગણાવ્યુ છે. પાડોશી દેશના છેલ્લા 4 વર્ષથી ચાલી રહેલા નાટકનો જ એક ભાગ છે અને તે માત્ર અને માત્ર આ મામલે ભ્રમણા ઉભી કરવા માંગે છે. એમ ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું છે. ભારતનું સ્પષ્ટ કહેવું છે કે જાધવ પર આ મામલે અરજી દાખલ ન કરવા માટે દબાણ કરવામાં આવ્યું છે. 

ઉલ્લેખનીય છે કે, ગઈકાલે બપોરે પકિસ્તાને દાવો કર્યો હતો કે "જાધવ પોતાને થયેલી ફાંસીની સજાના વિરોધમાં અપીલ કરવા ઇન્કાર નથી માંગતો'. જોકે સાંજ થતા સુધીમાં પાકે પોતાના જ નિવેદનથી પલટી મારતા પાકિસ્તાની વિદેશ મંત્રાલયે દાવો કર્યો હતો કે પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય ન્યાયાલયના નિર્ણય મુજબ તમામ જરૂરી પગલાં લીધાં છે. તેમને જણાવ્યું કે જાધવ અથવા તેમના કાનૂની પ્રતિનિધિ અથવા ઇસ્લામાબાદમાં ભારતના કાઉન્સિલર અધિકારી અપીલ અને સમીક્ષા અરજી કરી શકે છે. સાથે જ બીજા કોન્સ્યૂલર એક્સેસની અનુમતી પણ મેળવી શકે છે….

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/2Zdla3G  

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com 

Natural Farming India: પ્રાકૃતિક કૃષિ ‘લેખમાળા-૪૨ :સુરત જિલ્લો’
Siddaramaiah: કર્ણાટકના CM સિદ્ધારમૈયાએ અઝીમ પ્રેમજી પાસેથી ઉધારમાં માંગ્યો એક રોડ, જાણો શું છે તેની પાછળ નું કારણ
Gandhinagar Startups: સ્ટાર્ટઅપ્સ કોન્કલેવ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માઈન્ડ ટુ માર્કેટના વિચારને સાર્થક કરવાનો મંચ બનશે: કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહ
Azam Khan: આઝમ ખાન જેલમાંથી મુક્ત, પુત્રો સાથે અહીં જવા થયા રવાના, સમર્થકો નો જમાવડો
Exit mobile version