Indian Air Force: ભારતીય વાયુસેના દ્વારા વાયનાડમાં ભૂસ્ખલન બચાવ અને રાહત પ્રયાસ

Indian Air Force: હાલમાં જ કેરળના વાયનાડમાં વિનાશક ભૂસ્ખલનન પછી, પ્રથમ પ્રતિભાવકર્તા તરીકે ભારતીય વાયુસેના ( IAF )એ NDRF અને રાજ્ય વહીવટ પ્રશાસન જેવી અન્ય એજન્સીઓ સાથે સંકલન કરીને 30 જુલાઈ 24ની વહેલી સવારથી બચાવ અને રાહત કામગીરી શરૂ કરી.

by Hiral Meria
Landslide rescue and relief effort in Wayanad by Indian Air Force

News Continuous Bureau | Mumbai 

 Indian Air Force: હાલમાં જ કેરળના વાયનાડમાં વિનાશક ભૂસ્ખલનન ( Wayanad Landslide  ) પછી, પ્રથમ પ્રતિભાવકર્તા તરીકે ભારતીય વાયુસેના ( IAF )એ NDRF અને રાજ્ય વહીવટ પ્રશાસન જેવી અન્ય એજન્સીઓ સાથે સંકલન કરીને 30 જુલાઈ 24ની વહેલી સવારથી બચાવ અને રાહત કામગીરી શરૂ કરી. 

Landslide rescue and relief effort in Wayanad by Indian Air Force

Landslide rescue and relief effort in Wayanad by Indian Air Force

IAFના ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટે એરલિફ્ટિંગ ક્રિટિકલ લોજિસ્ટિક્સ સપ્લાય તેમજ ઇવેક્યુએશન ઓપરેશન્સમાં મહત્વની ભૂમિકા ભજવી છે. C-17 એ 53 મેટ્રિક ટન આવશ્યક પુરવઠો જેમ કે બેઈલી બ્રિજ, ડોગ સ્ક્વોડ, તબીબી સહાય અને બચાવ સહાય કામગીરી માટે અન્ય આવશ્યક સાધનોનું પરિવહન કર્યું છે. વધુમાં, રાહત સામગ્રી અને કર્મચારીઓને લઈ જવા માટે An-32 અને C-130નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સામૂહિક રીતે, IAFના આ વિમાનોએ ( IAF Aircrafts ) બચાવ ટુકડીઓ અને વિસ્થાપિત રહેવાસીઓ સહિત 200થી વધુ લોકોને આપત્તિગ્રસ્ત વિસ્તારમાં અને ત્યાંથી લઈ જવાની સુવિધા આપી છે. જ્યારે પડકારજનક હવામાન ઉડ્ડયનને અડચણ ઊભી કરી રહ્યું છે, ત્યારે IAF એચએડીઆર સંચાલન કરવા માટે ઉપયુક્ત સમય મળી રહ્યો છે.  કામગીરી હાથ ધરવા માટે યોગ્ય સમય શોધી રહી છે.

Landslide rescue and relief effort in Wayanad by Indian Air Force

Landslide rescue and relief effort in Wayanad by Indian Air Force

આ સમાચાર પણ વાંચો : Lt Gen Sadhna Saxena Nair : લેફ્ટનન્ટ જનરલ સાધના સક્સેના નાયર પ્રથમ મહિલા ડીજી મેડિકલ સર્વિસ (સેના) બન્યાં

વાયુસેનાએ આ પ્રયાસો માટે વિવિધ કાફલાના હેલિકોપ્ટર તૈનાત કર્યા છે. Mi-17 અને ધ્રુવ એડવાન્સ લાઇટ હેલિકોપ્ટર ( Dhruv Advanced Light Helicopter ) ને HADR ઓપરેશન ( HADR operation ) હાથ ધરવા માટે સામેલ કરવામાં આવ્યા છે. પ્રવર્તમાન વ્યાપક ખરાબ હવામાન પરિસ્થિતિઓ હોવા છતાં, IAF એરક્રાફ્ટ ફસાયેલા લોકોને નજીકની તબીબી સુવિધાઓ અને સલામત વિસ્તારોમાં ખસેડવાનું અને 31 જુલાઈ 24ની મોડી સાંજ સુધી આવશ્યક પુરવઠો પહોંચાડવાનું યથાવત રાખે છે. બચાવ કામગીરી ચાલી રહી હોવાથી આ હેલિકોપ્ટરોએ મોટી સંખ્યામાં લોકોને એરલિફ્ટ કર્યા છે. જેના પગલે અસરગ્રસ્ત વિસ્તારોના લોકોને તેમના સલામત અને તાત્કાલિક પરિવહનની સુવિધા સુનિશ્ચિત થઈ છે.

Landslide rescue and relief effort in Wayanad by Indian Air Force

Landslide rescue and relief effort in Wayanad by Indian Air Force

ભારતી વાયુસેના કેરળના આપત્તિગ્રસ્ત લોકોને શક્ય તમામ સહાય પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છે.

Landslide rescue and relief effort in Wayanad by Indian Air Force

Landslide rescue and relief effort in Wayanad by Indian Air Force

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More