Site icon News Continuous Bureau | Mumbai

શું સરકાર સમગ્ર દેશમાં લાવી રહી છે સમાન નાગરિકતા અધિનિયમ- જાણો શું કહ્યું કિરેન રિજિજુએ

Modi cabinet reshuffle: Union Minister Arjun Ram Meghwal replaces Kiren Rijiju as the Law Minister

મોદી કેબિનેટમાં અચાનક જ મોટા ફેરબદલ, કિરેન રિજિજુ પાસેથી ખેંચી લેવાયું કાયદા મંત્રાલય. હવે આ નેતા સંભાળશે જવાબદારી

News Continuous Bureau | Mumbai

આપણા દેશ(India)માં સમાન નાગરિક સંહિતા(Uniform Civil Code)ને લઈને ઘણી ચર્ચાઓ ચાલી રહી છે. ઘણા લોકોનું માનવું છે કે, કેન્દ્ર સરકાર (Central govt)આ કાનૂન દેશમાં લાગુ કરી શકે છે. જોકે કેન્દ્ર સરકારે કહ્યું છે કે આખા દેશમાં સમાન નાગરિક સંહિતા લાવવાનો હાલ કોઈ વિચાર નથી, પરંતુ રાજ્ય સરકારો આવો કાયદો લાવવા માટે સ્વતંત્ર છે.

Join Our WhatsApp Channel

મીડિયા રિપોર્ટ મુજબ કેન્દ્ર સરકાર વતી કાયદા પ્રધાન કિરેન રિજિજુ(Law Minister Kiren Rijiju)એ શુક્રવારે સંસદ(Parliament)માં એક પ્રશ્નનો જવાબ આપતાં સ્પષ્ટ કર્યું કે કેન્દ્ર સરકાર હાલમાં સમગ્ર દેશમાં સમાન નાગરિક સંહિતા લાવવા પર વિચાર કરી રહી નથી. તેમણે કહ્યું કે તેનું એક કારણ એ છે કે સુપ્રીમ કોર્ટ(Supreme court)માં આ અંગે ઘણા કેસ પેન્ડિંગ છે અને આવી સ્થિતિમાં કેન્દ્ર સરકારે સમાન નાગરિક સંહિતા લાગુ કરવાનો કોઈ નિર્ણય લીધો નથી. આ ઉપરાંત કાયદા મંત્રીએ એ પણ જણાવ્યું કે બંધારણ મુજબ રાજ્ય સરકારો(State govt)ને તેમના વતી તેમના રાજ્યમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરવાનો સંપૂર્ણ અધિકાર છે. કાયદા પંચે પારિવારિક કાયદામાં સુધારાને લઈને તેની વેબસાઈટ પર લોકોનો અભિપ્રાય માંગ્યો છે. આ કાયદો યુનિફોર્મ સિવિલ કોડને લગતા મોટાભાગના મુદ્દાઓને આવરી લે છે.

આ સમાચાર પણ વાંચો : શિવસેના કોની- ઉદ્ધવ ઠાકરેની ટીમ ચૂંટણી પંચના આદેશની સામે સુપ્રીમ કોર્ટ પહોંચી- કરી આ માંગ 

કેન્દ્ર સરકારનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ઉત્તરાખંડ સરકાર(Uttarakhand govt) રાજ્યમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરવા પર ઝડપથી કામ કરી રહી છે. ૧૪ જુલાઈના રોજ, ઉત્તરાખંડમાં સમાન નાગરિક સંહિતાનો મુસદ્દો તૈયાર કરવા માટે રચાયેલી નિષ્ણાત સમિતિની બીજી બેઠક નવી દિલ્હીમાં યોજાઈ હતી.

ઉલ્લેખનીય છે કે ૧૨ ફેબ્રુઆરીએ, આ વર્ષે વિધાનસભાની ચૂંટણી પહેલા, મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ કહ્યું હતું કે સરકારની રચના થતાં જ રાજ્યમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરવામાં આવશે. રાજ્યમાં બે તૃતીયાંશ બહુમતી થી ભાજપ સત્તામાં પરત ફર્યા બાદ ફરીથી મુખ્ય પ્રધાન બનેલા ધામીએ રાજ્યની પ્રથમ બેઠકમાં સમાન નાગરિક સંહિતાનો ડ્રાફ્ટ તૈયાર કરવા નિષ્ણાત સમિતિની રચના કરવાના નિર્ણયને મંજૂરી આપી હતી.

Rahul Gandhi Overnight Protest PM Residence PM આવાસ બહાર રાહુલ ગાંધીના આખી રાત ધામા? મોદી, શાહ અને ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની ઉગ્ર માંગથી રાજકારણ ગરમાયું!
Education Budget Share In Modi Govt દેશના ભવિષ્ય કરતા રોડરસ્તા વધુ મહત્વના? છેલ્લા કેટલાક વર્ષોમાં શિક્ષણ મંત્રાલયની ફાળવણીમાં મોટો કાપ
CJP Sacks Spokesperson Vijeta Dahiya આંદોલન દરમિયાન બર્ગર ખાવું ભારે પડ્યું CJP એ પ્રવક્તા વિજેતા દહિયાને પદ પરથી હટાવ્યા
CJP Leader Abhijeet Dipke Allegations સરકારે વાતચીતના બહાને બોલાવી નજરકેદ કર્યા લાઠીચાર્જ અને પોલીસ બર્બરતા મુદ્દે અભિજીત દીપકેનો ગંભીર આરોપ
Exit mobile version