265
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૫ મે ૨૦૨૧
મંગળવાર
આશરે ૭૦ વર્ષ પછી ભારત દેશમાં ચિત્તાનું આગમન થશે. ૧૯૫૨માં છત્તીસગઢ વિસ્તારમાં ભારત દેશનો છેલ્લો ચિત્તો મૃત્યુ પામ્યો. આની સાથે જ ભારતમાં ચિત્તાનું અસ્તિત્વ હંમેશ માટે ખતમ થઈ ગયું. હવે આફ્રિકા ભારતની મદદે આવ્યું છે. આફ્રિકાથી ભારતમાં પાંચ નર તેમ જ ત્રણ માદા એમ કુલ મળીને આઠ ચિત્તા લાવવામાં આવશે. મધ્ય પ્રદેશના કુનો નૅશનલ પાર્કમાં તેમને છૂટા મૂકવામાં આવશે. આ સંદર્ભે આફ્રિકાના વનવિભાગના અધિકારીઓ ભારતની મુલાકાત લઈને પરત આફ્રિકા ચાલી ગયા છે.
જો આ યોજના અમલમાં આવશે અને ચિત્તા ભારતની ભૂમિને અપનાવશે તો ભારતમાં ફરી એક વખત ચિત્તાની પ્રજાતિ પેદા થશે.
You Might Be Interested In