Lok Sabha Elections : રાજસ્થાનમાં આજે થઈ શકે છે નવા સીએમના નામનું એલાન.. મુખ્યમંત્રીની સાથે બે નાયબ મુખ્યમંત્રી પણ મળી શકે છે…. આ ફોર્મ્યુલા પર કરાશે કામ..

Lok Sabha Elections : રાજસ્થાનમાં મુખ્યમંત્રી ઉપરાંત બે નાયબ મુખ્યમંત્રી બનાવવાની ફોર્મ્યુલા પણ લાગુ થઈ શકે છે. એવું માનવામાં આવે છે કે જો બે મુખ્યમંત્રી હશે તો એક મહિલા ઉપમુખ્યમંત્રી હશે. આ ઉપરાંત આદિવાસી અને રાજપૂત ચહેરાઓને પણ આ પદો માટે તક આપવામાં આવી શકે છે, પરંતુ આ ચહેરાઓ અંગેનો નિર્ણય સમીકરણ મુજબ મુખ્યમંત્રી પદ નક્કી થયા બાદ લેવામાં આવશે.

by Hiral Meria
Lok Sabha Elections The name of the new CM may be announced in Rajasthan today.. Along with the Chief Minister

News Continuous Bureau | Mumbai

Lok Sabha Elections : રાજસ્થાન ( Rajasthan ) માં મુખ્યમંત્રી ( Chief Minister ) ઉપરાંત બે નાયબ મુખ્યમંત્રી ( Deputy Chief Minister ) બનાવવાની ફોર્મ્યુલા પણ લાગુ થઈ શકે છે. એવું માનવામાં આવે છે કે જો બે મુખ્યમંત્રી હશે તો એક મહિલા ઉપમુખ્યમંત્રી હશે. આ ઉપરાંત આદિવાસી ( Tribal ) અને રાજપૂત ( Rajput ) ચહેરાઓને પણ આ પદો માટે તક આપવામાં આવી શકે છે, પરંતુ આ ચહેરાઓ અંગેનો નિર્ણય સમીકરણ મુજબ મુખ્યમંત્રી પદ નક્કી થયા બાદ લેવામાં આવશે. તેમજ આ ફોર્મ્યુલાથી પાર્ટીના તમામ જૂથોને આકર્ષવાના પ્રયાસો કરવામાં આવશે.

રાજસ્થાનના નવા મુખ્યમંત્રીની નિમંણુકને લઈને દિલ્હી ( Delhi ) થી જયપુર ( Jaipur ) સુધી ભાજપ ( BJP ) માં અસમંજસ પ્રવર્તી રહી છે. બીજેપી વિધાયક દળની બેઠક આજે યોજાશે, પરંતુ તે પહેલા શનિવારે (09 ડિસેમ્બર) સાંજે રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા ( J P Nadda ) તમામ ધારાસભ્યો સાથે ચર્ચા કરી હતી. જે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

આ સમાચાર પણ વાંચો : Padgha-Borivali NIA Raid : મોટા સમાચાર.. ISIS મોડ્યુલનો પર્દાફાશ…પડઘા બોરિવલામાં NIAના દરોડા.. આટલા લોકોની ધરપકડ..

બાબા બાલકનાથે ( Baba Balakanath ) મુખ્યમંત્રી બનવા અંગે ચાલી રહેલી ચર્ચાઓને ફગાવી દીધી છે…

દરમિયાન બાબા બાલકનાથે મુખ્યમંત્રી બનવા અંગે ચાલી રહેલી ચર્ચાઓને ફગાવી દીધી હતી. તેણે સોશિયલ મીડિયા પર લખ્યું કે કૃપા કરીને મારા વિશેની ચર્ચાઓને અવગણો. હું હજુ પણ વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ અનુભવ લેવાનો છે. મુખ્યમંત્રીનું નામ નક્કી કરવા માટે નિયુક્ત કરાયેલા નિરીક્ષક શનિવાર સાંજ સુધીમાં જયપુર આવી શકે છે. હાઈકમાન્ડે રાજસ્થાનમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, રાજ્યસભાના સાંસદ સરોજ પાંડે અને રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડેને નિરીક્ષક બનાવ્યા છે.

Join Our WhatsApp Community

You may also like