લોકસભા ચૂંટણી 2024 પહેલા BJP સતર્ક, આ ભૂલ ન કરવા નેતાઓને આપી ચેતવણી

ભારતીય જનતા પાર્ટી (BJP) આવતા વર્ષે યોજાનારી લોકસભા ચૂંટણીમાં 303 બેઠકો પરની તેની 2019ની જીતનું પુનરાવર્તન કરવાનો પ્રયાસ કરી રહી છે. આવી સ્થિતિમાં, ભાજપ જે મુદ્દાને સંભાળવાનો પ્રયાસ કરી રહ્યું છે તે છે ભાજપના નેતાઓની આકસ્મિક ટિપ્પણી.

by Dr. Mayur Parikh
Lok Sabha Election 2024: Big danger for NDA before Lok Sabha elections, the result of this survey will increase concern

News Continuous Bureau | Mumbai

ભારતીય જનતા પાર્ટી (BJP) આવતા વર્ષે યોજાનારી લોકસભા ચૂંટણીમાં 303 બેઠકો પરની તેની 2019ની જીતનું પુનરાવર્તન કરવાનો પ્રયાસ કરી રહી છે. આવી સ્થિતિમાં, ભાજપ જે મુદ્દાને સંભાળવાનો પ્રયાસ કરી રહ્યું છે તે છે ભાજપના નેતાઓની આકસ્મિક ટિપ્પણી.

ગયા મહિને, રાષ્ટ્રીય રાજધાનીમાં ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપના નેતાઓને ફિલ્મો અને વ્યક્તિત્વો વિશે બિનજરૂરી ટિપ્પણીઓ કરવા સામે ચેતવણી આપી હતી. તેમણે કહ્યું હતું કે આપણે જે સખત મહેનત કરીએ છીએ, એના પર આવી ટિપ્પણીઓ ભારે પડે છે. તમને જણાવી દઈએ કે, આ પહેલીવાર નથી જ્યારે તેમને આ ટિપ્પણી કરી હતી.

ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફિલ્મોને લઈને નિવેદનબાજી કરનારા નેતાઓને સલાહ આપી હતી. આ પછી ગૃહમંત્રી મિશ્રાના સૂર બદલાઈ ગયા છે. આ પહેલા મિશ્રાએ કહ્યું હતું કે તેઓ મધ્યપ્રદેશમાં ફિલ્મ પર પ્રતિબંધ મૂકવા અંગે વિચારણા કરશે. આ સિવાય ભોપાલના સાંસદ પ્રજ્ઞા ઠાકુર સહિત ભાજપના કેટલાક વરિષ્ઠ નેતાઓએ પઠાણ ફિલ્મ પર ટિપ્પણી કરી હતી.

આ સમાચાર પણ વાંચો :  ચીનને જયશંકરની સલાહ બાદ ડ્રેગન આવ્યું લાઇન પર, ચીની વિદેશ મંત્રીએ કહ્યું…

જેપી નડ્ડાએ પાર્ટી ધારાસભ્યોની બેઠકમાં સલાહ આપી

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ તાજેતરમાં જ તેમના સંબોધનમાં પાર્ટીના ધારાસભ્યોને સલાહ આપી હતી. નડ્ડાએ પાર્ટીના ધારાસભ્યોની બેઠકમાં કહ્યું હતું કે તેમણે ધર્મ અને સંસ્કૃતિ પર ટિપ્પણી કરવાથી બચવું જોઈએ. તેમજ વિકાસના મુદ્દાઓ પર ધ્યાન આપવા જણાવ્યું હતું. ગયા વર્ષે નડ્ડાએ કહ્યું હતું કે તેઓ હંમેશા રાજકારણીઓને ચેતવણી આપે છે કે તેઓ બિનજરૂરી ટિપ્પણીઓ ન કરે, પરંતુ એ વાત સાચી છે કે કેટલાક એવા પણ છે જે હંમેશા મીડિયાની હેડલાઈન્સમાં રહેવા માટે નિવેદનો આપે છે.

ગયા વર્ષે જૂનમાં પયગંબર વિશે ભાજપના નેતાઓની ટિપ્પણીને લઈને ખાડી દેશોમાં ભારે વિરોધ થયો હતો. જે બાદ ભાજપે પોતાના બંને પ્રવક્તાઓને પાર્ટીમાંથી કાઢી મુક્યા હતા.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More