Site icon News Continuous Bureau | Mumbai

LokSabha Election 2024: કોર્ટ ચૂંટણી પંચને નિર્દેશ જારી કરી શકે નહીં. હાઇકોર્ટ PM મોદી પર 6 વર્ષના પ્રતિબંધની માંગ કરતી અરજી ફગાવી..

LokSabha Election 2024:અરજદારે કોર્ટને વિનંતી કરી હતી કે દેવી-દેવતાઓ અને ધર્મસ્થળોના નામે કથિત રીતે મત માંગવા બદલ મોદી વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે. અરજદારનું કહેવું છે કે મોદીએ ચૂંટણી આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન કર્યું છે અને આ ભારતીય દંડ સંહિતા અને લોકોના પ્રતિનિધિત્વ કાયદા હેઠળ ગુનો છે. દેશમાં હાલમાં લોકસભાની ચૂંટણી ચાલી રહી છે.

LokSabha Election 2024 Delhi HC junks plea to disqualify PM Narendra Modi for violating MCC

LokSabha Election 2024 Delhi HC junks plea to disqualify PM Narendra Modi for violating MCC

News Continuous Bureau | Mumbai 

LokSabha Election 2024: દિલ્હી હાઈકોર્ટે  વડાપ્રધાન નરેન્દ્ર મોદીને છ વર્ષ માટે ચૂંટણી લડવા માટે ગેરલાયક ઠેરવવાની માંગ કરતી અરજીને ફગાવી દીધી છે. મળતી માહિતી મુજબ અરજીકર્તાએ ઉત્તર પ્રદેશમાં ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે પીએમ મોદી પર આચારસંહિતાનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો હતો. સાથે જ અરજીમાં PM મોદીને છ વર્ષ માટે ચૂંટણી લડવા માટે ગેરલાયક ઠેરવવાની માંગ કરી હતી.

Join Our WhatsApp Channel

 LokSabha Election 2024: કોર્ટ ચૂંટણી પંચને નિર્દેશ જારી કરી શકે નહીં. 

જસ્ટિસ સચિન દત્તાની સિંગલ બેન્ચે કહ્યું કે અરજદારે ‘પહેલેથી જ સ્વીકાર્યું છે કે આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન થયું છે. સુપ્રીમ કોર્ટ ચૂંટણી પંચને કોઈ પણ ફરિયાદ પર વિશેષ વલણ અપનાવવા માટે નિર્દેશ જારી કરી શકે નહીં. કોર્ટે કહ્યું કે અરજદાર પહેલાથી જ ચૂંટણી પંચનો સંપર્ક કરી ચૂક્યો છે અને પંચ તેની ફરિયાદ પર સ્વતંત્ર રીતે વિચાર કરી શકે છે. ચૂંટણી પંચ તરફથી હાજર રહેલા એડવોકેટ સિદ્ધાંત કુમાર દ્વારા આપવામાં આવેલી દલીલમાં કહેવામાં આવ્યું છે કે ફરિયાદની નોંધ લઈને કાર્યવાહી કરવામાં આવશે અને આ અંગે જરૂરી આદેશો પસાર કરવામાં આવશે.

  LokSabha Election 2024: ભાષણમાં હિન્દુ અને શીખ ગુરુઓના નામ પર ભાજપ માટે વોટ માંગ્યા 

મીડિયા રિપોર્ટ મુજબ આ અરજી વકીલ આનંદ એસ જોંધલે દ્વારા દાખલ કરવામાં આવી હતી. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી. અરજીમાં કહેવામાં આવ્યું છે કે વડા પ્રધાને 9 એપ્રિલે ઉત્તર પ્રદેશમાં તેમના ભાષણમાં હિન્દુ અને શીખ ગુરુઓના નામ પર ભાજપ માટે વોટ માંગ્યા હતા. અરજીમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે વડાપ્રધાને પોતાના ભાષણમાં વિપક્ષને મુસ્લિમો સાથે જોડ્યા હતા. ચૂંટણીમાં ધર્મનો ઉપયોગ કરવો એ લોકોના પ્રતિનિધિત્વ કાયદાનું સ્પષ્ટ ઉલ્લંઘન છે.

આ સમાચાર પણ વાંચો : શેરબજારમાં રેકોર્ડ બ્રેક તેજી! સેન્સેક્સ-નિફ્ટી ઐતિહાસિક ટોચે; રોકાણકારો થયા માલામાલ..

LokSabha Election 2024: PM મોદી પર છ વર્ષ પ્રતિબંધ મુકવાની માંગ

અરજીમાં માંગ કરવામાં આવી હતી કે PM મોદીને છ વર્ષ માટે ચૂંટણી લડવા માટે અયોગ્ય જાહેર કરવામાં આવે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે વડાપ્રધાનનું ભાષણ લોકસભા ચૂંટણીમાં મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણીમાં અવરોધો ઉભી કરી શકે છે. આ ઉપરાંત અરજીમાં માંગ કરવામાં આવી હતી કે અદાલતે ચૂંટણી પંચને વડા પ્રધાનના ભાષણની નોંધ લેવા અને વડા પ્રધાન સામે પગલાં લેવાનો નિર્દેશ કરવો જોઈએ.

CBI Probe Suvendu Adhikari PA। ચંદ્રનાથ રથ હત્યાકાંડ સુવેન્દુ અધિકારીના PAના મોતના કેસમાં CBIની એન્ટ્રી, બંગાળમાં ખળભળાટ; અત્યાર સુધીમાં ૩ ઝડપાયા
PM Modi Foreign Visit 2026|શુક્રવારથી પીએમ મોદીનો ૫ દેશોનો પ્રવાસ, ઈટાલીUAE મુલાકાત પર આખી દુનિયાની નજર; ભારત માટે કેમ છે આ પ્રવાસ ખાસ?
India Fuel Reserve Status। પેટ્રોલ પંપ પર લાગશે લાંબી લાઈનો? ઈંધણની અછત અને ‘રાશનિંગ’ ના સમાચાર પર સરકારે તોડ્યું મૌન; જાણી લો લેટેસ્ટ સ્થિતિ
PM Modi Gold Purchase Appeal। સોનાના વેપારીઓની ઉંઘ હરામ! પીએમ મોદીની ‘No Gold’ ની વાતથી જ્વેલરી સેક્ટરમાં હાહાકાર; શું ખરેખર ૧ કરોડ કારીગરો બેરોજગાર થશે?
Exit mobile version