News Continuous Bureau | Mumbai
Loksabha election 2024 : વિશ્વના સૌથી મોટા લોકતાંત્રિક દેશ એટલે કે ભારત ( India ) માં ગત 19 એપ્રિલના રોજ લોકશાહીના સૌથી મોટો તહેવારની શરૂઆત થઈ હતી. આ દિવસે 18મી લોકસભા ચૂંટણી ( Loksabha election 2024 ) માટે 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 102 બેઠકો પર મતદાન થયું હતું. જો કે, પ્રથમ તબક્કાના મતદાન દરમિયાન માત્ર 60.03% મતદાન નોંધાયું હતું. જે છેલ્લા 10 વર્ષની સરખામણીમાં સૌથી ઓછું છે. 2019ની લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં આ આંકડો લગભગ 66 ટકા હતો.
લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં ઓછા મતદાને હવે આગળના તબક્કાઓ અંગે ચિંતા વધારી છે. પ્રથમ તબક્કામાં આઠ બેઠકો પર મતદાન 2019ની સરખામણીમાં પાંચથી નવ ટકા ઓછું હતું. મતદારોની નિરાશાએ રાજકીય પક્ષોથી લઈને ચૂંટણી પંચ ( Election commission ) સુધીની ચિંતામાં વધારો કર્યો છે. આવી સ્થિતિમાં ભાજપ સહિત તમામ પક્ષોએ આગામી તબક્કા માટે નવી રણનીતિ બનાવવાનું શરૂ કરી દીધું છે.
Loksabha election 2024 : કયા રાજ્યમાં કેટલા ટકા મતદાન થયું જાણો આંકડા
કેન્દ્રીય ચૂંટણી પંચ ( Election commission ) ના જણાવ્યા અનુસાર, 18 એપ્રિલના રોજ લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં લક્ષદ્વીપમાં સૌથી વધુ મતદાન થયું હતું, જ્યાં કુલ 83.88 ટકા લોકોએ મતદાન કર્યું હતું. આ પછી, ત્રિપુરામાં 81.62% લોકોએ મતદાન કર્યું અને પશ્ચિમ બંગાળમાં 80% લોકોએ મતદાન કર્યું. તો તમિલનાડુમાં સૌથી વધુ મતદાન થયું હતું. અહીં 69.46 ટકા મતદારોએ મતદાન કર્યું છે. ઉત્તર પ્રદેશમાં 60.25 ટકા, મહારાષ્ટ્રમાં 61.87 ટકા, રાજસ્થાનમાં 57.26 ટકા અને બિહારમાં 48.88 ટકા મતદાન થયું હતું. જ્યારે મધ્યપ્રદેશ અને આસામમાં 67.08 ટકા અને 75.95 ટકા મતદાન થયું હતું.
તો બીજી તરફ નાગાલેન્ડમાં પરિસ્થિતિ શાંતિપૂર્ણ હતી પરંતુ જિલ્લા વહીવટીતંત્ર અને અન્ય કટોકટી સેવાઓ સાથે સંકળાયેલા લોકો અને વાહનો સિવાય રસ્તાઓ પર લોકો કે વાહનોની અવરજવર નહોતી. અહીં લગભગ શૂન્ય મતદાન નોંધાયું છે. આ પાછળનું કારણ ENPO દ્વારા બોલાવવામાં આવેલી અનિશ્ચિત હડતાલ. મહત્વનું છે કે નાગાલેન્ડના કુલ 13.25 લાખ મતદારોમાંથી પૂર્વી નાગાલેન્ડના છ જિલ્લાઓમાં 4,00,632 મતદારો છે.
Loksabha election 2024 : મતદારો મતદાન મથક સુધી ન પહોંચવાના 5 કારણો
- પરસેવે રેબઝેબ કરાવે તેવી ગરમી
એક તરફ જ્યાં ઓછા મતદાને રાજકીય પક્ષોની સાથે ચૂંટણી પંચની ચિંતા વધારી દીધી છે. બીજી તરફ વિશ્લેષકો આકરી ગરમીને મતદાનની ટકાવારી ઓછી થવાનું કારણ માની રહ્યા છે. હકીકતમાં, એપ્રિલની શરૂઆતથી જ દેશના ઘણા રાજ્યોમાં લોકો આકરી ગરમીનો સામનો કરી રહ્યા છે. આ મહિનાની શરૂઆતથી, ઉત્તર-પશ્ચિમ અને દક્ષિણ ભારતના ઘણા વિસ્તારોમાં ગરમીના મોજાની સ્થિતિ પ્રવર્તી રહી છે. વિશ્લેષકો એ ચૂંટણી પહેલા જ ઘણી વખત ચેતવણી આપી હતી કે આ વર્ષનો ઉનાળો સમગ્ર વિશ્વમાં અત્યાર સુધીનો સૌથી ગરમ રહેશે.
આ સમાચાર પણ વાંચો : Mumbai Pune Expressway: મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર મુસાફરી કરવાના છો? આજે રહેશે આટલા કલાકનો ટ્રાફિક બ્લોક; પરિવહનના વૈકલ્પિક રૂટ શું રહેશે? જાણો સંપુર્ણ માહિતી..
આ ઉપરાંત મતદાન મથકો પર શેડ, પીવાના પાણી વગેરેની પૂરતી વ્યવસ્થા પણ કરવામાં આવી ન હતી. જેના કારણે મતદારો બૂથ સુધી પહોંચવા માટે ઘરની બહાર નીકળ્યા ન હતા. મતદાનના દિવસની શુક્રવાર એટલે કે 19 એપ્રિલની વાત કરીએ તો આ દિવસે છત્તીસગઢ, ઝારખંડ, ઓડિશા અને પશ્ચિમ બંગાળના ઘણા વિસ્તારોમાં તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસને પાર કરી ગયું હતું.
- જાગૃતિનો અભાવ
બિહાર, ઝારખંડ, છત્તીસગઢ જેવા કેટલાક રાજ્યોમાં ઓછા મતદાન ( Voting ) માટે જાગૃતિનો અભાવ પણ એક કારણ બન્યું. હકીકતમાં, ઘણા ગામોમાં મતદાન કેન્દ્રનું અંતર એટલું વધારે હતું કે મોટાભાગના મતદારોને કાં તો સાચા કેન્દ્ર વિશે ખબર ન હતી અથવા તો અંતરને કારણે મતદાન ન કરવા જવાનું ટાળ્યું હતું.
- રાજકારણીઓના ભાષણથી લોકો કંટાળી ગયા
રાજકીય નિષ્ણાતોનું માનવું છે કે ચૂંટણી એકતરફી હોવાના કારણે આ ચૂંટણીને લઈને મતદારોમાં ઓછો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. એક તરફ દેશનો વિપક્ષ મજબૂત નથી અને મંચ પર ભાષણ આપવા આવતા તમામ નેતાઓ ધર્મ અને એકબીજાને નિશાન બનાવતા જોવા મળે છે. પ્રચાર દરમિયાન રોજગાર, મફત વીજળી અને પાણીના વચનો આપવામાં આવે છે પરંતુ જનતા આ વચનો અગાઉની ઘણી ચૂંટણીઓમાં સાંભળી ચુકી છે. તો બીજી તરફ મોટાભાગના મતદારોને લાગે છે કે ભાજપ ફરી એક વાર સત્તામાં આવવા જઈ રહી છે. આ સિવાય કોઈ મજબૂત વિકલ્પ નથી અને જ્યાં હરીફાઈ નથી ત્યાં લોકોનો ઉત્સાહ આપોઆપ ઓછો થઈ જાય છે.
- લગ્નની મોસમ
હાલમાં લગ્નસરાની મોસમ ચાલી રહી છે જેના કારણે મોટાભાગના લોકો લગ્નની તૈયારીઓમાં વ્યસ્ત છે. આ વ્યસ્તતાને કારણે મોટાભાગના લોકો મતદાન બુથ પર પહોંચ્યા ન હતા. આ ઉપરાંત મજૂર વર્ગનું સ્થળાંતર પણ ઓછી મતદાન ટકાવારીનું કારણ માનવામાં આવી રહ્યું છે.
Loksabha election 2024 : હવે ચૂંટણી પંચ શું કરશે?
ગત સામાન્ય ચૂંટણીની સરખામણીમાં ઓછા મતદાનથી ચૂંટણી પંચ પણ ચિંતિત છે. આ જ કારણ છે કે બીજા તબક્કાના મતદાન માટે ચૂંટણી પંચ મતદાન વધારવા માટે કેટલીક નવી રણનીતિઓ પર ભાર આપી રહ્યું છે. મીડિયા રિપોર્ટ અનુસાર, ચૂંટણી પંચ સાથે સંકળાયેલા એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે અમે મતદાન વધારવા માટે ઘણા પ્રયત્નો કર્યા હતા પરંતુ તેમાંથી સંતોષજનક પરિણામ આવ્યું નથી. એટલે ચૂંટણી પંચના અધિકારીઓ હાલમાં તે કારણો પર ચર્ચા-વિચારણા કરી રહ્યા છે જેના કારણે મતદાનની ટકાવારી ઘટી છે.
Loksabha election 2024 : ઓછા મતદાનથી કોને અસર થાય છે?
સામાન્ય રીતે ચૂંટણી દરમિયાન મતદાનની સંખ્યામાં વધારો થાય તો તે શાસક પક્ષ માટે નુકસાન માનવામાં આવે છે, પરંતુ જો મતદાનની ટકાવારી ઘટે તો તે વિપક્ષ માટે જોખમી સંકેત માનવામાં આવે છે. હવે બીજા તબક્કાનું મતદાન 26મી એપ્રિલે થશે. કુલ 7 તબક્કામાં 543 બેઠકો માટે 1 જૂને મતદાન સમાપ્ત થશે. તમામ બેઠકોના પરિણામ 4 જૂને આવશે.
Join Our WhatsApp Community