Mahakumbh 2025: મહાકુંભમાં એરલાઇન્સ મનમાની, પ્રયાગરાજ માટે ટિકિટનો ભાવ ₹50000 સુધી પહોંચ્યો, હવે DGCA એક્શનમાં આવ્યું..

Mahakumbh 2025: 13 જાન્યુઆરીથી પ્રયાગરાજમાં યોજાઈ રહેલા મહા કુંભ મેળામાં ભક્તોની રેકોર્ડબ્રેક ભીડ ઉમટી રહી છે. અત્યાર સુધીમાં 10 દિવસમાં 10 કરોડથી વધુ ભક્તોએ પવિત્ર સંગમમાં ડૂબકી લગાવી છે.

by kalpana Verat
Mahakumbh 2025 Airlines are arbitrary in Mahakumbh, ticket prices for Prayagraj reach ₹50000, now DGCA comes into action.

News Continuous Bureau | Mumbai 

Mahakumbh 2025: 29 જાન્યુઆરીના રોજ મૌની અમાવસ્યા પહેલા જ, ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ માટે ભક્તોનું ઘોડાપુર  ઉમટી પડ્યું છે. આ સમયે દેશ અને દુનિયાભરમાંથી લોકો પ્રયાગરાજ પહોંચી રહ્યા છે. આ જ કારણ છે કે આ રૂટ માટે હવાઈ ભાડામાં ભારે વધારો જોવા મળી રહ્યો છે. હવાઈ ​​ભાડામાં હાલમાં લગભગ 600 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. જોકે, હવે નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) એ મહાકુંભને ધ્યાનમાં રાખીને એરલાઇન્સને પ્રયાગરાજની ફ્લાઇટ્સના ભાડા તર્કસંગત બનાવવા જણાવ્યું છે.  

મહત્વનું છે કે અત્યાર સુધીમાં 12 કરોડથી વધુ લોકોએ મહાકુંભમાં પવિત્ર ડૂબકી લગાવી છે અને 29 જાન્યુઆરીએ મૌની અમાવસ્યાના અવસર પર કરોડો ભક્તો પવિત્ર ડૂબકી લગાવશે.

Mahakumbh 2025: કયા રૂટ પર કેટલું ભાડું

ટ્રાવેલ પોર્ટલ સ્કાયસ્કેનર અનુસાર, દિલ્હી-પ્રયાગરાજ માટે હવાઈ ટિકિટના ભાવ આસમાને છે. આજે સવારે 11:00 વાગ્યા સુધીમાં, એક તરફી ટિકિટનો ભાવ 21,000 રૂપિયાથી વધુ જોવા મળ્યો. મુંબઈથી પ્રયાગરાજની ટિકિટની કિંમત 22,000 થી 60,000 રૂપિયાની વચ્ચે છે. બેંગલુરુથી આવતા યાત્રાળુઓએ સીધી વન-વે ટિકિટ માટે 26,000 થી 48,000 રૂપિયા ચૂકવવા પડશે. સામાન્ય રીતે આ શહેરો માટે એક તરફનું ભાડું લગભગ રૂ. 5,000 થી રૂ. 7,000 હોય છે.  જણાવી દઈએ કે 13 જાન્યુઆરીથી શરૂ થયેલો મહાકુંભ 26 ફેબ્રુઆરીએ સમાપ્ત થશે.

Mahakumbh 2025: 81 વધારાની ફ્લાઇટ્સ માટે મંજૂરી

મહાકુંભને કારણે માંગને પહોંચી વળવા માટે DGCA એ 81 વધારાની ફ્લાઇટ્સને પણ મંજૂરી આપી છે, જેનાથી પ્રયાગરાજ સાથે હવાઈ જોડાણ વધીને 132 ફ્લાઇટ્સ થઈ ગયું છે. એરલાઇન્સ હંમેશા ટિકિટના ભાવમાં વધારાને માંગ અને પુરવઠાના કારણે ગણાવે છે. જોકે, ટીકાકારો દલીલ કરે છે કે આ નફાખોરી સમાન છે.

Mahakumbh 2025 :ગૃહમંત્રી અમિત શાહ પરિવાર સાથે પહોંચ્યા મહાકુંભમાં, સંતો સાથે લગાવી આસ્થાની ડૂબકી.. જુઓ વિડીયો..

Mahakumbh 2025: તહેવારોની મોસમમાં ભાડામાં અચાનક વધારો!

તમને જણાવી દઈએ કે તહેવારોની મોસમમાં મુસાફરી એક સમસ્યા બની ગઈ છે. ગયા વર્ષે ફેબ્રુઆરીમાં, એક સંસદીય સમિતિએ પ્રસ્તાવ મૂક્યો હતો કે સરકારે હવાઈ ભાડામાં અચાનક વધારાને નિયંત્રિત કરવા માટે માર્ગદર્શિકા ઘડવી જોઈએ. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ અગાઉ ખાતરી આપી હતી કે તેઓ સતત વધી રહેલી ફ્લાઇટ ટિકિટના ભાવની સમીક્ષા કરશે. નાયડુએ કહ્યું હતું કે, ‘હું ખરેખર આ મુદ્દા પર વિચાર કરવા માંગુ છું કે દેશના લોકો માટે તેને વધુ સુલભ કેવી રીતે બનાવવું.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More